નવસારીમાં વાસી બોરસી ખાતે યોજાનાર ‘લખપતિ દીદી’ કાર્યક્રમ માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉપસ્થિત રહેશે. આઠમી માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિનના દિવસે યોજનારા આ કાર્યક્રમમાં નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાની કુલ 1,50,000 થી વધુ મહિલાઓ ઉપસ્થિત રહેશે. આ સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન અને બંદોબસ્તની તમામ વ્યવસ્થા મહિલાઓના શિરે રહેશે જે આ કાર્યક્રમની વિશેષતા બની રહેશે. વડાપ્રધાનના હેલીપેડથી લઇ સ્થળ સુધીની તમામ સુરક્ષા વ્યવસ્થા પણ મહિલા પોલીસ કર્મચારીઓ નિભાવશે. આ ઉપરાંત તમામ કાર્યક્રમ સ્થળની વ્યવસ્થા બંદોબસ્ત પણ આ મહિલા પોલીસ કર્મચારીઓને સોંપવામાં આવી છે.અંદાજિત 3000 મહિલા પોલીસ કર્મચારીઓ આ સુરક્ષા વ્યવસ્થામાં જોડાશે.
નવસારી જિલ્લામાં લખપતિ દીદી કાર્યક્રમના સ્થળથી લઇ વડાપ્રધાનના હેલીપેડ સુધીની સુરક્ષા વ્યવસ્થા મહિલા પોલીસ કર્મચારીના શિરે છે. જ્યારે પુરુષ પોલીસ કર્મચારી ટ્રાફિક અને પાર્કિંગની વ્યવસ્થા સંભાળશે.જોકે સુરક્ષા વ્યવસ્થાના નિરીક્ષણ માટે સુપરવિઝન ઇન્ચાર્જ અધિકારી તરીકે ગૃહ વિભાગના અગ્ર સચિવ નીપૂર્ણા તોરવણે રેહશે.
નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાંથી આ લખપતી દીદી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ હાજરી આપશે.તેમના આવાગમન માટે રાજ્ય એસટી નિગમની બસ ફાળવવામાં આવી છે. કાર્યક્રમની મહત્વની તમામ વ્યવસ્થા મહિલા સંભાળશે
નવસારી જિલ્લામાં વાસી બોરસી ખાતે લખપતિ દીદી કાર્યક્રમમાં વડાપ્રધાન સાહેબ હાજર રહેશે અને તે માટે તમામ સુરક્ષા વ્યવસ્થા ની જવાબદારી મહિલા પોલીસ કર્મચારીઓના સીરે છે ઉપરાંત વિશેષ વાત એ પણ છે કે નવસારીમાં કલેકટર અને ડીડીઓ પણ મહિલા હોય વિશેષ જવાબદારી નિભાવવા તમામ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે.આ કાર્યક્રમમાં હાજર રહેનાર મહિલાઓ માટે પણ એસટી બસની વિશેષ વ્યવસ્થા ઊભી કરાઈ છે મંડપથી લઈ કાર્યક્રમ સ્થળ સુધી તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે અન્ય જવાબદારી પીએમ ઓફિસથી કરાય છે. સ્થાનિક લેવલે કાર્યક્રમની તમામ વ્યવસ્થા ઉભી કરી લેવાય છે. -ક્ષીપ્રા આગ્રે, કલેકટર નવસારી જિલ્લા.