back to top
Homeસ્પોર્ટ્સસુપર ઓવર પણ ટાઈ થઈ તો શું થશે?:પાકિસ્તાનમાં 1996 પછી ICC ટુર્નામેન્ટ...

સુપર ઓવર પણ ટાઈ થઈ તો શું થશે?:પાકિસ્તાનમાં 1996 પછી ICC ટુર્નામેન્ટ યોજાશે; 16 સવાલોમાં ટુર્નામેન્ટ વિશે જાણો બધું જ

આજથી ICC ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થવા જઈ રહી છે. પાકિસ્તાનને 29 વર્ષ પછી ICC ટુર્નામેન્ટના હોસ્ટિંગ રાઇટ્સ મળ્યા છે. અહીં છેલ્લો વન-ડે વર્લ્ડ કપ 1996માં યોજાયો હતો. ઓપનિંગ મેચ બપોરે 2.30 વાગ્યે યજમાન પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફી પાર્ટ- 3: 16 સવાલોની મદદથી ટુર્નામેન્ટ વિશે બધું જાણો… 1. ફોર્મેટ શું છે?
આ ટુર્નામેન્ટ 8 ટીમ વચ્ચે ODI ફોર્મેટમાં રમાશે. 4 ટીમને 2 ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. ગ્રૂપ સ્ટેજમાં એક ટીમ 3 મેચ રમશે. ગ્રૂપ સ્ટેજના અંત પછી, બંને ગ્રૂપમાંથી પોઇન્ટ્સ ટેબલમાં ટોચના 2 સ્થાનો પર રહેલી ટીમ સેમિફાઈનલમાં પ્રવેશ કરશે. સેમિફાઈનલ જીતનારી બે ટીમ વચ્ચે ફાઈનલ રમાશે. 2. કઈ ટીમ કયા ગ્રૂપમાં છે?
ગ્રૂપ-A માં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ છે. ગ્રૂપ-Bમાં ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, અફઘાનિસ્તાન અને સાઉથ આફ્રિકાનો સમાવેશ થાય છે. 3. નોકઆઉટ સ્ટેજ ક્યારે શરૂ થશે?
2 માર્ચ સુધી 12 ગ્રૂપ સ્ટેજ મેચ રમાશે. બંને ગ્રૂપમાં 6-6 મેચ રમાશે. પહેલી સેમિફાઈનલ 4 માર્ચે અને બીજી 5 માર્ચે રમાશે. ફાઈનલ 9 માર્ચે યોજાશે. 4. મેચ કેટલા સ્થળોએ રમાશે?
મેચ પાકિસ્તાનમાં 3 સ્થળોએ અને UAEમાં 1 સ્થળે રમાશે. ગ્રૂપ સ્ટેજમાં, ચાર સ્થળોએ 3-3 મેચ રમાશે; કરાચી, લાહોર, રાવલપિંડી અને દુબઈ. ભારત પોતાની ત્રણેય મેચ દુબઈમાં રમશે. જો ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચે છે, તો એક સેમિફાઈનલ અને ટાઇટલ મેચ પણ દુબઈમાં યોજાશે. જ્યારે બીજી સેમિફાઈનલ લાહોરમાં રમાશે. 5. મેચ કેટલા વાગ્યે શરૂ થશે?
બધી મેચ ભારતીય સમય મુજબ બપોરે 2.30 વાગ્યે શરૂ થશે. 19 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી ગ્રૂપ સ્ટેજમાં દરરોજ એક મેચ રમાશે. 6. જો મેચ ટાઇ થાય તો શું?
જો ગ્રૂપ સ્ટેજમાં મેચ ટાઈ થાય એટલે કે બંને ટીમ પોતપોતાની ઇનિંગ્સમાં સમાન રન બનાવે છે, તો પછી નિર્ણય સુપર ઓવરથી લેવામાં આવશે. બંને ટીમ એક-એક ઓવર માટે બેટિંગ કરશે, જે ટીમ વધુ રન બનાવશે તે વિજેતા બનશે. 7. જો સુપર ઓવર પણ ટાઈમાં સમાપ્ત થાય તો શું?
