back to top
Homeગુજરાતમોરબીમાં વ્યાજખોરનો આતંક:1 લાખના 70 હજાર વ્યાજ ચૂકવ્યા છતાં 1.70 લાખની માગણી,...

મોરબીમાં વ્યાજખોરનો આતંક:1 લાખના 70 હજાર વ્યાજ ચૂકવ્યા છતાં 1.70 લાખની માગણી, યુવાનને જાનથી મારી નાખવાની ધમકી

મોરબીમાં વ્યાજખોરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક યુવાન પર વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. નાની વાવડી રોડ પર બાપા સીતારામની મઢુલી પાસે ભક્તિનગરમાં રહેતા હર્ષદભાઈ મનુભાઈ કંઝારીયા (28)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, હર્ષદભાઈએ કાલિકા પ્લોટ દરગાહ પાસે રહેતા કૃણાલ શાહ પાસેથી 30 ટકાના વ્યાજે એક લાખ રૂપિયા લીધા હતા. આ રકમ સામે તેમણે વ્યાજ પેટે 70,000 રૂપિયા ચૂકવી દીધા હતા. આમ છતાં, આરોપી કૃણાલ શાહે તેમની પાસેથી 1.70 લાખ રૂપિયાની વધારાની માગણી કરી હતી. ઘટના ત્યારે બની જ્યારે હર્ષદભાઈ વાવડી રોડથી પંચાસર રોડ તરફ જતા કાચા રસ્તે અભિનવ સ્કૂલ પાસેથી પસાર થઈ રહ્યા હતા. આરોપીએ તેમને રોકીને બળજબરીપૂર્વક પૈસાની ઉઘરાણી કરી અને ગાળાગાળી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીની ધરપકડ માટેની કાર્યવાહી શરૂ કરી છે. એ ડિવિઝનના PSI એન.એ.ગઢવી આ કેસની તપાસ કરી રહ્યા છે. આ ઘટના વ્યાજખોરીની સમસ્યાની ગંભીરતા દર્શાવે છે, જ્યાં સામાન્ય નાગરિકોને ઊંચા વ્યાજદર અને ધમકીનો સામનો કરવો પડે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments