back to top
Homeસ્પોર્ટ્સકેરળ ક્રિકેટ એસોસિયેશને શ્રીસંત વિરુદ્ધ નોટિસ ફટકારી:કહ્યું- તે પ્લેયર્સનું રક્ષણ ન કરે;...

કેરળ ક્રિકેટ એસોસિયેશને શ્રીસંત વિરુદ્ધ નોટિસ ફટકારી:કહ્યું- તે પ્લેયર્સનું રક્ષણ ન કરે; શ્રીસંતે કહ્યું- હું ખેલાડીઓને સપોર્ટ કરીશ

કેરળ ક્રિકેટ એસોસિયેશન (KCA)એ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર એસ. શ્રીસંત સામે કારણદર્શક નોટિસ જારી કરવામાં આવી છે. KCAએ કહ્યું કે, આ નોટિસ સંજુ સેમસનને ટેકો આપવા બદલ નહીં, પરંતુ એસોસિયેશન વિરુદ્ધ ખોટા નિવેદનો આપવા બદલ જારી કરવામાં આવી છે. હકીકતમાં શ્રીસંતે સંજુ સેમસનને ડોમેસ્ટિક સિઝનની મેચમાં ન રમવા બદલ ટેકો આપ્યો હતો. KCA એ પોતાની પ્રેસ નોટમાં લખ્યું છે કે, શ્રીસંત જેવા વ્યક્તિ, જે એક સમયે સટ્ટાબાજીના કેસમાં સંડોવાયેલા છે, તેમણે ખેલાડીઓની સુરક્ષાની જવાબદારી ન લેવી જોઈએ. કેરળ ક્રિકેટ બોર્ડે તેમને એ પણ યાદ અપાવ્યું કે પ્રતિબંધ હટાવ્યા પછી કેરળ ક્રિકેટ જ શ્રીસંતને પાછો લાવ્યો હતો. શ્રીસંત પર સટ્ટાબાજીનો આરોપ હતો: KCA
કેરળ વેબસાઇટ ઓનલાઈન મનોરમા અનુસાર, KCA એ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, BCCI એ તેને મેચ ફિક્સિંગ અને સટ્ટાબાજીના કેસમાં દોષિત ઠેરવ્યો હતો, જેના કારણે તેના પર આજીવન પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે, પાછળથી BCCIએ તેને ઘટાડીને 7 વર્ષ કરી દીધો. બોર્ડે કહ્યું કે, કેરળ ક્રિકેટ એસોસિયેશને હંમેશા તેના ખેલાડીઓનું રક્ષણ કર્યું છે. શ્રીસંત પર સટ્ટાબાજીનો આરોપ હતો. જે ભારતીય ક્રિકેટનો એક કાળો અધ્યાય હતો. એસોસિયેશન ફક્ત પોતાના હિત માટે કામ કરી રહ્યું છે: શ્રીસંત
આ સમગ્ર વિવાદ પર, શ્રીસંતે મલયાલમ ન્યૂઝ ઓનલાઈન મનોરમાને કહ્યું કે તે તેના સાથી ખેલાડીઓ સાથે ઉભા રહેશે, પછી ભલે તે સંજુ સેમસન હોય, સચિન બેબી હોય કે નિધિશ હોય. તેમણે કેરળ ક્રિકેટ પર મલયાલી ખેલાડીઓને બદલે અન્ય રાજ્યોના ખેલાડીઓને પ્રાધાન્ય આપવાનો આરોપ લગાવ્યો, જેના કારણે સ્થાનિક ખેલાડીઓને નેશનલ ટીમમાં સ્થાન મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, સચિન બેબી ગયા ડોમેસ્ટિક સિઝનમાં બીજા ક્રમે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો, છતાં તેને દુલીપ ટ્રોફી ટીમમાં સ્થાન મળ્યું ન હતું. આ અંગે KCA કેમ ચૂપ હતા? આ એસોસિયેશન ફક્ત પોતાના હિત માટે કામ કરી રહ્યું છે. રણજીમાં પાછા ફરવાની તક મળી
કેરળ ક્રિકેટે શ્રીસંતને મુક્ત કર્યો, જેણે તેની સજા પૂર્ણ કરી હતી. તેને અગાઉ રણજી ટ્રોફી રમવાની તક આપવામાં આવી હતી. શ્રીસંતે તાજેતરમાં જ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે સંજુ પછી ભારતીય ટીમમાં કોણ આવ્યું. આના જવાબમાં, KCA એ મહિલા ક્રિકેટરો સજના સજીવન, મિનુમાની અને આશા શોબાનાનું નામ આપ્યું હતું. એસોસિયેશને એમ પણ કહ્યું કે કોઈપણ સ્તરે અનુશાસનહીનતાને સહન કરવામાં આવશે નહીં અને ખોટા નિવેદનો આપીને એસોસિયેશનની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરનાર કોઈપણ વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments