back to top
Homeભારતમહાકુંભમાં લાગેલી આગમાં 180 ટેન્ટ બળીને ખાખ:તપાસ શરૂ; ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું- REEL...

મહાકુંભમાં લાગેલી આગમાં 180 ટેન્ટ બળીને ખાખ:તપાસ શરૂ; ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું- REEL માટે નહીં, REAL માટે જાવ, સવારથી 23 લાખ લોકોએ સ્નાન કર્યું

આજે મહાકુંભનો 8મો દિવસ છે. સવારે 8 વાગ્યા સુધી 23 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું હતું. અત્યાર સુધીમાં 8.26 કરોડથી વધુ ભક્તોએ સ્નાન કર્યું છે. મહાકુંભ મેળા દરમિયાન રવિવારે બપોરે ભીષણ આગમાં ગીતા પ્રેસના 180 ટેન્ટ બળીને રાખ થઈ ગયા હતા. ગીતા પ્રેસના ટ્રસ્ટી કૃષ્ણ કુમાર ખેમકાએ દાવો કર્યો હતો કે આગ બહારથી આવતા સ્પાર્કના કારણે લાગી હતી. આગના કારણની મેજિસ્ટ્રેટ તપાસ શરૂ કરવામાં આવી છે. મહાકુંભમાં ‘રીલબાજો’ની વધતી જતી સંખ્યા પર બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું- મહાકુંભ તેના હેતુથી ભટકી રહ્યો છે, અહીં REEL નહીં પણ REAL માટે જવું જોઈએ. આજથી કવિ કુમાર વિશ્વાસ રામ કથા ‘અપને-અપને રામ’ ભક્તોને સંભળાવશે. આ કથા ગંગા પંડાલમાં સાંજે 5 થી 8 વાગ્યા સુધી ચાલશે. રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ આજે મહાકુંભમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments