એક્ટર ગોવિંદાએ વર્ષો પહેલા બે લગ્નની વાત કરી હતી. એક્ટરની કુંડળીમાં બે લગ્નના યોગ છે, આ અંગે તેણે પોતે ખુલાસો કરેલ છે. સ્ટારડસ્ટ સાથેના એક ઇન્ટરવ્યૂમાં ગોવિંદાએ કહ્યું હતું કે તેણે સુનિતા આહુજા સાથે ફક્ત વચનને કારણે લગ્ન કર્યા હતા. એક્ટરે કહ્યું હતું, કોણ જાણે કાલે શું થશે. હું ફરી સામેલ થઈ શકું છું. કદાચ હું તે છોકરી સાથે લગ્ન કરીશ જેની સાથે હું જોડાયેલો છો. પણ સુનિતાએ આ માટે તૈયાર રહેવું જોઈએ. તો જ હું ફ્રી અનુભવ કરીશ. મારી કુંડળીમાં બે લગ્નના યોગ છે. ‘હું નીલમને ખૂબ પ્રેમ કરતો હતો’
આ જ ઇન્ટરવ્યૂમાં ગોવિંદાએ એક્ટ્રેસ નીલમ કોઠારી સાથેના પોતાના અફેર વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, નીલમને મળ્યાં પછી હું મારા હોશ ખોઈ બેઠો હતો. હું ખૂબ જ મૂંઝવણમાં હતો. મને તે ખૂબ જ ગમતી હતી. હું તેના પ્રેમમાં પડી ગયો. હું તેની સાથે લગ્ન કરવા માંગતો હતો, પણ કરી શક્યો નહીં. હું તેમને જવા દેવા માંગતો ન હતો. આજે પણ જ્યારે હું તેને બીજા કલાકારો સાથે કામ કરતો જોઉં છું, ત્યારે મને ઈર્ષ્યા થાય છે. હું ઈચ્છું છું કે તે ફરીથી મારી સાથે ફિલ્મો સાઇન કરવાનું શરૂ કરે. બીજું કંઈ નહીં તો, ખાલી મિત્રો તો બની શકીએ છીએ. ગોવિંદા-સુનિતા છૂટાછેડા નથી લઈ રહ્યા
છેલ્લા ઘણા દિવસોથી એવી ચર્ચા ચાલી રહી હતી કે ગોવિંદા અને તેની પત્ની સુનિતા આહુજા છૂટાછેડા લેવાના છે. જોકે, હવે બંને વચ્ચે સમાધાન થઈ ગયું છે. ગુરુવારે સવારે સુનિતાના મેનેજરે કહ્યું કે છૂટાછેડાના સમાચાર માત્ર એક અફવા છે. દરમિયાન, ગોવિંદાના વકીલે બુધવારે કહ્યું હતું કે સુનિતાએ 6 મહિના પહેલા કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. પરંતુ હવે બંનેએ વિવાદ ઉકેલી લીધો છે. સુનિતા અને ગોવિંદાનું પ્રેમ પ્રકરણ કેવી રીતે શરૂ થયું?
સુનિતાએ કહેલું કે તેની બહેનનાં લગ્ન ગોવિંદાના મામા સાથે થયાં હતાં. એ વખતે જ એણે ગોવિંદાને પહેલીવાર જોયો હતો. એ વખતે સુનીતા 9મા ધોરણમાં હતી અને ગોવિંદા બીકોમના છેલ્લા વર્ષમાં હતો. થોડી મુલાકાતો બાદ બંને એકબીજાના પ્રેમમાં પડી ગયાં. એક દિવસ પાર્ટીમાંથી પાછા ફરતી વખતે, ગોવિંદાનો હાથ ભૂલથી સુનિતાના હાથને ટચ થયો. પરંતુ બંનેએ એકબીજાનો હાથ પકડી લીધો, આ રીતે બંનેના પ્રેમ પ્રકરણ શરૂઆત થઈ હતી. થોડો સમય રિલેશનશિપમાં રહ્યા પછી, ગોવિંદા અને સુનિતાએ 11 ડિસેમ્બર 1987ના રોજ લગ્ન કર્યાં.