back to top
Homeભારત‘મફત રાશન-પૈસા મળે છે, એટલે લોકો કામ નથી કરતા’:ફ્રીબીઝ પર સુપ્રીમ કોર્ટની...

‘મફત રાશન-પૈસા મળે છે, એટલે લોકો કામ નથી કરતા’:ફ્રીબીઝ પર સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી, જરૂરિયાતમંદોને મુખ્ય પ્રવાહ સાથે જોડવાના પ્રયાસો કરવા જોઈએ

સુપ્રીમ કોર્ટે બુધવારે શહેરી ગરીબી નાબૂદીના કેસની સુનાવણી દરમિયાન કડક ટિપ્પણી કરી. કોર્ટે કહ્યું કે ફ્રીબીઝના કારણે લોકો કામ કરવાનું ટાળી રહ્યા છે. લોકોને કોઈ કામ કર્યા વિના પૈસા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં, તેમને મુખ્ય પ્રવાહમાં લાવવા એ પ્રાથમિકતા છે. કોઈ પણ કામ કર્યા વિના પૈસા મળી રહ્યા છે
જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ આર. જ્યોર્જ મસીહની બેન્ચે કહ્યું કે કમનસીબે આ મફત સુવિધાઓને કારણે લોકો કામ કરવાનું ટાળે છે. તેમને મફતમાં રાશન મળી રહ્યું છે. કોઈ પણ કામ કર્યા વિના પૈસા મળી રહ્યા છે. અમે લોકો પ્રત્યેની તમારી ચિંતાઓ સમજીએ છીએ, પરંતુ શું તે વધુ સારું નહીં હોય જો લોકોને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવે અને રાષ્ટ્રના વિકાસમાં તેમને યોગદાન આપવા દેવું જોઇએ. કેન્દ્ર સરકાર શહેરી ગરીબી નાબૂદી મિશનને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયામાં
આ દરમિયાન એટર્ની જનરલ આર. વેંકટરામણીએ બેન્ચને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર શહેરી ગરીબી નાબૂદી મિશનને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયામાં છે. આ મિશનમાં શહેરી બેઘર લોકોને આશ્રય આપવા સહિત વિવિધ મુદ્દાઓને સંબોધવાનો સમાવેશ થશે. કોર્ટે એટર્ની જનરલને સરકાર આ મિશન ક્યારે અમલમાં મૂકશે તે ચકાસવા કહ્યું. સુપ્રીમ કોર્ટે કેસની આગામી સુનાવણી છ અઠવાડિયા પછી નક્કી કરી છે. ગયા વર્ષે પણ SCએ મફત વસ્તુઓ સંબંધિત એક કેસમાં નોટિસ આપી હતી
અગાઉ, ગયા વર્ષે ઓક્ટોબરમાં પણ સુપ્રીમ કોર્ટે મફત વસ્તુઓ સંબંધિત એક કેસમાં કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને નોટિસ જારી કરી હતી અને જવાબ માંગ્યો હતો. તે અરજી ચૂંટણી દરમિયાન ફ્રીબીઝની જાહેરાત વિરુદ્ધ હતી. અરજદારે કોર્ટ પાસેથી ચૂંટણી પંચને નિર્દેશ આપવાની માગ કરી હતી કે રાજકીય પક્ષો ચૂંટણી પહેલા મફત વસ્તુઓના વચનો ન આપે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments