back to top
Homeગુજરાતકેદારનું મોત દુર્ઘટના નહિ, SMCની બેદરકારી:બાળકની અંતિમવિધિ કરાઈ, માતા-પિતાનું હૈયાફાટ રુદન, અધિકારી-કર્મચારી...

કેદારનું મોત દુર્ઘટના નહિ, SMCની બેદરકારી:બાળકની અંતિમવિધિ કરાઈ, માતા-પિતાનું હૈયાફાટ રુદન, અધિકારી-કર્મચારી વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો, 4ને નોટિસ

સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે વરસાદી ગટરના ખુલ્લા ઢાંકણામાંથી નીચે પડેલા બે વર્ષના એક માસૂમ બાળકે જીવ ગુમાવવો પડયો છે. 5 ફેબ્રુઆરીએ સાંજના 5 વાગ્યે વરસાદી ગટરમાં પડેલા બાળકનો 24 કલાક બાદ દોઢ કિલોમીટર દુર પમ્પિંગ સ્ટેશનમાં મૃતદેહ મળ્યો હતો. મૃતદેહ સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવાતા પરિવારે કસુરવાર અધિકારીઓ સામે ફરિયાદ ન નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કર્યો હતો. પરિવાર અને સમાજની આજીજી બાદ આક્રોશ સાથે ધરણા પર બેસતા આખરે અમરોલી પોલીસે પાલિકાના ગટર વિભાગના જવાબદાર અધિકારી-કર્મચારી વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો છે. ઘટનાના 40 કલાકથી વધુ સમય થયો હોવા છતાં કોર્પોરેશન અને પોલીસ તંત્ર ઘટનામાં જવાબદાર કોણ? તે નક્કી કરી શક્યું નથી. અત્યાર સુધીમાં મ્યુ. કમિશનર દ્વારા ચાર અધિકારીને માત્ર શો કોઝ નોટિસ અપાઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments