back to top
Homeમનોરંજન'હિંમત હોય તો સિંગરનો જીવ બચાવી લે':સલમાન- લોરેન્સ પર બનેલા ગીતને લઈને...

‘હિંમત હોય તો સિંગરનો જીવ બચાવી લે’:સલમાન- લોરેન્સ પર બનેલા ગીતને લઈને ચેતવણી આપી, કહ્યું- એક મહિનામાં એક્શન લઈશું

સલમાન ખાનને છેલ્લા કેટલાક મહિનાઓથી લોરેન્સ ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. છેલ્લા એક સપ્તાહમાં સલમાનને એક પછી એક બે ધમકીઓ મળી હતી, જે બાદ તેને ગુરુવારે ફરી એકવાર ધમકીભર્યો મેસેજ મળ્યો છે. આ વખતે મેસેજ મોકલનાર વ્યક્તિએ સલમાનને નહીં પરંતુ તેના માટે ગીત લખનાર વ્યક્તિને નિશાન બનાવ્યો છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, ગુરુવારે (7 નવેમ્બર) મોડી રાત્રે મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં સલમાન માટે એક મેસેજ આવ્યો હતો. મેસેજ મોકલનાર વ્યક્તિએ પોતાની ઓળખ લોરેન્સ ગેંગના સભ્ય તરીકે આપી હતી. ધમકી આપનાર વ્યક્તિએ તે ગીત પર નારાજગી વ્યક્ત કરી હતી જેમાં સલમાન ખાન અને લોરેન્સનું નામ જોડવામાં આવ્યું હતું. મેસેજમાં લખ્યું છે કે, હવે તે વધુ ગીતો લખી શકશે નહીં, એક મહિનામાં એક્શન લઈશું. એમ પણ લખ્યું છે કે, જો સલમાનમાં હિંમત હોય તો બચાવે મુંબઈ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. સલમાનને ઓક્ટોબરમાં બે વાર અને નવેમ્બરમાં બે વાર ધમકીઓ મળી હતી.
4 નવેમ્બરઃ મુંબઈ ટ્રાફિક કંટ્રોલ રૂમને મોકલવામાં આવેલા મેસેજમાં લખવામાં આવ્યું હતું કે, સલમાન ખાન બિશ્નોઈ સમુદાયના મંદિરમાં જઈને કાળા હરણના શિકાર કેસમાં માફી માંગે અથવા 5 કરોડ રૂપિયા આપે. જો તેઓ આમ ન કરે, તો તેઓ મરી શકે છે. આ કેસમાં કર્ણાટકથી ધમકી મોકલનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આરોપીનું નામ વિક્રમ હોવાનું કહેવાય છે. 30 ઓક્ટોબરઃ 56 વર્ષીય આઝમ મોહમ્મદ મુસ્તફાની સલમાનને ધમકીભર્યા મેસેજ મોકલવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ મેસેજ મુંબઈના ટ્રાફિક કંટ્રોલ રૂમને મોકલવામાં આવ્યો હતો. મેસેજમાં કહેવામાં આવ્યું હતું કે જો સલમાન 2 કરોડ રૂપિયા નહીં આપે તો તેને મારી નાખવામાં આવશે. 25 ઓક્ટોબર: એનસીપી નેતા બાબા સિદ્દીકીના પુત્ર જીશાનના કાર્યાલય પર એક મેસેજ મોકલવામાં આવ્યો હતો, જેમાં 2 કરોડ રૂપિયાની માંગણી પણ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે જો સલમાન અને જીશાન પૈસા નહીં આપે તો તેમને મારી નાખવામાં આવશે. આ કેસમાં મુંબઈ પોલીસે 20 વર્ષના મોહમ્મદ તૈયબની નોઈડાથી ધરપકડ કરી હતી. સતત ધમકીઓ વચ્ચે સલમાન સિકંદરને શૂટ કરવા હૈદરાબાદ પહોંચ્યો હતો.
આ દિવસોમાં સલમાન ખાન ફિલ્મ સિકંદરના શૂટિંગમાં વ્યસ્ત છે. જાનથી મારી નાખવાની ધમકીઓ વચ્ચે, અભિનેતા ફિલ્મના શૂટિંગ માટે હૈદરાબાદના પ્રખ્યાત તાજ ફલકનુમા પેલેસ પરત ફર્યો છે. અભિનેતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પેલેસમાં પણ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. તાજ ફલકનુમા પેલેસને અદભૂત રોશનીથી શણગારવામાં આવ્યો હતો. ફિલ્મ ક્રૂ એક દિવસ પહેલા જ હોટલ પહોંચી ગયો હતો. શૂટિંગ માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી. આ જગ્યાએ સલમાનની બહેન અર્પિતા ખાનના લગ્ન થયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments