back to top
Homeમનોરંજન'મારો સમય ખરાબ છે, પણ યાદ રાખજો હું 'સમય' છું':લેટેન્ટ શોનાં વિવાદ...

‘મારો સમય ખરાબ છે, પણ યાદ રાખજો હું ‘સમય’ છું’:લેટેન્ટ શોનાં વિવાદ પર સમય રૈનાની પહેલી પ્રતિક્રિયા, લાઈવ શોમાં ઇમોશનલ થયો કોમેડિયન

‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ શો’માં અશ્લીલ કોમેન્ટ થવાનાં કારણે સમય રૈના વિવાદોમાં ઘેરાયેલો છે. વિવાદ પછી, સમયે કેનેડામાં પોતાનો પહેલો શો કર્યો. આ શો દરમિયાન, સમયે પહેલીવાર શોના વિવાદ અંગે પ્રતિક્રિયા આપી છે. પ્રેક્ષકો સાથે વાતચીત કરતી વખતે, કોમેડિયને કહ્યું- એવું લાગે છે કે મારો સમય ખરાબ ચાલી રહ્યો છે, પણ યાદ રાખો કે હું જ સમય છું. સમય રૈનાએ શોના વિવાદ પર પહેલી પ્રતિક્રિયા આપી
સમય રૈના હાલમાં તેના સ્ટેન્ડ-અપ શો સમય રૈના અનફિલ્ટર્ડ માટે કેનેડાના પ્રવાસ પર છે. તાજેતરમાં તેણે કેનેડાના એડમોન્ટનમાં માયર હોરોવિટ્ઝ થિયેટરમાં પરફોર્મ કર્યું. ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, સમયે તેના શોમાં કહ્યું- આ શોમાં ઘણી એવી ક્ષણો આવશે જ્યાં તમને લાગશે કે હું ખરેખર કંઈક ફની કહી શકું છું, પણ ત્યારે બીયર બાયસેપ્સને યાદ કરી લેજો ભાઈ. સમય આગળ કહે છે, ‘કદાચ મારો સમય ખરાબ ચાલી રહ્યો છે, પણ યાદ રાખજો મિત્રો, હું સમય છું’ લાઈવ શોમાં ઇમોશનલ થયો કોમેડિયન
કેનેડામાં સ્ટેન્ડ-અપ કરતી વખતે કોમેડિયન સમય રૈનાએ ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ના વિવાદ વિશે મજાક કરી લોકોને હસાવ્યા હતા. સમયે મજાકમાં આ વિવાદનો ઉલ્લેખ કર્યો અને ઓડિયન્સ કહ્યું કે તમે ટિકિટ ખરીદેને મારા વકીલની ફી ચૂકવવી તે બદલ તમારો આભાર.

શોમાં હાજર શુભમ દત્ત નામના એક ફેન્સે પોતાના ફેસબુક પર પોતાનો અનુભવ શેર કર્યો. દત્તે લખ્યું, પહેલી વાર, મેં એક 25 વર્ષીય યુવકને, મેન્ટલ પ્રેશર, આંખોમાં ડાર્ક સર્કલ, ઊતરેલો ચહેરો અને વીખાયેલા વાળ સાથે સ્ટેજ પર આવતા જોયો છે. માઈકમાં તેના પહેલા શબ્દો હતા, મારા વકીલની ફી ચૂકવવા બદલ તમારો આભાર. શુભમે વધુમાં કહ્યું કે, ત્યાં હાજર 700 લોકોને હસાવી અને તેમને ઉત્સાહિત કરનારની આંખમાં સેટ શરૂ થતાં પહેલાં આંસુ જોવા મળ્યા હતા. સરકાર મહાકુંભ દરમિયાન થયેલા મૃત્યુ પરથી ધ્યાન હટાવવા માગે
સિંગર વિશાલ દદલાણી શો અને સમય રૈનાનો બચાવ કરતા જોવા મળ્યા. વિશાલે સમયના પક્ષમાં ઇન્સ્ટાગ્રામ પર એક વાર્તા શેર કરી. તેનું કહેવું છે કે આ મુદ્દાને આટલું મહત્ત્વ આપવા પાછળ સરકારનું જાણી જોઈને કાવતરું છે. સરકાર ‘ઇન્ડિયા ગોટ લેટેન્ટ’ વિવાદ ઉઠાવીને સોશિયલ મીડિયાને નિયંત્રિત કરવા માગે છે. ઉપરાંત, તે મહાકુંભમાં થયેલા મૃત્યુ પરથી લોકોનું ધ્યાન હટાવવા માગે છે. વિશાલ લખે છે- આ બધું દંભ અને બકવાસ છે.’ સરકાર લાંબા સમયથી ઓનલાઈન કન્ટેન્ટને કંટ્રોલ કરવા માગતી હતી અને વારંવાર આમ કરવાથી તેને અટકાવવામાં આવી છે. પરંતુ ટીવી પર દેખાતા ગુસ્સાના મોજામાં, આપણા નિર્દોષ લોકો પોતાની સ્વતંત્રતા ગુમાવી રહ્યા છે.વિશાલે ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ શોમાં જજ તરીકે ભાગ લીધો છે. સમયે કહ્યું- મારો ઉદ્દેશ્ય ફક્ત લોકોને હસાવવાનો હતો
સમય રૈનાએ હજુ સુધી ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ના મુદ્દા પર ખુલીને વાત કરી નથી. તેમણે થોડા સમય પહેલા એક પોસ્ટ શેર કરી હતી. સમયની પોસ્ટમાં લખ્યું હતું – જે કંઈ પણ થઈ રહ્યું છે, હું તેને સંભાળી શકતો નથી. મેં મારી ચેનલ પરથી ઇન્ડિયા’ઝ ગોટ લેટેન્ટના બધા વિડીયો દૂર કરી દીધા છે. મારો એકમાત્ર હેતુ લોકોને હસાવવાનો અને ખુશી આપવાનો હતો. હું બધી એજન્સીઓને સંપૂર્ણ સહકાર આપીશ જેથી તેમની તપાસ યોગ્ય રીતે થઈ શકે. આભાર. પોલીસે સમન્સ મોકલ્યા
તાજેતરમાં, સાયબર પોલીસે સમય રૈનાને માતા-પિતા અને મહિલાઓ પર અભદ્ર કોમેન્ટ કરવા બદલ સમન્સ મોકલ્યું હતું. સાયબર પોલીસે તેમને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેમનું નિવેદન નોંધવાની પરવાનગી આપવાનો પણ ઇનકાર કર્યો હતો.વિવાદ વધ્યા બાદ સમય રૈનાએ પોતાની યુટ્યૂબ ચેનલ પરથી ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ના બધા એપિસોડ દૂર કરી દીધા. શું છે આખો મામલો?
‘બિયર બાઇસેપ્સ’ તરીકે જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને પોડકાસ્ટર રણવીર અલ્લાહબાદિયા તાજેતરમાં સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈનાના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં દેખાયો હતો. આ શો તેના વિવાદાસ્પદ અને બોલ્ડ કોમેડી કન્ટેન્ટ માટે જાણીતો છે, પરંતુ આ વખતે શોમાં કંઈક એવું બન્યું, જેનાથી સોશિયલ મીડિયા પર લોકો ગુસ્સે થયા. રણવીરે શોમાં એક કન્ટેસ્ટન્ટને વાંધાજનક પ્રશ્નો પૂછ્યા હતા. રણવીરે એક સ્પર્ધકને એવો ગંદો સવાલ પૂછી નાખ્યો, જેનો અર્થ એવો થતો હતો કે ‘શું તમે તમારાં માતા-પિતા સાથે અંગત પળો માણશો?’ આ અને આ સિવાય પણ શોમાં ભરપૂર ગંદી કમેન્ટ્સ હતી. એને લીધે ખાસ કરીને યંગસ્ટર્સમાં આ સુપરહિટ શો અત્યારે વિવાદમાં આવ્યો છે. આ શો સામે હવે મુંબઈ હાઇકોર્ટના એડવોકેટ આશિષ રાય અને પંકજ રાયે મહિલા આયોગને પણ ફરિયાદ મોકલી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments