કરણ જોહરે તાજેતરમાં જ તેમના પિતા યશ જોહર વિશે વાત કરી. તેણે કહ્યું કે ફિલ્મ ‘અગ્નિપથ’ (1990) ની નિષ્ફળતા પછી, તેમને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું, જેના કારણે મારા પિતા દુઃખી થઈ ગયા હતા. જોકે, પિતાના હસ્તકલા બિઝનેસે કોઈક રીતે પરિવારની પરિસ્થિતિ સંભાળી. એક ઈન્ટરવ્યૂમાં વાતચીત કરતા, કરણ જોહરે તેના પિતાના હસ્તકલા બિઝનેસ વિશે વાત કરી. તેણે કહ્યું કે જ્યારે ધર્મા પ્રોડક્શન્સ મુશ્કેલીમાં હતું. ફિલ્મો સતત નિષ્ફળ રહી હતી, જેના કારણે અમે ગમે ત્યારે બેઘર થઈ શક્યા હોત. પરંતુ તે જ સમયે મારા પિતાના હસ્તકલા બિઝનેસે પરિવારની પરિસ્થિતિને ટેકો આપ્યો. ભલે ધંધો બહુ નફાકારક ન હતો, પણ તે અમારી ઢાલ બન્યો. કરણ જોહરે કહ્યું, દુનિયા (1984), મુકદ્દર કા ફૈસલા (1987) અને અગ્નિપથ (1990) મોટા બજેટની ફિલ્મો હતી. આ ફિલ્મોમાં હીરો અને ડિરેક્ટર બંને ફેમસ નામ ધરાવતી હસતીઓ હતા. પણ જ્યારે ‘અગ્નિપથ’ ફ્લોપ ગઈ, ત્યારે મારા પિતા ખરેખર દુઃખી થઈ ગયા. તેમને વિશ્વાસ હતો કે આ ફિલ્મ તેમને તે સ્તરે લઈ જશે જે સુધી પહોંચવાની તેમની ઈચ્છા હતી. કરણ જોહરના મતે, ફિલ્મ ‘ગુમરાહ’ 1993માં રિલીઝ થઈ હતી, જે બિલકુલ ઠીક હતી. પરંતુ 1998ની ફિલ્મ ‘ડુપ્લિકેટ’ ફ્લોપ ગઈ. જોકે, તે જ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ સુપરહિટ સાબિત થઈ. આ ફિલ્મે માત્ર બધા સ્ટાર્સની કારકિર્દીને વેગ મળ્યો એટલું જ નથી પરંતુ ત્યારના સમયની સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મોમાંની એક પણ બની. ડિરેક્ટરની દુનિયામાં નામ કમાયું
કરણે 1998માં રિલીઝ થયેલી ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’થી ડિરેક્ટરની દુનિયામાં પ્રવેશ કર્યો. શાહરુખ ખાન, કાજોલ અને રાની મુખર્જી અભિનીત આ ફિલ્મે તેમને સફળતાનો સ્વાદ ચાખ્યો. આ ફિલ્મ માટે તેમને બેસ્ટ ડિરેક્ટર અને બેસ્ટ પટકથા માટે ફિલ્મફેર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ પછી,2001માં તેમને ડિરેક્શનમાં બનેલી ‘કભી ખુશી કભી ગમ’ અને 2006 માં ‘કભી અલવિદા ના કહેના’ રિલીઝ થઈ. આ ફિલ્મો બોક્સ ઓફિસ પર પણ સફળ રહી હતી. 2010માં, તેમને તેમની ફિલ્મ ‘માય નેમ ઇઝ ખાન’ માટે બીજી વખત બેસ્ટ ડિરેક્ટરનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો. આ બધી ફિલ્મો તેમના બેનર ‘ધર્મ પ્રોડક્શન્સ’ હેઠળ બનાવવામાં આવી હતી. પ્રોડ્યુસર તરીકે પણ કરણ છવાયો
2004માં તેના પિતા યશ જોહરના અવસાન પછી, કરણે ધર્મા પ્રોડક્શન્સની બાગડોર સંભાળી. પ્રોડ્યુસર તરીકે, તેની ઘણી ફિલ્મો રિલીઝ થઈ છે, જેમાં ખાસ કરીને ‘કલ હો ના હો’, ‘દોસ્તાના’, ‘આઈ હેટ લવ સ્ટોરી’, ‘અગ્નિપથ’ અને ‘યે જવાની હૈ દીવાની’નો સમાવેશ થાય છે.