આંધ્રપ્રદેશમાં શુક્રવારે સવારે એક પિતાએ પોતાના બે સગીર બાળકોને પાણી ભરેલી ડોલમાં ડુબાડીને મારી નાખ્યા. આ પછી તેણે પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તે પોતાના બાળકોના અભ્યાસમાં નબળા પ્રદર્શનથી નારાજ હતા. ઘટના સમયે તે વ્યક્તિની પત્ની ઘરમાં હાજર નહોતી. જ્યારે તે ઘરે પહોંચી ત્યારે તેણે તેના પતિનો મૃતદેહ બેડરૂમના પંખા સાથે લટકતો જોયો. બંને બાળકોના મૃતદેહ ડોલ પાસે પડ્યા હતા. તેણે તાત્કાલિક પોલીસને આ અંગે જાણ કરી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ મળી આવી હતી. ફોરેન્સિક ટીમો તૈનાત કરવામાં આવી છે. જેમણે ઘટના સ્થળની તપાસ શરૂ કરી દીધી છે. આંધ્રપ્રદેશ પોલીસના જણાવ્યા અનુસાર, 37 વર્ષીય વી ચંદ્ર કિશોર કાકીનાડામાં ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)માં કર્મચારી છે. તેના બાળકોનું શૈક્ષણિક પ્રદર્શન કથળી રહ્યું હતું. આ કારણે તે ડરી ગયા હતા. તેમને ડર હતો કે જો તેઓ અભ્યાસમાં સારું પ્રદર્શન નહીં કરે, તો તેમને સ્પર્ધાત્મક દુનિયામાં સંઘર્ષ અને તકલીફો સહન કરવી પડશે. જેના કારણે તેણે આ પગલું ભર્યું.