back to top
Homeમનોરંજનસમય રૈનાએ વરુણને તેના શોમાં આમંત્રણ આપ્યું હતું:રણવીર અલ્હાબાદિયાના પોડકાસ્ટમાં, એક્ટરે કહ્યું-...

સમય રૈનાએ વરુણને તેના શોમાં આમંત્રણ આપ્યું હતું:રણવીર અલ્હાબાદિયાના પોડકાસ્ટમાં, એક્ટરે કહ્યું- મારો બહિષ્કાર થઈ શકે છે

પેરેન્ટ પર અભદ્ર ટિપ્પણીઓના કેસ વચ્ચે, રણવીર અલ્હાબાદિયા અને અભિનેતા વરુણ ધવનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક્ટેરે ખુલાસો કર્યો છે કે સમય રૈનાએ તેમને તેમના શોમાં આમંત્રણ આપ્યું હતું. રણવીરના પોડકાસ્ટમાં વરુણે કહ્યું હતું કે – ‘તેણે (સમયે) મને શોમાં આવવા કહ્યું હતું. સાચું કહું તો, મને તેનો ભાગ બનવાનું ગમશે.’ ‘આ માટે મારો બહિષ્કાર પણ થઈ શકે છે, પણ મને તેનાથી ડર નથી. મારી ચિંતા એ છે કે આનાથી તેના શો પર નકારાત્મક અસર પડી શકે છે. આ પ્રકારની કોમેડીથી તમને જેટલું એટેન્શન મળે છે, ક્યારેક પ્રતિક્રિયા વિપરીત પણ આવે છે.’ રણવીરે કહ્યું- તમારે આ શોમાં જવું જોઈએ આના પર રણવીરે કહ્યું હતું- મને લાગે છે કે તમારે આ શોમાં જવું જોઈએ. જવાબમાં વરુણે કહ્યું- હું આ કોઈ પણ ખચકાટ વિના કરી શકું છું. મને મારી ચિંતા નથી. પરંતુ મને લાગે છે કે હું જે ટીમો સાથે કામ કરું છું તેમને આમાં મુશ્કેલી પડી શકે છે. જ્યારે હું કોઈ પણ વસ્તુનું પ્રમોશન ન કરતો હોઉ ત્યારે ત્યારે મારે આ શોમાં જવું જોઈએ. વિવાદ વધતાં યુટ્યુબ પરથી એપિસોડ દૂર કરવામાં આવ્યો ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ એ સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈનાનો શો છે, જે વિવાદનો સામનો કરી રહ્યો છે. આ એપિસોડ 8 ફેબ્રુઆરીના રોજ યુટ્યુબ પર રિલીઝ થયો હતો. જોકે, વિવાદ વધ્યા બાદ, આ એપિસોડને યુટ્યુબ પરથી દૂર કરવામાં આવ્યો છે. આ શોમાં માતા-પિતા અને મહિલાઓ વિશે એવી વાતો કહેવામાં આવી હતી, જેનો દિવ્ય ભાસ્કર અહીં ઉલ્લેખ કરી શકતું નથી. સમય રૈનાના આ શોમાં બોલ્ડ કોમેડી કન્ટેન્ટ છે. આ શોના વિશ્વભરમાં 7.3 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. આ શોના દરેક એપિસોડને યુટ્યુબ પર સરેરાશ 20 મિલિયનથી વધુ વ્યૂઝ મળે છે. સમય અને બલરાજ ઘાઈ સિવાય શોના દરેક એપિસોડમાં જજ બદલાતા રહે છે. દરેક એપિસોડમાં એક નવા સ્પર્ધકને પરફોર્મ કરવાની તક મળે છે. સ્પર્ધકને તેની પ્રતિભા દર્શાવવા માટે 90 સેકન્ડનો સમય આપવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments