વિક્કી કૌશલ અને રશ્મિકા મંદાનાની મચ અવેટેડ ફિલ્મ ‘છાવા’ આજે વેલેન્ટાઈન ડે પર રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં અક્ષય ખન્ના, ડાયના પેંટી, આશુતોષ રાણા, દિવ્યા દત્તા, વિનીત કુમાર સિંહની પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. લક્ષ્મણ ઉતેકર દ્વારા ડિરેક્ટડેટ આ ફિલ્મનું મેકિંગ દિનેશ વિજન દ્વારા મેડોક ફિલ્મ્સના બેનર હેઠળ કરવામાં આવ્યું છે. આ ફિલ્મની લંબાઈ 2 કલાક 41 મિનિટ અને 50 સેકન્ડ છે. દિવ્ય ભાસ્કરે તેને 5 માંથી 1.5 સ્ટાર આપ્યા. ફિલ્મની સ્ટોરી શું છે?
આ ફિલ્મ અજય દેવગનના અવાજમાં મુઘલો અને મરાઠાઓના ઇતિહાસની ઝલક સાથે શરૂ થાય છે. ઔરંગઝેબ (અક્ષય ખન્ના) ને સમાચાર મળે છે કે છત્રપતિ શિવાજી મહારાજ હવે નથી રહ્યા. આ સમાચારથી ઔરંગઝેબ ખૂબ ખુશ છે. ઔરંગઝેબ વિચારે છે કે હવે તે સરળતાથી મરાઠા સામ્રાજ્ય પર કબજો કરી લેશે. દરમિયાન, છત્રપતિ સંભાજી મહારાજ (વિક્કી કૌશલ) મુઘલોના સૌથી મૂલ્યવાન શહેર બુરહાનપુર પર હુમલો કરે છે અને ઔરંગઝેબની સેનાને હરાવે છે. આ હારથી ઔરંગઝેબ ગુસ્સે થાય છે અને ગુસ્સામાં તે મરાઠા સામ્રાજ્યનો નાશ કરવાની પ્રતિજ્ઞા લે છે. તે છત્રપતિ સંભાજી મહારાજને પકડવા માટે પોતાની વિશાળ સેના સાથે મરાઠા સામ્રાજ્ય તરફ કૂચ કરે છે. આ સમય દરમિયાન, સ્ટોરીમાં ઘણા રસપ્રદ વળાંક આવે છે. સ્ટાર કાસ્ટની એક્ટિંગ કેવી છે?
આખી સ્ટોરીમાં વિક્કી કૌશલના પાત્ર છત્રપતિ સંભાજી મહારાજ ઉર્ફે છાવાની આસપાસ ફરે છે. આ ફિલ્મમાં, વિક્કી કૌશલને એક મોટું ઐતિહાસિક પાત્ર ભજવવાની તક મળી, પરંતુ તેણે પોતાના ઓવર એક્ટિંગથી આ પાત્રની ગરિમાને કલંકિત કરી. થોડા સીન સિવાય, તે આખી ફિલ્મમાં ચીસો પાડતો અને બૂમો પાડતો જોવા મળે છે. છત્રપતિ સંભાજી મહારાજ જેવા બહાદુર યોદ્ધાના સારને તે યોગ્ય રીતે સમજી શક્યો નહીં. છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકામાં તે સૌથી ખરાબ દેખાતો હતો. તે જ સમયે, અક્ષય ખન્નાના પાત્રમાં ઊંડાણ છે. ફિલ્મમાં તેમના ડાયલોગ્સ ઓછા હોવા છતાં, જ્યારે તે બોલે છે, ત્યારે તે ખૂબ જ સંયમથી બોલે છે. તે ફક્ત તેના મૌનથી તેના દરેક દેખાવમાં ભય પેદા કરે છે. રશ્મિકા મંદાનાએ મહારાણી યેસુબાઈના પાત્રને ઊંડાણ આપ્યું છે. ડાયના પેંટી ઔરંગઝેબની પુત્રી ઝીનત-ઉન-નિસા બેગમની ભૂમિકા ભજવે છે. તેની એક્ટિંગ જોઈને એવું લાગે છે કે તેને એક્ટિંગ કરવા માટે મજબૂર કરી હોય. ફિલ્મનું ડિરેક્શન કેવું છે?
ફિલ્મના ડિરેક્શનની વાત કરીએ તો લક્ષ્મણ ઉતેકરે ફિલ્મમાં વિકી કૌશલને એવી રીતે રજૂ કરી છે જાણે કોઈ સાઉથ સિનેમામાં સ્ટાર ગર્જના કરી રહ્યો હોય. યુદ્ધના મેદાનમાં રાજા કેવી રીતે બોલતો, કેવી રીતે ચાલતો અને કેવી રીતે વર્તન કરતો. લક્ષ્મણ ઉતેકરને આ અંગે ઘણું સંશોધન કરવાની જરૂર હતી. આ ફિલ્મમાં આશુતોષ રાણાએ હંબિરરાવ મોહિતે, દિવ્યા દત્તાએ રાજમાતા અને વિનીત કુમાર સિંહે કવિ કલશની ભૂમિકા ભજવી છે. ફિલ્મની શરૂઆતમાં આ પાત્રો સમજી શકાતા નથી. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે મુઘલ સેના છત્રપતિ સંભાજી મહારાજને પકડીને ઔરંગઝેબ સમક્ષ લાવે છે અને તેમને ખૂબ જ ત્રાસ આપવામાં આવે છે. છત્રપતિ સંભાજી મહારાજ અને તેમના પત્ની મહારાણી યેસુબાઈ સાથે આગળ શું થાય છે. ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું નથી. ફિલ્મમાં આવી ઘણી અધૂરી સ્ટોરી રજૂ કરવામાં આવી છે. જે ઇતિહાસ જાણનારાઓ સારી રીતે સમજી શકે છે. ફિલ્મનું મ્યૂઝિક કેવું છે?
આ ફિલ્મનું મ્યૂઝિક ખૂબ જ સામાન્ય છે. યુદ્ધ દરમિયાન પૃષ્ઠભૂમિમાં વાગતું ગીત. તેને સાંભળીને એવું લાગે છે કે કોઈ કાન પાસે ઢોલ વગાડી રહ્યું છે. જ્યારે યુદ્ધ દરમિયાન, પૃષ્ઠભૂમિમાં વીરતાભર્યા ગીતો હોવા જોઈએ જે સાંભળવાથી નસોમાં ઉત્સાહ ભરાઈ જાય. ફિલ્મના બાકીના ગીતો પણ આવા નથી. જે ફિલ્મ જોયા પછી સ્મૃતિમાં રહે છે. ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર પણ સામાન્ય છે. અંતિમ ચુકાદો, જોવું જોઈએ કે નહીં?
જો તમને ઇતિહાસમાં થોડી પણ રુચિ હોય, તો ફિલ્મ જોયા પછી તમને છેતરાયાનો અનુભવ થશે. છતાં, જો તમે તેને એક અનુભવ તરીકે જોવા માગતા હો, તો થોડો સમય રાહ જુઓ. તેને OTT પ્લેટફોર્મ પર જોવું વધુ સારું રહેશે. આનાથી તમારા પૈસા અને સમય બંનેની બચત થશે.