બીજી સુપર ઓવર થશે. પરિણામ ન આવે ત્યાં સુધી સુપર ઓવર ચાલુ રહેશે. જો વરસાદને કારણે સુપર ઓવર ન રમાય તો મેચ ટાઈ ગણવામાં આવશે અને બન્ને ટીમને 1-1 પોઇન્ટ આપવામાં આવશે. 8. જો મેચ દરમિયાન વરસાદ પડે તો શું?
જો વરસાદ પડશે તો નિર્ણય DLS એટલે કે ડકવર્થ લુઈસ સ્ટર્ન પદ્ધતિથી લેવામાં આવશે. જોકે, આ માટે એક શરત પણ છે. DLS પદ્ધતિનો ઉપયોગ કરવા માટે, બીજી ઇનિંગમાં ઓછામાં ઓછી 20 ઓવર રમવી આવશ્યક છે. DLS પદ્ધતિ હેઠળ, જો ઓવરની સંખ્યા ઓછી હોય, તો રનચેઝ કરતી ટીમને રિવાઇઝ્ડ એટલે કે એક નવો ટાર્ગેટ મળે છે. 9. જો ટૉસ ન થઈ શકે તો શું?
ગ્રૂપ સ્ટેજમાં, જો વરસાદને કારણે નિર્ધારિત દિવસે મેચ ન રમાય, તો તેને નિષ્કર્ષ વિનાની ગણવામાં આવશે. એટલે કે બન્ને ટીમને 1-1 પોઈન્ટ મળશે. જ્યારે પરિણામના કિસ્સામાં, વિજેતા ટીમને 2 પોઇન્ટ્સ મળે છે અને હારનાર ટીમને કોઈ પોઇન્ટ મળતો નથી. 10. જો નોકઆઉટ મેચ પણ વરસાદમાં ધોવાઈ જાય તો શું થશે?
સેમિફાઈનલ અને ફાઈનલ માટે રિઝર્વ ડે રાખ્યો છે. બંને સેમિફાઈનલ 4 અને 5 માર્ચે યોજાવાના છે. જો વરસાદને કારણે મેચ નિર્ધારિત તારીખે ન રમાઈ શકે, તો મેચ બીજા દિવસે એટલે કે રિઝર્વ ડે પર રમાશે. ફાઈનલ માટે 10 માર્ચનો દિવસ રિઝર્વ ડે તરીકે રાખ્યો છે. 11. જો રિઝર્વ ડે પર પણ નિર્ણય ન આવી શક્યો તો શું થશે?
જો રિઝર્વ ડે પર પણ સેમિફાઈનલનું પરિણામ નક્કી ન થાય, તો ગ્રૂપ સ્ટેજના પોઇન્ટ્સ ટેબલમાં ટોચ પર રહેનારી ટીમ વિજેતા બનશે. જો ફાઈનલનું પરિણામ રિઝર્વ ડેમાં નક્કી ન થાય તો પોઇન્ટ્સ ટેબલને પ્રાથમિકતા આપવામાં આવશે નહીં. આ સ્થિતિમાં, ફાઈનલ રમી રહેલી બે ટીમ વચ્ચે ટ્રોફી વહેંચવામાં આવશે. 12. ચેમ્પિયનને શું મળશે?
ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં ICC એ ઈનામની રકમ વધારવાનો નિર્ણય લીધો. બધી ટીમને કુલ 60 કરોડ રૂપિયા મળશે. વિજેતા ટીમને લગભગ 20 કરોડ રૂપિયા મળશે, જ્યારે રનર-અપ ટીમને લગભગ 10 કરોડ રૂપિયા મળશે. આ વખતે, સેમિફાઈનલમાં હારનારી બંને ટીમને લગભગ 5 કરોડ રૂપિયા આપવામાં આવશે. 13. વોર્મ-અપ મેચ ક્યારે યોજાઈ હતી?
14, 16 અને 17 ફેબ્રુઆરીના રોજ 4 ટીમ વચ્ચે ફક્ત 4 વોર્મ-અપ મેચ રમાઈ હતી. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન-A વચ્ચેની પહેલી મેચ 14 ફેબ્રુઆરીના રોજ રમાઈ હતી. અફઘાનિસ્તાન-ન્યૂઝીલેન્ડ વચ્ચે 16 ફેબ્રુઆરીએ મેચ રમાઈ હતી. 17 ફેબ્રુઆરીના રોજ, બાંગ્લાદેશ અને સાઉથ આફ્રિકા પાકિસ્તાન-A ની બે અલગ અલગ ટીમનો સામનો કરી રહ્યા હતા. 14. ભારતના મેચ ક્યારે યોજાશે?
ટીમ ઈન્ડિયા ગ્રૂપ-Aમાં છે. ભારતનો પહેલો મુકાબલો 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે, બીજો મુકાબલો 23 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે અને ત્રીજો મુકાબલો 2 માર્ચે ન્યૂઝીલેન્ડ સામે રમાશે. ટીમની બધી મેચ દુબઈમાં રમાશે. જો ટીમ સેમિફાઈનલમાં પહોંચે છે, તો મેચ 4 માર્ચે દુબઈમાં રમાશે. 15. ટીમ ઈન્ડિયામાં કયા ખેલાડીઓ છે?
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઇસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી અને મોહમ્મદ શમી. ટ્રાવેલિંગ રિઝર્વ: યશસ્વી જયસ્વાલ, મોહમ્મદ સિરાજ અને શિવમ દુબે. 16. ટુર્નામેન્ટ ક્યાં જોઈ શકાશે?
​​​​​​​ટુર્નામેન્ટના બ્રોડકાસ્ટિંગ રાઇટ્સ સ્ટાર પાસે છે. ભારતમાં દર્શકો સ્ટાર સ્પોર્ટ્સ, સ્પોર્ટ્સ18 અને ઓટીટી પ્લેટફોર્મ જિયો-હોટસ્ટાર પર ટીવી પર મેચ જોઈ શકે છે. તમે દિવ્ય ભાસ્કર એપ પર ટુર્નામેન્ટના લાઇવ સ્કોર્સ, લાઇવ કવરેજ, મોમેન્ટ્સ, રેકોર્ડ્સ, એનાલિસિસ અને ઇન્ડેપ્થ સ્ટોરીઝ પણ વાંચી શકશો. ———————————– ચેમ્પિયન્સ ટ્રોફીની આ સ્ટોરીઝ પણ વાંચો… ચેમ્પિયન્સ ટ્રોફી પાર્ટ- 1 6 પેરામીટર્સમાં સૌથી મજબૂત ટીમ કઈ એ સમજો ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. ભારત સહિત વિશ્વની ટોચની 8 ODI ટીમ આમાં ભાગ લેશે, પરંતુ તેમાંથી સૌથી મજબૂત ટીમ કઈ છે? આ સવાલનો જવાબ આપણે ચેમ્પિયન્સ ટ્રોફી સિરીઝ પાર્ટ-1માં જાણીશું. અમે સૌથી મજબૂત ટીમને ઓળખવા માટે 6 પેરામીટર્સ નક્કી કર્યા છે. સંપૂર્ણ સમાચાર વાંચો… ચેમ્પિયન્સ ટ્રોફી પાર્ટ- 2 શું ચેમ્પિયન્સ ટ્રોફીનું ભવિષ્ય ખતરામાં છે? ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી પાકિસ્તાન અને UAEમાં રમાશે. દર 4 વર્ષે યોજાતી આ ICC ટુર્નામેન્ટ 8 વર્ષ પછી ફરી એકવાર રમાઈ રહી છે. 2029માં, આ ટુર્નામેન્ટ ભારતમાં જ રમાશે. જોકે, તે સ્પષ્ટ નથી કે આ 50 ઓવરની ટુર્નામેન્ટ રમાશે કે નહીં.​​​​​​​ સંપૂર્ણ સમાચાર વાંચો…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments