back to top
Homeગુજરાતગુજરાતના 13 જિલ્લામાં આજે ગરમી ભુક્કા કાઢશે:તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થશે,...

ગુજરાતના 13 જિલ્લામાં આજે ગરમી ભુક્કા કાઢશે:તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થશે, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કહ્યું- ‘આ વર્ષે ગરમી બધા રેકોર્ડ તોડશે’

રાજ્યમાં માર્ચ મહિનાના પ્રારંભે જ હીટવેવનો પ્રારંભ થઈ ચૂક્યો છે. હવામાન વિભાગે 10 થી 13 માર્ચ સુધી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરી હીટવેવની આગાહી કરી છે. આજની જ વાત કરીએ તો, 13 જિલ્લાઓમાં યલો એલર્ટ અપાયું છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના મતે આ વર્ષે ગરમી તેના બધા રેકોર્ડ તેવી શક્યતાઓ છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના સમુદ્ર કાંઠામાં પવનની ગતિમાં વધારો થતા 13 માર્ચ સુધી લોકો ગરમી અને ઉકાળાટનો અનુભવ કરશે. આજે આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ આ વર્ષે ગરમી બધા રેકોર્ડ તોડે તેવી શક્યતા- પરેશ ગોસ્વામી
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, 9 માર્ચ, 2025થી લઈને 13 માર્ચ, 2025 દરમિયાન રાજ્યની અંદર પવનની દિશા, ગતિ અને ઊંચા તાપમાનનો સામનો આપણે કરવો પડશે. છેલ્લા એક અઠવાડિયાથી પવનની જે સ્પીડ છે તે 9 કિ.મી. પ્રતિકલાકથી લઈને 13 કિ.મી. પ્રતિકલાક છે. જોકે, 11 માર્ચ,2025થી પવનની સ્પીડમાં સામાન્ય વધારો થઈ શકે છે. પવનની સ્પીડ 18 કિ.મી. પ્રતિકલાકથી લઈને 22 કિ.મી. પ્રતિકલાક સુધી પહોંચી શકે. ખાસ કરીને પવનો હવે ઉત્તર-પશ્ચિમ દિશામાં ફૂંકાશે એટલે કે અરબ સાગર તરફથી પવનો ફૂંકાશે. આ પવનો ભેજવાળા હશે, જેના કારણે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત કે જે દરિયાઈ કાંઠાના ભાગો છે એટલે કે સમુદ્રકિનારાથી 50 કિ.મી.થી લઈને 70 કિ.મી. સુધીના વિસ્તારમાં 13 માર્ચ. 2025 સુધી ગરમી, ઉકળાટ અને બફારાનું પ્રમાણ વધુ રહેશે. હાલ રાજ્યની અંદર તાપમાન ઊંચુ જવાનું છે, જેના કારણે યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યની અંદર અનેક જગ્યાએ તાપમાન 40 ડિગ્રીને પાર જશે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. માર્ચ મહિનાના બીજા અઠવાડિયાથી જ તાપમાનનું પ્રમાણ ઊંચુ રહેશે. 2025માં ઉનાળાની અંદર આ પહેલા હિટવેવનો રાઉન્ડ છે. આના જેવા જ આગામી સમયમાં અનેક હિટવેવના રાઉન્ડ આવશે. આ વર્ષે તાપમાન એકંદરે ઘણા બધા રેકોર્ડ તોડશે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. આ જિલ્લાના લોકોએ આકરી ગરમીનો સામનો કરવો પડશે
આ વર્ષનો ઉનાળો અસહ્ય ગરમીવાળો અને તાપમાનવાળો રહેશે. ખાસ કરીને કચ્છમાં ભૂજ, ભચાઉ અને રાપરમાં, સૌરાષ્ટ્રમાં જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ અને અમરેલીમાં, ઉતર ગુજરાતના પાટણ, હિંમતનગર અને ઈડરમાં તો મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ, ગાંધીનગર, હિંમતનગર અને નડિયાદમાં 40 ડિગ્રીને પાર તાપમાન જાય એવી પૂરેપૂરી શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતમાં 36 ડિગ્રીથી લઈને 40 ડિગ્રીની વચ્ચે તાપમાન રહેશે. રાજ્યના બીજા વિસ્તારો કરતાં દક્ષિણ ગુજરાતનું તાપમાન એકથી બે ડિગ્રી નીચુ જોવા મળશે પણ દરિયાકાંઠાના જે પવનો ફૂંકાશે તેના કારણે આ વિસ્તારોમાં પણ ગરમીનું પ્રમાણ અસહ્ય હશે. 14 માર્ચ, 2025થી રાજ્યના હવામાનમાં પલટો આવશે. અનેક વિસ્તારોની અંદર વાદળછાયુ વાતાવરણ રહેશે અને બેથી ચાર ડિગ્રી સુધી તાપમાન નીચુ જશે. અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે ઉત્તર તરફથી પસાર થઈ રહ્યું છે તે 14 માર્ચ પછી દક્ષિણ-પૂર્વ તરફથી પસાર થઈ શકે. આ સમયે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે માવઠુ આવે એવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. 11 માર્ચઃ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, વડોદરા, સુરત, અમરેલી, ભાવનગર અને જૂનાગઢ જિલ્લામાં યલો એલર્ટ 12 માર્ચઃ બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, રાજકોટ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં યલો એલર્ટ લૂ કે હીટવેવ શું છે?
જવાબ- IMD (ભારત હવામાન વિભાગ) અનુસાર, જ્યારે મેદાની વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અને પહાડી વિસ્તારોમાં તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે, ત્યારે ગરમ હવા ફૂંકાવા લાગે છે. જો કોઈપણ વિસ્તારમાં તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે, તો તેને હીટ વેવની ખતરનાક શ્રેણી માનવામાં આવે છે. હીટ સ્ટ્રોકનું કારણ શું છે?
આપણા શરીરનું સામાન્ય તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ છે. પરંતુ ઉનાળા દરમિયાન આસપાસના વાતાવરણનું તાપમાન 40 થી 45 ડિગ્રી સુધી પહોંચી જાય છે. આવી સ્થિતિમાં જ્યારે આપણે તીવ્ર સૂર્યપ્રકાશ અથવા ગરમ હવામાં બહાર જઈએ છીએ, ત્યારે આસપાસનું વાતાવરણ આપણા શરીરનું તાપમાન વધારી દે છે. જ્યારે આપણા શરીરનું તાપમાન સામાન્ય શરીરના તાપમાન એટલે કે 37 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધી જાય છે, ત્યારે આ સ્થિતિને હીટ સ્ટ્રોક કહેવામાં આવે છે. હીટ સ્ટ્રોકના કિસ્સામાં કયા પ્રકારના ઘરગથ્થુ ઉપચાર કરી શકાય?
હીટસ્ટ્રોકના કિસ્સામાં, સૌ પ્રથમ શરીરના વધેલા તાપમાનને કંટ્રોલ કરવાની અને ડિહાઇડ્રેશન દૂર કરવાની જરૂર છે. આવી સ્થિતિમાં આ ઉપાયો અપનાવી શકાય છે. જેમ કે- જો કોઈ વ્યક્તિ માનસિક સમસ્યાઓથી પીડિત હોય, જેમ કે સ્ટટરિંગ, બેભાન થવું અથવા માનસિક ધ્રુજારી. આ સ્થિતિ ખતરનાક લેવલના હીટસ્ટ્રોકની છે. આવી સ્થિતિમાં દર્દીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવો જોઈએ. કારણ કે આમાં શરીરના અંગોને નુકસાન થવાનું જોખમ રહેલું છે. વ્યક્તિએ પોતાની જાતે કોઈપણ પ્રકારની સારવાર ન કરવી જોઈએ. કારણ કે આવી સ્થિતિમાં થોડી બેદરકારી પણ દર્દીના મૃત્યુનું કારણ બની શકે છે. હીટસ્ટ્રોકથી બચવા માટે કેવા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ? હીટ સ્ટ્રોકથી બચવા માટે કેવો આહાર હોવો જોઈએ?
નિષ્ણાંત તબીબના જણાવ્યા મુજબ, હીટસ્ટ્રોકથી બચવા માટે ઘરની બહાર નીકળતા પહેલાં કંઈક ખાઓ. દાદી અને દાદી કહે છે કે ઘરની બહાર ક્યારેય ખાલી પેટ ન નીકળવું જોઈએ, તેની પાછળ વિજ્ઞાન છે. જ્યારે તમે ખાલી પેટે બહાર જાઓ છો, ત્યારે તમે ઝડપથી થાકી જાઓ છો અને ઇલેક્ટ્રોલાઇટ્સ ગુમાવો છો, જે ડિહાઇડ્રેશનનું કારણ બને છે. ગરમી અને સનસ્ટ્રોકથી બચવા માટે તમે નારિયેળ પાણી પી શકો છો. આ ઉપરાંત, તડકામાંથી આવ્યા પછી અથવા વધુ પડતો પરસેવો આવ્યા પછી તરત જ ઠંડુ પાણી પીવું જોઈએ નહીં. ઉનાળામાં પાણીમાં લીંબુ અને મીઠું ભેળવીને દિવસમાં બે-ત્રણ વાર પીવું જોઈએ. આ હીટ સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે. જે લોકો હીટ સ્ટ્રોકથી પરેશાન છે તેઓ માટે જવનો લોટ અને ડુંગળી પીસીને પેસ્ટ બનાવો અને તેને શરીર પર લગાવો, તેનાથી તેમને ઘણી રાહત થશે. તડકામાંથી બહાર આવ્યા પછી ડુંગળીનો થોડો રસ મધમાં ભેળવીને ચાટવાથી હીટ સ્ટ્રોકનું જોખમ ઓછું થાય છે. ઉનાળાની ઋતુમાં જમ્યા પછી ગોળ ખાવાથી હીટ સ્ટ્રોકનું જોખમ પણ ઓછું થઈ જાય છે. ઉનાળામાં હળવો ખોરાક લેવો જોઈએ અને ડાયટમાં દહીંનો સમાવેશ કરવો જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments