નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે બજેટ 2025 રજૂ કર્યું. આમાં અનેક પ્રકારની જાહેરાતો કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિર્મલા સીતારમણને બજેટ માટે અભિનંદન પાઠવ્યા હતા. PMએ કહ્યું, ‘બધા તમારાં વખાણ કરી રહ્યા છે, બજેટ ખૂબ સારું છે.’ વડાપ્રધાને કહ્યું- આ બજેટ સામાન્ય નાગરિક, વિકસિત ભારતનું મિશન પૂરું કરવા જઈ રહ્યું છે. આ બજેટ રોકાણ અને વપરાશ વધારશે. જાહેર બજેટ બનાવવા માટે હું નાણામંત્રી અને તેમની ટીમને અભિનંદન આપું છું. આજે દેશ વિકાસની સાથે સાથે વિરાસતના મંત્ર સાથે આગળ વધી રહ્યો છે. બજેટ અંગે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું, ‘આ બજેટ ગોળીના ઘા પર પાટો બાંધવા જેવું છે. વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે આપણા આર્થિક સંકટને ઉકેલવા માટે એક આદર્શ પરિવર્તનની જરૂર હતી, પરંતુ આ સરકાર વિચારોથી નાદાર થઈ ગઈ છે.’ PMએ બજેટનાં વખાણ કર્યા, 7 મુદ્દા… બજેટ અંગે રાજકીય પક્ષો અને નેતાઓનાં નિવેદનો વાંચો… કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું- આ બજેટ વિકસિત ભારત માટે છે અને વડાપ્રધાનના નવા અને ઊર્જાસભર ભારતનાં સપનાંને સાકાર કરવાનો સંકલ્પ છે. દરેક વિસ્તારનો યોગ્ય અભ્યાસ કર્યા બાદ નવો નકશો તૈયાર કરવામાં આવ્યો છે. આ એક સંપૂર્ણ બજેટ છે, જે ભારતને આગળ લઈ જશે અને ભારતને ન માત્ર આત્મનિર્ભર બનાવશે, પરંતુ એને વિશ્વનેતા તરીકે સ્થાપિત કરશે. બીજેપી સાંસદ રવિ કિશને કહ્યું- ગરીબ, મધ્યમવર્ગ અને દરેક માટે શાનદાર બજેટ રજૂ કરવામાં આવ્યું છે. હું પીએમ મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણને શાનદાર બજેટ રજૂ કરવા બદલ અભિનંદન આપવા માગું છું. કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું- હવે 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ સંકટ નહીં આવે. આવકવેરાદાતાઓને મોટી રાહત આપવા બદલ હું પીએમ મોદીનો આભાર માનું છું. વિપક્ષે બજેટને નિરાશાજનક ગણાવ્યું… દિલ્હીના પૂર્વ સીએમ અને AAPના કન્વીનર અરવિંદ કેજરીવાલે કહ્યું- દેશની તિજોરીનો મોટો હિસ્સો કેટલાક અમીર અબજોપતિઓની લોન માફ કરવામાં જાય છે. મેં માગ કરી હતી કે બજેટમાં એવી જાહેરાત કરવામાં આવે કે ભવિષ્યમાં કોઈપણ અબજોપતિની લોન માફ કરવામાં નહીં આવે. આનાથી બચેલા પૈસાથી મધ્યમવર્ગની હોમ લોન અને વાહન લોનમાં છૂટ આપવી જોઈએ, ખેડૂતોની લોન માફ કરવી જોઈએ. ઈન્કમટેક્સ અને જીએસટીના ટેક્સના દર અડધા કરવા જોઈએ. મને દુઃખ છે કે આ ન થયું. સપાના વડા અખિલેશ યાદવે કહ્યું- અમારા માટે મહાકુંભમાં નાસભાગમાં મૃત્યુ પામેલા લોકોના ડેટા બજેટના આંકડા કરતાં વધુ મહત્ત્વપૂર્ણ છે. કેટલા લોકો મૃત્યુ પામ્યા, ગુમ થયા કે ઘાયલ થયા એ સરકાર જણાવી શકી નથી. શું આ તમારી વિકસિત ભારતની વ્યાખ્યા છે કે લોકો નાસભાગમાં મરી જશે? કોંગ્રેસના સાંસદ કિરણ કુમાર ચામલાએ કહ્યું- જ્યારે આપણે બજેટમાં રાજ્યોની વાત કરીએ છીએ ત્યારે આપણે જોયું છે કે બિહારને ઘણું મહત્ત્વ આપવામાં આવ્યું છે, જ્યારે અમે તેલંગાણા જેવાં રાજ્યોની પણ અપેક્ષા રાખીએ છીએ કે એને ઘણું મહત્ત્વ મળવું જોઈએ. આજના બજેટ ભાષણમાં રાજકીય એજન્ડા છે. ડીએમકે સાંસદ દયાનિધિ મારને કહ્યું- આ ખૂબ જ નિરાશાજનક બજેટ છે. નાણામંત્રીએ મોટી છૂટછાટ આપતાં કહ્યું હતું કે 12 લાખ રૂપિયા પર કોઈ ટેક્સ નથી. પછી તેઓ કહે છે કે 8-12 લાખ રૂપિયા માટે 10%નો સ્લેબ છે, તેથી એ ખૂબ જ મૂંઝવણભર્યું છે. બજેટમાં બિહાર માટે ઘણું બધું છે, કારણ કે આ વર્ષે બિહારમાં ચૂંટણી છે. તામિલનાડુ અથવા અન્ય કોઈ દક્ષિણ રાજ્ય માટે એકપણ શબ્દ નથી. બજેટ સંબંધિત આ સમાચાર પણ વાંચો… ‘અબ કી બાર 12 લાખ પાર…’:12.75 લાખ આવક સુધી ઝીરો ટેક્સ, સરકાર તમામ નીચલા સ્લેબનો ટેક્સ માફ કરશે; નવી રિજીમમાં આ ફાયદો નિર્મલા સીતારમણના બજેટમાં આવકવેરા ભરનારાઓને મોટી રાહત મળી છે. હવે નોકરી કરતા લોકો જો નવી કર વ્યવસ્થા પસંદ કરશે તો તેમણે ₹12.75 લાખ સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. સંપૂર્ણ સમાચાર વાંચો… 8 બજેટ, 8 સાડીની ખાસ કહાની!:નિર્મલા સીતારમણના દરેક લુકમાં છુપાયેલો છે એક સંદેશ, આ વખતે પહેરેલી મધુબની સાડીનું બિહાર કનેક્શન નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે રેકોર્ડ આઠમી વખત બજેટ રજૂ કર્યું. આ વખતે તેમણે મધુબની પેઇન્ટિંગવાળી ક્રીમ કલરની સાડી પહેરી હતી. આ સાડી તેમને બિહારમાં રહેતી પદ્મશ્રી વિજેતા દુલારી દેવીએ ભેટમાં આપી હતી. દુલારી દેવીને સાડી ભેટ આપતી વખતે નાણામંત્રીએ તેમને બજેટના દિવસે પહેરવાનું કહ્યું હતું. સંપૂર્ણ સમાચાર વાંચો… બજેટ 2025 મોમેન્ટ્સ:નાણામંત્રીએ 77 મિનિટ સ્પીચ આપી, 5 વખત પાણી પીધું; અખિલેશને ઠપકો અને વિપક્ષનું વોકઆઉટ નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે 8મી વખત દેશનું બજેટ રજૂ કર્યું. તેમણે ગોલ્ડન બોર્ડરવાળી ક્રીમ રંગની મધુબની પેઇન્ટિંગ સાડી પહેરી હતી. આ પહેલાં તેઓ રાષ્ટ્રપતિ ભવન ગયાં હતાં. અહીં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને દહીં ખવડાવીને તેમને શુભકામના પાઠવી હતી. આ પછી તેઓ ટેબ્લેટ લઈને સંસદ ભવન પહોંચ્યાં હતાં. બજેટની મુખ્ય ક્ષણો…