back to top
Homeભારતઅયોધ્યા રામમંદિર ઉપર ઉડી રહેલા ડ્રોનને તોડી પાડ્યું:ભીડ ઉપર ઉડતું હતું; પોલીસને...

અયોધ્યા રામમંદિર ઉપર ઉડી રહેલા ડ્રોનને તોડી પાડ્યું:ભીડ ઉપર ઉડતું હતું; પોલીસને શંકા- નાસભાગ મચાવવાનું કાવતરું હોઈ શકે

અયોધ્યાના રામમંદિર પરિસરમાં ભીડ વચ્ચે ઉડતું ડ્રોન તોડી પાડવામાં આવ્યું છે. સોમવારે સાંજે ડ્રોન ગેટ નંબર 3 પર ઉડતું પહોંચ્યું હતું. તે સમયે રામલલાના દર્શન માટે ભારે ભીડ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર એન્ટી-ડ્રોન સિસ્ટમે ડ્રોનને તોડી પાડ્યું. આ પછી સુરક્ષા કર્મચારીઓ સતર્ક થઈ ગયા. બોમ્બ સ્ક્વોડ ટીમને બોલાવવામાં આવી. ડ્રોનનું નિરીક્ષણ કરવામાં આવ્યું. ડ્રોન કેમેરા ઉડાડનાર વ્યક્તિની શોધ ચાલી રહી છે. અયોધ્યા પોલીસને શંકા છે કે આ ભાગદોડ મચાવવાનું કાવતરું હોઈ શકે છે. કારણ કે, રામમંદિર વિસ્તારમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ છે. મંદિર ઉપરથી વિમાનો પણ ઉડવાની મંજૂરી નથી. પોલીસે પોતે FIR દાખલ કરી, કહ્યું- ભાગદોડ મચાવવાનું કાવતરું હોઈ શકે
અયોધ્યામાં કટરા ચોકીના ઇન્ચાર્જ સુનિલ કુમારે આ મામલે રામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. આમાં તેમણે કહ્યું- 17 ફેબ્રુઆરીએ સાંજે 7 વાગ્યે રામમંદિર પરિસરમાં ડ્યુટી પોઈન્ટ, બેચિંગ પ્લાન્ટ પાસે કોઇ અજાણ્યા વ્યક્તિએ ડ્રોન કેમેરાને પ્રતિબંધિત વિસ્તારમાં ઉડાવીને જાણી જોઈને નીચે પાડી દીધું હતું. મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને ડ્રોનને નીચે પાડવામાં આવ્યું હોવાની શંકા છે. જેથી મંદિર પરિસરમાં નાસભાગ મચી શકે છે અને જાનહાનિ થઈ શકે છે. મહાકુંભને કારણે આ સમયે મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે. 2.5 કિમીની ત્રિજ્યામાં ઉડતા ડ્રોનને નીચે પાડી દે છે એન્ટી-ડ્રોન સિસ્ટમ
આ કેસમાં સીઓ અયોધ્યા આશુતોષ તિવારીએ જણાવ્યું હતું કે ડ્રોન નજીકના કોઈ લગ્ન સમારોહ સાથે સંબંધિત હોઈ શકે છે. રામમંદિરની એન્ટી-ડ્રોન સિસ્ટમ 2.5 કિમીની ત્રિજ્યામાં ઉડતા કોઈપણ ડ્રોનને પોતાની તરફ ખેંચી લે છે. આ કેસમાં શું થયું છે? તેની ચકાસણી કરવામાં આવી રહી છે. રામમંદિરની આસપાસ ડ્રોન ઉડાડવાની પરવાનગી નથી
રામમંદિર અને તેની આસપાસ ડ્રોન પર પ્રતિબંધ છે. ડ્રોન ઉડાડવા માટે વહીવટીતંત્રની પરવાનગી લેવી પડે છે. રામમંદિર ઉપર વિમાન ઉડાડવાની પણ મંજૂરી નથી. રામમંદિરની સુરક્ષાની જવાબદારી SSF એટલે કે સ્પેશિયલ સિક્યુરિટી ફોર્સના હાથમાં છે. મંદિરની સુરક્ષા માટે 200 સૈનિકો તહેનાત છે. અયોધ્યામાં NSG હબ બનાવવાની તૈયારી
22 જાન્યુઆરી, 2024એ રામલલ્લાની પ્રાણ-પ્રતિષ્ઠા પછી દરરોજ લગભગ 1.5 લાખ ભક્તો દર્શન માટે આવે છે. મંદિર પર આતંકવાદી હુમલાની પણ ધમકીઓ મળતી રહે છે. આવી સ્થિતિમાં, અયોધ્યાની સુરક્ષાને સંપૂર્ણપણે મજબૂત બનાવવા માટે અહીં NSG હબ બનાવવાની યોજના છે. NSG યુનિટ વિશિષ્ટ શસ્ત્રો અને એન્ટી ડ્રોન ટેકનોલોજીથી સજ્જ હશે. મંદિર પરિસરમાં 11 કરોડ રૂપિયાના ખર્ચે એક ઈન્ટીગ્રેટેડ કંટ્રોલ સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે. જેમાં પોલીસ, સીઆરપીએફ, એસએસએફ અને ગુપ્તચર સંસ્થાઓ માટે બેઠક વ્યવસ્થા હશે. મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી ચૂકી છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments