back to top
Homeમનોરંજનઅનુરાગ કશ્યપ માયાનગરીથી કંટાળ્યો!:મુંબઈ અને બોલિવૂડ છોડ્યું, કહ્યું- ટોક્સિક ઈન્ડસ્ટ્રીના લોકોથી દૂર...

અનુરાગ કશ્યપ માયાનગરીથી કંટાળ્યો!:મુંબઈ અને બોલિવૂડ છોડ્યું, કહ્યું- ટોક્સિક ઈન્ડસ્ટ્રીના લોકોથી દૂર રહેવા માગુ છું

અનુરાગ કશ્યપે બોલિવૂડમાં ઘણી લોકપ્રિય ફિલ્મો અને સિરીઝો આપી છે. તેનું કામ પણ લોકોને ખૂબ પસંદ આવે છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી તે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીથી કંટાળી ગયો છે. ગયા વર્ષે અનુરાગે કહ્યું હતું કે તે સાઉથમાં શિફ્ટ થવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. હાલમાં જ ડિરેક્ટરે ‘ધ હિન્દુ’ સાથે કરેલી વાતચીતમાં આ વાતની પુષ્ટિ કરી દીધી છે કે તે મુંબઈ અને બોલિવૂડ છોડી રહ્યો છે. ‘500-800 કરોડની ફિલ્મો બનાવવામાં વ્યસ્ત છે’
ડિરેક્ટરે કહ્યું કે- તે મુંબઈ છોડી હવે બેંગ્લોર શિફટ થવાનો છે. બોલિવૂડને ‘ટોક્સિક’ ગણાવતા તેણે કહ્યું કે આ ઇન્ડસ્ટ્રી હવે સર્જનાત્મકતાને બદલે ફક્ત પૈસા પાછળ દોડી રહી છે એટલા માટે તે ‘ટોક્સિક’ ઈન્ડસ્ટ્રીના લોકોથી દૂર રહેવા માગે છે. વધુમાં એવું પણ કહ્યું- અહીં બધા 500-800 કરોડની ફિલ્મો બનાવવામાં વ્યસ્ત છે. અનુરાગ કશ્યપે બોલિવૂડ છોડી દીધું
હવે ફિલ્મ બનાવવાની મજા પૂરી થઈ ગઈ છે અને આ જ કારણ છે કે તેણે મુંબઈ છોડવાનું નક્કી કર્યું. તેણે અગાઉ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. હોલિવૂડ રિપોર્ટર ઈન્ડિયા સાથેની વાતચીતમાં તેણે કહ્યું કે કંઈ નવું કરવા મળી રહ્યું નથી. જેના કારણે તે ફિલ્મો બનાવવાનો ઉત્સાહ ગુમાવી બેઠો છે. તેને લાગે છે કે આનું કારણ એક્ટર્સની ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સી છે કારણ કે ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સીએ એક નવો ટ્રેન્ડ શરૂ કર્યો છે જેમાં એક્ટર્સે એક્ટિંગને બદલે સ્ટાર બનવા પર વધુ ધ્યાન આપવું પડશે. બોલિવૂડને ટોક્સિક કહ્યું
અનુરાગે એમ પણ કહ્યું કે ખૂબ જ ટૂંક સમયમાં તે મુંબઈ સંપૂર્ણપણે છોડીને સાઉથમાં સ્થાયી થશે. તેણે કહ્યું, હવે મારા માટે પ્રયોગ કરવો મુશ્કેલ બની ગયું છે, કારણ કે ઉત્પાદકોને ફક્ત નફાની ચિંતા છે. તેમણે બોલિવૂડને ટોક્સિક પણ ગણાવ્યું. હાલમાં અનુરાગ કશ્યપ પોતાની પ્રસ્તુત મલયાલમ ફિલ્મ ‘ફૂટેજ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું ડિરેક્શન સૈજુ શ્રીધરન દ્વારા કરવામાં આવ્યું છે. સાઉથ સિનેમા તરફ વળશે!
આ ફિલ્મમાં મંજુ વોરિયર, વિશાક નાયર અને ગાયત્રી અશોક જેવા કલાકારો જોવા મળશે. આ ફિલ્મ ગયા વર્ષે ઓગસ્ટમાં રિલીઝ થઈ હતી, પરંતુ તેનું હિન્દી વર્ઝન 7 માર્ચ, 2025 ના રોજ રિલીઝ થશે. અનુરાગ માને છે કે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં હજુ પણ સાચી અને સારી વાર્તાઓ પર કામ થઈ રહ્યું છે. ‘બોલિવૂડમાં માત્ર રિમેક બની રહી છે’
અનુરાગે ઈન્ડસ્ટ્રીની વિચારસરણી વિશે પણ વાત કરી છે. તેણે કહ્યું- બોલિવૂડમાં માત્ર રિમેક જ બની રહી છે. ફિલ્મ મેકર્સ કંઈ નવું કરવા માંગતા નથી. હું આ માનસિકતાથી ખૂબ કંટાળી ગયો છું. એજન્સીઓ કલાકારોના માઇન્ડ વોશ કરી રહી છે અને તેમને સ્ટાર બનાવવા અને પૈસા કમાવવા માટે તેમને ગ્લેમરની લાલચ આપી રહી છે. વર્કશોપમાં મોકલવાને બદલે તેઓ જિમમાં મોકલવા માગે છે. અનુરાગ કશ્યપના આગામી પ્રોજેક્ટ્સ
આવનારા સમયમાં અનુરાગ કશ્યપ પણ એક એક્ટર તરીકે જોવા મળશે. તે ફિલ્મ ‘ડાકૈત’માં પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી રહ્યો છે. આ ફિલ્મ હિન્દી અને તેલુગુ ભાષાઓમાં એકસાથે શૂટ થઈ રહી છે અને તેમાં આદિવી શેષ અને મૃણાલ ઠાકુર મુખ્ય ભૂમિકામાં છે. જોકે, આ ફિલ્મની રિલીઝ તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments