back to top
Homeસ્પોર્ટ્સBCCI કરશે ટીમ ઈન્ડિયા પર રૂપિયાનો વરસાદ:ચેમ્પિયન્સ ટ્રોફીની જીત પર ટીમને 58...

BCCI કરશે ટીમ ઈન્ડિયા પર રૂપિયાનો વરસાદ:ચેમ્પિયન્સ ટ્રોફીની જીત પર ટીમને 58 કરોડનું રોકડ ઇનામ મળશે; ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને 12 વર્ષ પછી ખિતાબ જીત્યો

ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ટીમ ઈન્ડિયાને 58 કરોડ રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આ પુરસ્કારની જાહેરાત કરી છે. આ રકમ ટીમના તમામ ખેલાડીઓ, કોચિંગ અને સપોર્ટ સ્ટાફમાં વહેંચવામાં આવશે. જોકે, BCCIએ સ્પષ્ટ કર્યું નથી કે કોચિંગ સ્ટાફને કેટલી રકમ આપવામાં આવશે અને ખેલાડીઓને કેટલી. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું
9 માર્ચે રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું. ફાઇનલમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કર્યા બાદ ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 251 રન બનાવ્યા. જવાબમાં, ભારતે 49 ઓવરમાં છ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કર્યું. રોહિતે કેપ્ટનશીપની ઇનિંગ્સ રમી. તેણે ભારતને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટે 76 રન બનાવ્યા. ભારતે બધી મેચ જીતી
ભારતે તેની બધી મેચ દુબઈમાં રમી અને બધી જ મેચ જીતી. ટીમ ઈન્ડિયાએ ટુર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત બાંગ્લાદેશને 6 વિકેટે હરાવીને કરી હતી. ત્યાર બાદ ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી અને ન્યૂઝીલેન્ડને 44 રનથી હરાવ્યું. સેમિફાઇનલમાં તેઓએ ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હરાવ્યું હતું. સતત 2 ICC ટાઇટલ
9 મહિનામાં કેપ્ટન તરીકે રોહિત શર્માનું આ બીજું ICC ટાઇટલ છે. તેણે ગયા વર્ષે 29 જૂને T-20 વર્લ્ડ કપ પણ જીત્યો હતો. આ તેનું ત્રીજું ચેમ્પિયન્સ ટ્રોફી ટાઇટલ છે. ICCએ ચેમ્પિયન્સ ટ્રોફીની ઇનામી રકમમાં પણ 53 ટકાનો વધારો કર્યો
ICCએ ચેમ્પિયન્સ ટ્રોફીની ઇનામી રકમમાં 53 ટકાનો વધારો કર્યો. ભારતીય ટીમને 2.4 મિલિયન યુએસ ડોલર એટલે કે આશરે 19.5 કરોડ રૂપિયા મળ્યા. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ચેમ્પિયન્સ ટ્રોફીની કુલ ઇનામી રકમમાં $6.9 મિલિયન (લગભગ રૂ. 60 કરોડ)નો વધારો કર્યો છે. વિજેતા ઉપરાંત, રનર-અપ ન્યૂઝીલેન્ડ ટીમને $1.12 મિલિયન (લગભગ રૂ. 9.72 કરોડ) મળ્યા, જ્યારે સેમિફાઇનલમાં બહાર થયેલી બે ટીમો ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાને $56,000 (રૂ. 4.86 કરોડ) મળ્યા. IPLમાં બોલ પર થૂંક લગાવવાનો પ્રતિબંધ હટાવવામાં આવશે BCCI (ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ) ઇન્ડિયન પ્રીમિયર લીગની આ સીઝનમાં બોલરોને બોલ પર લાળ લગાવવાની મંજૂરી આપી શકે છે. હાલમાં, તેના પર પ્રતિબંધ છે. આ પ્રસ્તાવ પર બીસીસીઆઈની અંદર આંતરિક રીતે ચર્ચા થઈ છે અને ગુરુવારે મુંબઈમાં મળનારી બેઠકમાં તમામ આઈપીએલ ટીમોના કેપ્ટનો સમક્ષ તેને મૂકવામાં આવશે. સંપૂર્ણ સમાચાર વાંચો…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments