બોલિવૂડ એક્ટર આમિર ખાન આજકાલ પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં જ એક્ટરે મીડિયા સમક્ષ પોતાની લેડી લવનો પરિચય કરાવ્યો અને ત્યારથી આમિર અને ગૌરી હેડલાઈન્સમાં રહે છે. એવામાં આમિરે હવે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે તેને તેના જીવનમાં એક વાતનો વસવસો રહી ગયો છે. જેના વિશે પહેલીવાર આમિરે વાત કરી અને પોતાની ભાવનાઓ વ્યકત કરી હતી. આમિરને જીવનમાં કઈ વાતનો અફસોસ છે?
તાજેતરમાં આમિર ખાને ઇન્સ્ટન્ટબોલિવૂડને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો. આ ઇન્ટરવ્યૂમાં આમિરે ઘણી વાતો શેર કરી. આ દરમિયાન એક્ટરે એ પણ જણાવ્યું કે મારી કારકિર્દી ખૂબ સારી રહી છે અને મારો પરિવાર પણ એટલો જ સુંદર છે, પરંતુ મને જીવનમાં ફક્ત એક જ વાતનો અફસોસ રહેશે કે મારા એક્ટિંગ કરિયરના 35 વર્ષોમાંથી 30-31 વર્ષ એવા હતા જ્યારે હું ફિલ્મોમાં ખૂબ ખોવાઈ ગયો હતો. ‘હું પર્સનલ રિલેશનને વધારે મહત્ત્વ આપતો નહોતો’
આમિરે કહ્યું કે- હવે મને લાગી રહ્યું છે કે મેં મારા પર્સનલ રિલેશનને પાછળ છોડી માત્ર કરિયર પર જ ધ્યાન આપ્યું. હવે મને એ સમજાય રહ્યું છે કે- હું મારા પરિવારને ઘણું બધું આપી શક્યો હોત પણ આપી નથી શક્યો કે મારું ધ્યાન ન રહ્યું. મારા તે નહોતું કરવું જોઈતું આ વાતનો મને હંમેશા અફસોસ રહેશે. આગળ એક્ટરે કહ્યું- મારા બાળકો (આયરા અને જુનૈદ) જ્યારે તે નાના હતા તેની સાથે જે સમય વિતાવી શક્યો હતો, હું તે વિતેલા દિવસો ક્યારેય પાછા નહીં લાવી શકું તે વાતનો અફસોસ છે. ‘હું બાળકો સાથે ઘણો સમય વિતાવું છું’
આમિરે આગળ કહ્યું કે- હવે હું મારા બાળકો સાથે ઘણો સમય વિતાવું છું, એક્ટરે મજાકમાં કહ્યું કે- હવે તો તેઓ પણ મારાથી પરેશાન થઈ ગયા છે. હવે હું મારા અંગત સંબંધો (મારી માતા, કિરણ, રીના, મિત્રો) માટે ઘણો સમય ફાળવું છું અને હું છેલ્લા ત્રણ વર્ષથી આ કરી રહ્યો છું. કોણ છે આમિર ખાનની નવી ગર્લફ્રેન્ડ ગૌરી?