back to top
Homeદુનિયાઇન્ડોનેશિયામાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ:લોકો ડરના માર્યા પોતાના ઘરની બહાર દોડવા લાગ્યા; જોકે...

ઇન્ડોનેશિયામાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ:લોકો ડરના માર્યા પોતાના ઘરની બહાર દોડવા લાગ્યા; જોકે કોઈ મોટા નુક્સાનના અહેવાલ નથી

ઇન્ડોનેશિયામાં બુધવારે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 6.2 હતી અને તેનું કેન્દ્રબિંદુ ઉત્તર માલુકુના દરિયાકાંઠે હોવાનું જાણવા મળ્યું છે. જિયોફિઝિક્સ એજન્સી અનુસાર, ભૂકંપ 81 કિલોમીટર (50 માઇલ) ઊંડાઈ પર હતો, અને સુનામીનો કોઈ ભય નથી. ઇન્ડોનેશિયામાં જ્યારે પણ ભૂકંપ આવે છે, ત્યારે સુનામીનો ભય પણ રહે છે, પરંતુ આ વખતે એવું થયું નહીં. બુધવારે વહેલી સવારે ભૂકંપ આવ્યો અને લોકો ડરના માર્યા પોતાના ઘરની બહાર દોડવા લાગ્યા. ઇન્ડોનેશિયાની આપત્તિ નિયંત્રણ એજન્સીએ હજુ સુધી કોઈ મોટા નુકસાનની જાણ કરી નથી. ઇન્ડોનેશિયા ‘રિંગ ઓફ ફાયર’ માં સ્થિત છે
ઇન્ડોનેશિયા ‘રિંગ ઓફ ફાયર’ નામની જગ્યાએ આવેલું છે, જ્યાં પૃથ્વીની ઘણી ટેક્ટોનિક પ્લેટો મળે છે. આ કારણોસર, આ વિસ્તાર ભૂકંપ અને જ્વાળામુખીની ગતિવિધિઓ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે. અહીં વારંવાર ભૂકંપ આવે છે, જેના કારણે સ્થાનિક લોકોએ હંમેશા સતર્ક રહેવું પડે છે. વિશ્વનો સૌથી વધુ મુસ્લિમ વસતિ ધરાવતો દેશ
ઇન્ડોનેશિયા વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસતિ ધરાવતો દેશ છે. આ પછી પાકિસ્તાન અને ભારત આવે છે. આ વિસ્તારમાં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. તાજેતરમાં નેપાળ અને તિબેટમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તીવ્રતા કેવી રીતે માપવામાં આવે છે?
ભૂકંપની તીવ્રતા અને સમય માપવા માટે વપરાતા મશીનને સિસ્મોગ્રાફ કહેવામાં આવે છે. આ ઉપકરણની મદદથી, પૃથ્વીની અંદર થતા સ્પંદનોનો ગ્રાફ બનાવવામાં આવે છે. આને સિસ્મોગ્રાફ કહેવામાં આવે છે. આ આધારે, રિક્ટર સ્કેલ દ્વારા ભૂકંપના મોજાઓની તીવ્રતા, ભૂકંપનું કેન્દ્ર અને ઊર્જા શોધી કાઢવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments