back to top
Homeભારતતેલંગાણામાં OBC અનામત 23%થી વધારી 42% કરવામાં આવ્યું:CM રેવંતે જાહેરાત કરી; 2023ની...

તેલંગાણામાં OBC અનામત 23%થી વધારી 42% કરવામાં આવ્યું:CM રેવંતે જાહેરાત કરી; 2023ની વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે વચન આપ્યું હતું

તેલંગાણામાં, OBC (અન્ય પછાત વર્ગો) અનામત મર્યાદા 23%થી વધારીને 42% કરવામાં આવી છે. સીએમ રેવંત રેડ્ડીએ આ જાહેરાત કરી છે. આનાથી તેલંગાણાની અનામત મર્યાદા 62% સુધી વધી જશે. આ સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરાયેલ 50% અનામત મર્યાદાનું ઉલ્લંઘન કરશે. તમને જણાવી દઈએ કે 2023ની વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે OBC ક્વોટા 23થી વધારીને 42% કરવાનું વચન આપ્યું હતું. તેલંગાણામાં પછાત વર્ગો વસતિના 46.25% છે. અનુસૂચિત જાતિ 17.43% અને અનુસૂચિત જનજાતિ 10.45% છે. મુખ્યમંત્રીએ X… પર પોસ્ટ કરીને માહિતી આપી. 2023ની ચૂંટણી પહેલા રેવંતે વચન આપ્યું હતું
2023ની તેલંગાણા વિધાનસભા ચૂંટણી પહેલા, તત્કાલીન તેલંગાણા કોંગ્રેસના પ્રમુખ રેવંત રેડ્ડીએ કામરેડ્ડી મેનિફેસ્ટો પર હસ્તાક્ષર કર્યા હતા. ત્યારે તેમણે કહ્યું હતું કે જો રાજ્યમાં કોંગ્રેસની સરકાર બને છે, તો છ મહિનાની અંદર જાતિ સર્વેક્ષણના આધારે સ્થાનિક સંસ્થાઓમાં OBC માટે હાલના 23% અનામતને વધારીને 42% કરવામાં આવશે. મેનિફેસ્ટોમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે OBC અનામતનું પેટા-વર્ગીકરણ કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments