સરખેજગામમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી અંતર્ગત શિવદલ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી સરખેજગામ સ્થિત પ્રાચીન કાલભૈરવ મંદિરથી નીકળી હતી. રેલીમાં સમાજના અગ્રણી નેતા પરિમલ સોલંકી અને કિરણભાઈ ઠાકોર સહિત મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો જોડાયા હતા. નાનાં બાળકોથી માંડીને વડીલો સુધી દરેક વયજૂથના લોકોએ ઉત્સાહભેર રેલીમાં ભાગ લીધો હતો. આ રેલી દ્વારા મહાશિવરાત્રી પર્વની ધાર્મિક ભાવના સાથે સામાજિક એકતાનું પણ પ્રતીક બની રહી હતી.