back to top
Homeગુજરાતમાનગઢ ધામમાં શિક્ષણમંત્રીની અનોખી ધુળેટી:ડો.કુબેરભાઈએ દેશી ઢોલ વગાડી આદિવાસી નૃત્ય કર્યું, પાંચ...

માનગઢ ધામમાં શિક્ષણમંત્રીની અનોખી ધુળેટી:ડો.કુબેરભાઈએ દેશી ઢોલ વગાડી આદિવાસી નૃત્ય કર્યું, પાંચ દિવસ સુધી ચાલશે ઉજવણી

ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના ત્રિભેટે આવેલા ઐતિહાસિક માનગઢ ધામમાં શિક્ષણમંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરે અનોખી રીતે ધુળેટી પર્વની ઉજવણી કરી. તેમણે આદિવાસી પરંપરા અનુસાર પૂજા-અર્ચના કરી અને સ્થાનિક લોકો સાથે રંગોત્સવમાં ભાગ લીધો. શિક્ષણમંત્રીએ દેશી ઢોલ વગાડ્યો અને પારંપરિક આદિવાસી નૃત્ય કર્યું. તેઓ કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો સાથે દાંડિયા પણ રમ્યા. આ પ્રસંગે તેમણે સર્વ રાજ્યવાસીઓને હોળી-ધુળેટીની શુભકામનાઓ પાઠવી. શિક્ષણમંત્રીએ જણાવ્યું કે આ ઉત્સવ તેમના વિસ્તારમાં પાંચ દિવસ સુધી ચાલશે. આ દરમિયાન આદિવાસી સમાજના લોકો આનંદ-ઉલ્લાસ સાથે તેમની પરંપરાગત સંસ્કૃતિ પ્રમાણે પર્વની ઉજવણી કરશે. માનગઢ ધામમાં ભક્તિના રંગે રંગાયેલા લોકોએ આસ્થાના રંગો સાથે ધુળેટીની મજા માણી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments