ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત પર ટપાલ વિભાગે મંગળવારે એક સ્પેશિયલ કેન્સલેશન પત્ર જારી કર્યું છે, જેના પર ‘વિજયોત્સવ’ લખેલું છે. મહારાષ્ટ્ર સર્કલના ચીફ પોસ્ટલ જનરલ મેનેજર અમિતાભ સિંહે જણાવ્યું હતું કે, ‘આ સ્પેશિયલ કેન્સલેશન ભારતની રમતગમત સિદ્ધિઓને માન આપવા અને આ ઐતિહાસિક વિજયની ઉજવણી માટે એક મહત્વપૂર્ણ પગલું છે.’ 2 દિવસ પહેલા, 9 માર્ચે, ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. ટીમ ઈન્ડિયાએ 12 વર્ષ પછી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. ટીમે આ ટુર્નામેન્ટ ત્રીજી વખત જીતી છે. સ્પેશિયલ કેન્સલેશન શું છે?
ભારતીય ટપાલ વિભાગ ખાસ પ્રસંગોએ તેના સ્પેશિયલ કેન્સલેશન પત્રો જારી કરે છે. આ ટપાલ ટિકિટ કલેક્ટર્સ અને ક્રિકેટ પ્રેમીઓ માટે ખાસ છે. આ કેન્સલેશન કરાયેલી નોટ મુંબઈ GPO ખાતે જાહેર જનતા માટે ઉપલબ્ધ છે, જેનાથી ક્રિકેટ અને પોસ્ટલ શોખીનો તેને સ્મૃતિચિહ્ન તરીકે રાખી શકે છે. રોહિતે 76 રનની ઇનિંગ રમી
દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને બેટિંગ કરતા 251 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે 49 ઓવરમાં 6 વિકેટે 252 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો. રોહિત શર્માએ 76 રનની ઇનિંગ રમી. તેણે શુભમન ગિલ સાથે 105 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી.