back to top
Homeભારતઅમદાવાદથી પરત ફરી રહેલ રાજસ્થાનના પરિવારનો અકસ્માત:6ના મોત, આબુ રોડ પર કાર-...

અમદાવાદથી પરત ફરી રહેલ રાજસ્થાનના પરિવારનો અકસ્માત:6ના મોત, આબુ રોડ પર કાર- ટ્રક સાથે અથડાઈ, કારનો કચ્ચરઘાણ; તમામ મૃતકો એક જ પરિવારના

​​​​​​રાજસ્થાનના સિરોહીના આબુ રોડ પર પુરપાટ ઝડપે એક કાર ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના 7 માંથી 6 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે. કારમાં સવાર લોકો જાલોરના રહેવાસી હતા અને અમદાવાદથી પરત ફરી રહ્યા હતા. માઉન્ટ આબુના સીઓ ગોમારામે જણાવ્યું કે ગુરુવારે સવારે 3 વાગ્યે કિવરલી નજીક આ અકસ્માત થયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે કાર ટ્રક નીચે ઘુસી ગઈ હતી. કારનો દરવાજો કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. જ્યારે, આબુ રોડ હોસ્પિટલમાં 2 લોકોના મોત થયા હતા. પહેલા જુઓ અકસ્માત સંબંધિત PHOTOS…. કાર બુકડો વળી ગઈ હતી, ઘણા મૃતદેહો ખરાબ રીતે ફસાયેલા હતા અકસ્માત દરમિયાન આસપાસના વિસ્તારમાં જોરદાર ધડાકાનો અવાજ સંભળાયો હતો. હાઇવે પર પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ વાન અવાજ સાંભળીને પહેલા ઘટનાસ્થળે પહોંચી. પોલીસે તાત્કાલિક ઘાયલોને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ કારનો આગળનો ભાગ ખરાબ રીતે કચડાઈ ગયો હોવાથી મૃતદેહો ફસાઈ ગયા હતા. ક્રેનની મદદથી ટ્રકમાં ફસાયેલી કારને બહાર કાઢવામાં આવી. મૃતદેહોને બહાર કાઢવા માટે કારના દરવાજા કાપવા પડ્યા. લગભગ 40 મિનિટની મહેનત પછી મૃતદેહો બહાર કાઢી શકાયા. તમામ મૃતદેહને શબઘરમાં રાખવામાં આવ્યા છે અને પરિવારના સભ્યોને જાણ કરવામાં આવી છે. બધા મૃતકો એક જ પરિવારના છે પોલીસે જણાવ્યું હતું કે અકસ્માતમાં જાલોરના કુંભાર વાસના રહેવાસીઓ નરસારામના પુત્ર નારાયણ પ્રજાપત (58), તેમની પત્ની પોશી દેવી (55) અને પુત્ર દુષ્યંત (24), ડ્રાઈવર કાલુરામ (40), પ્રકાશ ચાંદરાયનો પુત્ર યશપાલ (4) અને પુખરાજ પ્રજાપતીના પુત્ર જયદીપનું મૃત્યુ થયું હતું. અકસ્માતમાં મૃત્યુ પામેલા પુખરાજના પત્ની જયદીપની માતા દરિયા દેવી (35) ગંભીર રીતે ઘાયલ થયા હતા. ડ્રાઈવર ટ્રક છોડીને ભાગી ગયો
એસડીએમ શંકરલાલ મીણાએ જણાવ્યું હતું કે કાર સવાર નારાયણ 3 માર્ચે તેના પરિવાર સાથે અમદાવાદ ગયો હતો. ત્યાં તેમની સારવાર ચાલી રહી હતી. તે પોતાના સાળા કાલુરામને ગાડી ચલાવવા માટે સાથે લઈ ગયો હતો. તે 4 માર્ચે અમદાવાદમાં તેના સંબંધીના ઘરે રોકાયા હતા અને 5 માર્ચની રાત્રે જાલોર જવા રવાના થયા હતા. આ દરમિયાન આબુ રોડ પર એક અકસ્માત થયો. ટ્રક કોલસાથી ભરેલી હતી. ગુરુવારે બપોરે 1 વાગ્યે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહોને સંબંધીઓને સોંપવામાં આવ્યા હતા. આ દરમિયાન, કલેક્ટર અલ્પા ચૌધરી અને એસપી અનિલ કુમાર બેનીવાલ ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments