back to top
Homeભારતજયશંકરે કહ્યું- અમે હંમેશા થરૂરના વિચારોનું સન્માન કર્યું છે:કોંગ્રેસ નેતાએ સરકારની પ્રશંસા...

જયશંકરે કહ્યું- અમે હંમેશા થરૂરના વિચારોનું સન્માન કર્યું છે:કોંગ્રેસ નેતાએ સરકારની પ્રશંસા કરી હતી; તેમણે એક મહિના પહેલા કહ્યું હતું – પાર્ટી તેમની અવગણના કરે છે

વિદેશ મંત્રી એસ. જયશંકરે શનિવારે કહ્યું કે તેઓ હંમેશા કોંગ્રેસ નેતા શશિ થરૂરના વિચારોનું સન્માન કરે છે, ખાસ કરીને સરકાર સંબંધિત બાબતો પર. જયશંકર બિઝનેસ ટુડે માઇન્ડ્રશ 2025 કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કરેલ મોદી સરકારની પ્રશંસા અંગે તેમને સવાલ કરવામાં આવ્યા હતા.. જયશંકરે કહ્યું- અમે રશિયા-યુક્રેન સંઘર્ષને તેના કારણો અને પરિસ્થિતિઓને સમજીને ખૂબ જ નિષ્પક્ષ રીતે જોયો, જે અમારી સફળતા હતી. આ જ કારણ છે કે આ મુદ્દા સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા ઘણા પક્ષોના લોકો અમારા કામથી પ્રભાવિત થયા છે. ખરેખર, 19 માર્ચે કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે મોદી સરકારના વખાણ કર્યા હતા. થરૂરે કહ્યું કે આજે ભારત એવી સ્થિતિમાં છે જે રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ સ્થાપિત કરી શકે છે. થરૂરે કહ્યું હતું- ભારત પાસે એક એવા વડાપ્રધાન છે જે વોલોદિમીર ઝેલેન્સ્કી અને વ્લાદિમીર પુતિન બંનેને ભેટી શકે છે. અમારું બંને જગ્યાએ (રશિયા અને યુક્રેન) સ્વીકાર કરવામાં આવે છે. જયશંકરે કહ્યું- ભારતે ઈરાન અને ઇઝરાયલ સાથે બેલેન્સ જાળવી રાખ્યું છે જયશંકરે કહ્યું, ‘ભારતે રશિયા-યુક્રેન યુદ્ધમાં માત્ર તટસ્થ વલણ અપનાવ્યું ન હતું, પરંતુ મધ્ય પૂર્વમાં ઈરાન અને ઇઝરાયલ સાથેના તેના વ્યૂહાત્મક સંબંધોમાં પણ બેલેન્સ જળવી રાખ્યું.’ 2023 માં જ્યારે હમાસે ઇઝરાયલ પર હુમલો કર્યો ત્યારે ભારતે રાજદ્વારી બેલેન્સ જાળવી રાખ્યું. ઇઝરાયલ ભારતનો મુખ્ય સંરક્ષણ સપ્લાયર છે, જ્યારે ભારત તેની ક્રૂડ ઓઇલની જરૂરિયાતો માટે ઇરાન પર નિર્ભર છે. જયશંકરે કહ્યું – વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વૈશ્વિક નેતાઓ સાથેની મજબૂત રાજદ્વારી સમજણથી ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત બન્યું છે. ‘ઈન્ડિયા ફર્સ્ટ’ નીતિ હેઠળ ભારત ‘વિકસિત ભારત’ તરફ આગળ વધી રહ્યું છે. થરૂર PMના વખાણ કર્યા હતા, ભાજપના નેતાઓની નજીક છે
છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે અનેક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. તેઓ ભાજપના સાંસદો સાથે ફોટોગ્રાફી પણ કરી રહ્યા છે. 25 ફેબ્રુઆરી: કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ સાથે થરૂરની સેલ્ફી. 25 ફેબ્રુઆરીના રોજ શશિ થરૂરે ટ્વિટર પર ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ સાથેનો એક ફોટો શેર કર્યો હતો. ફોટામાં બ્રિટનના ટ્રેડ સેક્રેટરી જોનાથન રેનોલ્ડ્સ પણ તેમની સાથે દેખાય છે. થરૂરે ફોટો કેપ્શનમાં લખ્યું – ભારતીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલની હાજરીમાં યુકેના ટ્રેડ સ્ટેટ સેક્રેટરી જોનાથન રેનોલ્ડ્સ સાથે વાતચીત કરીને આનંદ થયો. 23 ફેબ્રુઆરી: થરૂરે મોદી અને ટ્રમ્પ વચ્ચેની મુલાકાતની પ્રશંસા કરી વડાપ્રધાન મોદીની અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાતના કેટલાક મહત્વપૂર્ણ પરિણામો દેશના લોકો માટે સારા છે. મને લાગે છે કે આમાં કંઈક સકારાત્મક સિદ્ધિ મળી છે, એક ભારતીય તરીકે હું તેની પ્રશંસા કરું છું. આ બાબતમાં, મેં ફક્ત રાષ્ટ્રીય હિતમાં વાત કરી છે. થરૂરના કોંગ્રેસ સાથેના અણબનાવના અહેવાલો પણ હતા 18 ફેબ્રુઆરીએ રાહુલ ગાંધી અને શશિ થરૂર વચ્ચે મુલાકાતના સમાચાર આવ્યા હતા. અહેવાલો અનુસાર, થરૂરે રાહુલને કહ્યું હતું કે મને સંસદમાં મહત્વપૂર્ણ ચર્ચાઓમાં બોલવાનો મોકો મળતો નથી. પાર્ટીમાં મારી અવગણના થઈ રહી છે. હું પાર્ટીમાં મારા સ્થાન વિશે મૂંઝવણમાં છું. રાહુલ ગાંધીએ મારી ભૂમિકા સ્પષ્ટ કરવી જોઈએ. રાહુલ ગાંધીએ શશિ થરૂરની ફરિયાદોનો કોઈ ચોક્કસ જવાબ આપ્યો ન હતો. થરૂરને લાગ્યું કે રાહુલ આ મામલે કંઈ કરવા તૈયાર નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments