back to top
Homeભારતજમ્મુ-કાશ્મીરના કુપવાડામાં એક આતંકવાદી ઠાર:સેના અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક જવાન ઘાયલ,...

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં એક આતંકવાદી ઠાર:સેના અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક જવાન ઘાયલ, ઓપરેશન ચાલુ

જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા પાસે ખુરમોરા રાજવાર વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થયું છે. આ અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો હતો અને કેટલાક આતંકવાદીઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા. ભાગી ગયેલા આતંકવાદીઓને પકડવા માટે સુરક્ષા દળોનું ઓપરેશન ચાલુ છે. એક જવાન ઘાયલ થયાના અહેવાલ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ જચલદારાના ક્રુમહુરા ગામમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ ઘેરાબંધી અને સર્ત ઓપરેશન શરૂ કર્યું હતું. આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યા બાદ સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું. સવારથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર મરાયો છે અને તેની પાસેથી એક એસોલ્ટ રાઇફલ પણ મળી આવી છે. જમ્મુ અને કાશ્મીરમાં હાલમાં થયેલા આતંકવાદી ઘટના… 16 ફેબ્રુઆરી 2025: જમ્મુ અને કાશ્મીરમાં LoC પર સ્નાઈપર ફાયરિંગ, એક ભારતીય જવાન ઘાયલ
16 ફેબ્રુઆરીના રોજ જમ્મુ અને કાશ્મીરમાં પૂંછ સેક્ટરમાં LoC પર સ્નાઈપર ફાયરિંગ થયું હતું જેમાં એક ભારતીય સૈનિક ઘાયલ થયો હતો. આ ઘટના પછી, ભારતીય અને પાકિસ્તાની સેના વચ્ચે થોડા સમય માટે ગોળીબાર થયો હતો. 13ફેબ્રુઆરી 2025: પાકિસ્તાન તરફથી ગોળીબારના સમાચાર
13 ફેબ્રુઆરીના રોજ, ભારતીય સરહદ પર પાકિસ્તાન તરફથી ગોળીબારના અહેવાલો આવ્યા હતા. પાકિસ્તાની અધિકારીઓનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં તેઓ પોતાના સૈનિકોને શ્રદ્ધાંજલિ આપતા દેખાયા હતા. કેટલાક અહેવાલોમાં 6 લોકોના મોત થયા હોવાનું જણાવાયું છે. જો કે, ભારતીય સેનાએ કહ્યું હતું કે પાકિસ્તાન સરહદ પર યુદ્ધવિરામ લાગુ છે. 11 ફેબ્રુઆરી 2025: LoC નજીક IED વિસ્ફોટ, 2 જવાન શહીદ, એક ઘાયલ
જમ્મુ જિલ્લાના અખનૂર સેક્ટરમાં LoC નજીક લાલોલી વિસ્તારમાં IED વિસ્ફોટ થયો. આમાં સેનાના 2 જવાનો શહીદ થયા હતા. આ વિસ્ફોટ 11 ફેબ્રુઆરીના રોજ બપોરે 3:50 વાગ્યે ભટ્ટલ વિસ્તારમાં થયો હતો, જ્યારે સેનાના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા. સેનાના સૂત્રોએ દાવો કર્યો હતો કે શહીદ સૈનિકોના નામ કેપ્ટન કેએસ બક્ષી અને મુકેશ હતા. 4 ફેબ્રુઆરી 2025: સેનાએ 7 પાકિસ્તાની ઘુસણખોરોને ઠાર કર્યા ભારતીય સેનાએ 7 પાકિસ્તાની ઘુસણખોરોને ઠાર માર્યા હતા. મીડિયા રિપોર્ટ્સમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે આ ઘટના 4 ફેબ્રુઆરીની રાત્રે પૂંછ જિલ્લાના કૃષ્ણા ઘાટી પાસે બની હતી જ્યારે નિયંત્રણ રેખા (LoC) નજીક ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સૂત્રોએ દાવો કર્યો હતો કે ભારતીય સેનાની ફોરવર્ડ પોસ્ટ પર હુમલો કરવાની યોજના હતી. 14 જાન્યુઆરી 2025: LoC નજીક લેન્ડમાઈન વિસ્ફોટ, 6 સૈનિકો ઘાયલ 14 જાન્યુઆરીના રોજ, જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં નિયંત્રણ રેખા નજીક લેન્ડમાઇન વિસ્ફોટમાં ગોરખા રાઇફલ્સના 6 સૈનિકો ઘાયલ થયા હતા. આ વિસ્ફોટ ભવાની સેક્ટરના માકરી વિસ્તારમાં થયો હતો. ખાંબા કિલ્લા પાસે સૈનિકોની એક ટુકડી પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન, એક સૈનિકે ભૂલથી સેના દ્વારા બિછાવેલી લેન્ડમાઇન પર પગ મૂક્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments