back to top
Homeભારતખડગેએ કહ્યું- અંતિમ સંસ્કાર સ્થળે જ મનમોહનજીનું સ્મારક બને:કેન્દ્રએ કહ્યું- જગ્યા શોધી...

ખડગેએ કહ્યું- અંતિમ સંસ્કાર સ્થળે જ મનમોહનજીનું સ્મારક બને:કેન્દ્રએ કહ્યું- જગ્યા શોધી રહ્યા છીએ, સમય લાગશે; કોંગ્રેસે કહ્યું- આ પહેલા શીખ PMનું અપમાન છે

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન બાદ તેમના અંતિમ સંસ્કાર અને સ્મારક બનાવવા મામલે વિવાદ ચાલી રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મોદીને પત્ર લખીને વિનંતી કરી હતી કે જ્યાં અંતિમ સંસ્કાર કરવામાં આવે ત્યાં જ સ્મારક બનાવવામાં આવે. આ અંગે ગૃહ મંત્રાલયે શુક્રવારે મોડી રાત્રે કહ્યું, ‘અંતિમ સંસ્કાર માટે નિગમબોધ ઘાટની પસંદગી કરવામાં આવી છે. દિલ્હીમાં પૂર્વ પીએમનું સ્મારક બનાવવામાં આવશે. આ માટે યોગ્ય જગ્યા શોધીને ટ્રસ્ટની રચના કરવામાં આવશે. જો કે તેમાં સમય લાગશે. કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું કે ડૉ. સિંહના પત્ની ગુરશરણ કૌર ઇચ્છે છે કે અંતિમ સંસ્કાર ત્યાં દ થાય જ્યાં સ્મારક બનાવવામાં આવે. કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે કહ્યું- સરકાર પૂર્વ પીએમનું સ્મારક બનાવવા માટે જમીન પણ શોધી શકી નથી. આ દેશના પ્રથમ શીખ પીએમનું અપમાન છે. જ્યારે જગ્યાની કમીની વાત આવી, ત્યારે પ્રિયંકા ગાંધીએ શક્તિ સ્થળ (ઇન્દિરા ગાંધીનું સ્મારક) અથવા વીરભૂમિ (રાજીવ ગાંધીનું સ્મારક) નજીક ડૉ. સિંહનું સ્મારક બનાવવાનું સૂચન કર્યું હતું. કોંગ્રેસે કહ્યું- અંતિમ સંસ્કાર એવી જગ્યાએ થવા જોઈએ જ્યાં ક્યારેય કોઈ પૂર્વ PMના અંતિમ સંસ્કાર ન થયા હોય ટાઈમ્સના અહેવાલ મુજબ કોંગ્રેસે નિગમબોધ ઘાટ પર અંતિમ સંસ્કારને લઈને પણ વાંધો ઉઠાવ્યો હતો. કોંગ્રેસે કહ્યું કે અંતિમ સંસ્કાર પણ એવી જગ્યાએ થવોાજોઈએ જ્યાં ક્યારેય કોઈ પૂર્વ પીએમના અંતિમ સંસ્કાર થયા ન હોય. કારણ કે કોઈ પણ પૂર્વ પીએમ મનમોહન સિંહ સમાન નથી. ભાજપે કહ્યું- કોંગ્રેસે ક્યારેય ડો. સિંહને સન્માન આપ્યું નથી, હવે તે રાજનીતિ કરી રહી છે સ્મારક વિવાદ પર કેન્દ્ર તરફથી 4 નેતાઓને સવાલ દેશના પ્રથમ શીખ પીએમ, સૌથી લાંબા સમય સુધી આ પદ સંભાળનાર ચોથા નેતા મનમોહન સિંહ 2004માં દેશના 14મા વડાપ્રધાન બન્યા હતા. તેમણે મે 2014 સુધી આ પદ પર બે કાર્યકાળ પૂર્ણ કર્યા હતા. તેઓ દેશના પ્રથમ શીખ અને ચોથા સૌથી લાંબા સમય સુધી સેવા આપતા વડાપ્રધાન હતા. તેમના નિધન પર કેન્દ્ર સરકારે 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ ખડગે ગુરુવારે મોડી રાત્રે બેલાગવીથી દિલ્હી પહોંચ્યા બાદ સીધા મનમોહન સિંહના ઘરે ગયા હતા. રાહુલે X પર લખ્યું- મેં મારા માર્ગદર્શક અને ગુરુ ગુમાવ્યા છે. કોંગ્રેસે 3 જાન્યુઆરી સુધીના તમામ કાર્યક્રમો રદ્દ કર્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments