back to top
Homeમનોરંજન'દારૂડિયાઓને બોલાવી મુસ્લિમોનું અપમાન કર્યું':થલાપતિ વિજયને એક દિવસના રોઝા અને ઇફ્તાર પાર્ટી...

‘દારૂડિયાઓને બોલાવી મુસ્લિમોનું અપમાન કર્યું’:થલાપતિ વિજયને એક દિવસના રોઝા અને ઇફ્તાર પાર્ટી મોંઘી પડી, એક્ટર સામે ફરિયાદ દાખલ

સાઉથ સુપરસ્ટારમાંથી રાજકારણી બનેલા થલાપતિ વિજય વિરુદ્ધ ચેન્નાઈમાં FIR નોંધાઈ છે. તેમના પર મુસ્લિમ સમુદાયનું અપમાન કરવાનો આરોપ લાગ્યો છે. તાજેતરમાં થલાપતિ વિજયે રમઝાન મહિનાની શરૂઆતમાં એક ઇફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું. આ સમયગાળા દરમિયાન, તેણે મુસ્લિમ સમુદાય સાથે માત્ર ઇફ્તાર જ નહોતી કરી, પરંતુ પોતે એક દિવસના રોઝા પણ રાખ્યા હતા. આ પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર પણ વાઈરલ થઈ હતી. એક તરફ, ઘણા લોકોએ વિજયની આ મામલે પ્રશંસા કરી તો બીજી તરફ, ઘણા લોકો તેમની ટીકા પણ કરી રહ્યા છે. એટલું જ નહીં, તેમની ફિલ્મોનો બહિષ્કાર કરવાની માગ પણ કરવામાં આવી હતી. ન્યૂઝ 18 અનુસાર, તમિલનાડુ સુન્નત જમાત વતી ચેન્નાઈ પોલીસ કમિશનર ઓફિસમાં થલાપતિ વિજય વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે તેણે ઇફ્તાર દરમિયાન મુસ્લિમ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડી છે. એક્ટર સામે કાનૂની કાર્યવાહી થવી જોઈએ – સૈયદ કૌસ
તમિલનાડુ સુન્નત જમાતના ખજાનચી સૈયદ કૌસે જણાવ્યું હતું કે, ઇફ્તાર કાર્યક્રમમાં કેટલાક લોકો હાજર હતા જેમને રોઝા કે ઇસ્લામિક પ્રથાઓ સાથે કોઈ સંબંધ નહોતો. આમાં દારૂડિયાઓ અને ગુંડાઓનો પણ સામેલ કરવામાં આવ્યા હતા. આના કારણે મુસ્લિમ સમુદાયની પવિત્રતાનું અપમાન થયું છે. તેમણે કહ્યું કે આવી ઘટનાઓ ફરી ન બને તે માટે કાનૂની કાર્યવાહી જરૂરી છે. તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે તે આ ફરિયાદ પોતાને પ્રમોટ કરવા માટે નથી કરી રહ્યા પરંતુ ભવિષ્યના કાર્યોમાં પોતાનું માન અને પ્રતિષ્ઠા જાળવી રાખવા માટે કરી રહ્યા છે. થલાપતિ વિજય ‘જન નાયકન’માં જોવા મળશે
થલાપતિ વિજય ટૂંક સમયમાં ‘જન નાયકન’માં જોવા મળશે. આ ફિલ્મનું ડિરેક્શન એચ વિનોથ કરી રહ્યા છે. આ ફિલ્મમાં પૂજા હેગડે, બોબી દેઓલ, પ્રકાશ રાજ, પ્રિયામણી સહિત ઘણા સ્ટાર્સ જોવા મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments