back to top
Homeભારતમણિપુર-રાષ્ટ્રપતિ શાસન બાદ આજે ગૃહમંત્રીની પહેલી બેઠક:હથિયાર સરેન્ડર કરવાની સમય મર્યાદા 6...

મણિપુર-રાષ્ટ્રપતિ શાસન બાદ આજે ગૃહમંત્રીની પહેલી બેઠક:હથિયાર સરેન્ડર કરવાની સમય મર્યાદા 6 માર્ચ સુધી લંબાવવામાં આવી; ગઈકાલે પણ ફાયરિંગ થયુ હતું

ગૃહમંત્રી અમિત શાહ શનિવારે મણિપુરમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરશે. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા પછી આ પહેલી બેઠક હશે. મુખ્યમંત્રી બિરેન સિંહે 9 ફેબ્રુઆરીએ રાજીનામું આપી દીધું હતું. મણિપુરમાં 13 ફેબ્રુઆરીથી રાષ્ટ્રપતિ શાસન લાગુ છે. આજે યોજાનારી સુરક્ષા સમીક્ષા બેઠકમાં રાજ્યપાલ અજય કુમાર ભલ્લા, મણિપુર સરકારના ઉચ્ચ અધિકારીઓ, સેના અને અર્ધલશ્કરી દળના અધિકારીઓ હાજરી આપશે. બીજી તરફ, રાજ્યપાલે આતંકવાદીઓ દ્વારા હથિયાર સરેન્ડર કરવાની સમયમર્યાદા 6 માર્ચ સાંજે 4 વાગ્યા સુધી લંબાવી છે. શુક્રવારે પણ મણિપુરના પહાડી વિસ્તારમાં ઇમ્ફાલમાં ગોળીબારની ઘટના બની હતી. મૈઇતેઈ સમુદાયના ધાર્મિક સ્થળ પર ગોળીબાર, કોઈ ઘાયલ નહીં 28 ફેબ્રુઆરીના રોજ, ઇમ્ફાલ પૂર્વ જિલ્લામાં મૈઇતેઈ સમુદાયના એક ધાર્મિક સ્થળ પર અજાણ્યા ઉગ્રવાદીઓએ આસપાસની ટેકરીઓમાંથી ગોળીબાર કર્યો હતો. આ ઘટના સવારે 9.30 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે ભારે સુરક્ષા વ્યવસ્થા હેઠળ શ્રદ્ધાળુઓનું એક જૂથ મૈઈતેઈ લોકોના પવિત્ર સ્થળ કોંગબા મારુમાં પ્રાર્થના કરવા ગયું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે આસપાસની ટેકરીઓમાંથી કુલ સાત રાઉન્ડ ગોળીઓ ચલાવવામાં આવી હતી, પરંતુ આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. હથિયાર સરેન્ડર કરવાની સમયમર્યાદા એક અઠવાડિયા સુધી લંબાવવામાં આવી
મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લાએ આતંકવાદીઓને હથિયાર સરેન્ડર કરવાની અંતિમ તારીખ 6 માર્ચ સાંજે 4 વાગ્યા સુધી લંબાવી છે. મણિપુરના ગવર્નર હાઉસે આ માટે એક પ્રેસ રિલીઝ જાહેર કરી હતી. પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે 20 ફેબ્રુઆરીના રોજ, ભલ્લાએ તમામ સમુદાયના લોકોને, ખાસ કરીને ખીણો અને પહાડીઓમાં રહેતા લોકોને, લૂંટાયેલા શસ્ત્રો અને દારૂગોળો સાત દિવસની અંદર નજીકના પોલીસ સ્ટેશન, ચોકી અથવા સુરક્ષા દળના કેમ્પમાં સોંપવા વિનંતી કરી હતી. 26 ફેબ્રુઆરીએ 7 જિલ્લાના લોકોએ પોતાના હથિયાર સરેન્ડર કર્યા
મણિપુરમાં બે દિવસ પહેલા લૂંટાયેલા 87 પ્રકારના શસ્ત્રો, દારૂગોળો અને વિવિધ વસ્તુઓ લોકો સ્વેચ્છાએ સરેન્ડર કરી રહ્યા છે. ઇમ્ફાલ પૂર્વ, બિષ્ણુપુર, થૌબલ, કાંગપોક્પી, જીરીબામ, ચુરાચંદપુર અને ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં હથિયાર સરેન્ડર ​​​​​​કરવામાં આવ્યા હતા. ​​​​કયા જિલ્લામાંથી કેટલા હથિયાર સરેન્ડર કરવામાં આવ્યા?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments