પ્રયાગરાજ મહાકુંભમાં ગંગા-યમુનાના સંગમ પર સ્નાન ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 54 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ અમૃત સ્નાન કર્યું છે. આ દરમિયાન સેન્ટ્રલ પોલ્યૂશન કંટ્રોલ બોર્ડ (CPCB) નો એક અહેવાલ આવ્યો છે જેમાં જણાવાયું છે કે બંને નદીઓનું પાણી સ્નાન કરવા યોગ્ય નથી. CPCBએ 17 ફેબ્રુઆરીના રોજ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી) ને પોતાનો અહેવાલ સુપરત કર્યો. CPCB એ 9 થી 21 જાન્યુઆરી દરમિયાન પ્રયાગરાજમાં કુલ 73 અલગ અલગ સ્થળોએથી નમૂનાઓ એકઠા કર્યા. હવે તેમની તપાસના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. ગંગા અને યમુના નદીઓના પાણી અંગે સેન્ટ્રલ પોલ્યૂશન કંટ્રોલ બોર્ડના અહેવાલમાં શું કહેવામાં આવ્યું છે તે આ રિપોર્ટમાં વાંચો- 6 સ્તરે ગંગા અને યમુના નદીના પાણીની તપાસ થઈ તેમાં પીએચ એટલે પાણી કેટલું એસિડિક અથવા ક્ષારવાળું છે, ફીકલ કોલીઓર્મ, BOD એટલે બાયોકેમિકલ ઓક્સીજન ડિમાન્ડ, COD એટલે કેમિકલ ઓક્સીજન ડિમાન્ડ અને ડિઝોલ્બડ ઓક્સીજન સામેલ છે. આ છ સ્તરે જેટલી જગ્યાએથી સેમ્પલ લેવામાં આવ્યા છે તેમાંથી મોટાભાગનામાં ફીકલ કોલીફોર્મ બેક્ટેરિયાની માત્રા વધારે જોવા મળી છે. આ સિવાય 5 અન્ય સ્તરે પણ પાણીની ગુણવત્તા ધોરણ મુજબ છે. જિલ્લામાં બધા સેમ્પલ પોઇન્ટ પર ફીકલ કોલીફોર્મ બેક્ટેરિયા નિર્ધારિત ધોરણથી ઉપર
નદીના પાણીમાં ફેકલ કોલિફોર્મ નામનો બેક્ટેરિયા જોવા મળે છે. સામાન્ય સ્થિતિમાં, એક મિલીલીટર પાણીમાં 100 બેક્ટેરિયા હોવા જોઈએ. પરંતુ અમૃત સ્નાનના એક દિવસ પહેલા, યમુના નદીના નમૂનામાં ફેકલ કોલિફોર્મ 2300 મળી આવ્યું હતું. સંગમની આસપાસની પરિસ્થિતિ વધુ ખરાબ છે
સંગમમાંથી લેવામાં આવેલા નમૂનામાં, એક મિલી પાણીમાં ફેકલ કોલિફોર્મ બેક્ટેરિયાની સંખ્યા 100ને બદલે 2000 જોવા મળી. તેવી જ રીતે કુલ ફેકલ કોલિફોર્મ 4500 છે. ગંગા પરના શાસ્ત્રી પુલ પરથી લેવામાં આવેલા નમૂનામાં ફેકલ કોલિફોર્મ બેક્ટેરિયા 3200 અને કુલ ફેકલ કોલિફોર્મ 4700 છે. સંગમથી દૂરના વિસ્તારમાં બંનેની સંખ્યા ઓછી છે. ફાફામાઉ ક્રોસિંગ નજીકથી લેવામાં આવેલા નમૂનામાં, એક મિલીલીટર પાણીમાં 100 ને બદલે 790 ફેકલ કોલિફોર્મ બેક્ટેરિયા મળી આવ્યા હતા. તેવી જ રીતે, રાજાપુર મેહદૌરીમાં તે 930 મળી આવ્યા. ઝુસીમાં છટનાગ ઘાટ અને ADA કોલોની નજીક તેનો જથ્થો 920 મળી આવ્યો હતો. નૈનીમાં અરૈલ ઘાટ પાસે તે 680 હતા. રાજાપુરમાં તે 940 જોવા મળ્યા. આવી સ્થિતિમાં, સેન્ટ્રલ પોલ્યૂશન કંટ્રોલ બોર્ડના ધોરણો અનુસાર, તે C શ્રેણીમાં આવે છે. એવામાં પાણીને પ્યૂરિફિકેશન વિના અને ડિસઇન્ફેક્ટ કર્યા વિના નાહવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય નહીં. ફેકલ કોલિફોર્મ બેક્ટેરિયાનું વધુ પડતું સ્તર રોગોનું કારણ બને છે
બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ગંગા નદી પર સંશોધન કરતા પ્રોફેસર બીડી ત્રિપાઠી કહે છે કે જે પાણીમાં ધોરણ કરતાં વધુ ફેકલ કોલિફોર્મ બેક્ટેરિયા હોય છે તે કોઈપણ ઉપયોગ માટે યોગ્ય રહેશે નહીં. જો આ પાણી શરીરમાં જાય તો તે રોગોનું કારણ બનશે. જો આવા પાણીમાં સ્નાન કરવામાં આવે કે પીવામાં આવે તો તેનાથી ચામડીના રોગ થઈ શકે છે. ગંગા અને યમુનાના પાણીનું 6 પરિમાણો પર પરીક્ષણ કરવામાં આવ્યું
સેન્ટ્રલ પોલ્યૂશન કંટ્રોલ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા અહેવાલમાં, ગંગા અને યમુના નદીઓના પાણીનું કુલ 6 પરિમાણો પર પરીક્ષણ કરવામાં આવ્યું છે. તેમાં પીએચ એટલે પાણી કેટલું.
ક્ષારવાળું છે, ફીકલ કોલફોર્મ, BOD એટલે બાયોકેમિકલ ઓક્સીજન ડિમાન્ડ, COD એટલે કેમિકલ ઓક્સીજન ડિમાન્ડ અને ડિઝોલ્બ્ડ ઓક્સીજન સામેલ છે.
આ 6 સ્તરે જેટલી જગ્યાએથી સેમ્પલ લેવામાં આવ્યા છે તેમાં ફીકલ કોલીઆર્મ બેક્ટેરિયાની માત્રા ધોરણો કરતા વધુ મળી આવી છે. આ સિવાય અન્ય 5 સ્તરે પાણીની ગુણવત્તા ધોરણ અનુરૂપ છે. 2019ના કુંભામાં પણ આવી જ સ્થિતિ હતી
2010ના કુંભમાં પણ આવી જ સ્થિતિ હતી. સીપીસીબીના અહેવાલમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું છે કે સ્નાનના મુખ્ય દિવસોમાં પણ પાણીની ગુણવત્તા નબળી હતી. 2019ના કુંભ મેળા દરમિયાન 13 કરોડથી વધુ ભક્તોએ સ્નાન કર્યું હતું. રિપોર્ટ અનુસાર, કરસર ઘાટ પર BOD અને ફેકલ કોલિફોર્મનું સ્તર સ્વીકાર્ય મર્યાદાથી ઉપર જોવા મળ્યું. મુખ્ય સ્નાન દિવસોમાં, સાંજ કરતાં સવારે BOD સ્તર નોંધપાત્ર રીતે વધારે હતું.