back to top
Homeભારતવકફ બિલ સામે દેશવ્યાપી આંદોલનની તૈયારીઓ:મુસ્લિમ લો બોર્ડ 26 માર્ચે પટનામાં અને...

વકફ બિલ સામે દેશવ્યાપી આંદોલનની તૈયારીઓ:મુસ્લિમ લો બોર્ડ 26 માર્ચે પટનામાં અને 29 માર્ચે વિજયવાડામાં રેલીઓ યોજશે

ભાજપના સાંસદ અને JPC અધ્યક્ષ જગદંબિકા પાલે મંગળવારે જણાવ્યું હતું કે સરકાર વ્યાપક હિત માટે વક્ફ બોર્ડમાં સંશોધન કરી રહી છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી દેશને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પાલે કહ્યું, “જો આ સરકાર વકફમાં સુધારા કરી રહી છે, તો તે ફક્ત સારા માટે છે. વકફ બોર્ડ એક વૈધાનિક સંસ્થા છે, ધાર્મિક સંસ્થા નથી. મોદી સરકારે 8 ઓગસ્ટના રોજ લોકસભામાં વક્ફ સુધારા બિલ રજૂ કર્યું હતું. જે બાદ મુસ્લિમ સંગઠન વક્ફ બોર્ડ તેનો વિરોધ કરી રહ્યું છે. 17 માર્ચે દિલ્હીના જંતર-મંતર ખાતે પ્રદર્શન થયું હતું જગદંબિકા પાલે કહ્યું કે JPCએ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડને બોલાવ્યું હતું, પરંતુ તે પછી પણ તેઓએ જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કર્યુ. આ બિલ ફક્ત તેમના પોતાના ફાયદા માટે હશે, તે દેશના મુસ્લિમો અને લઘુમતીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ છે. દિલ્હીમાં થયેલા વિરોધ પ્રદર્શન બાદ, ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) ના કાર્યાલય સચિવ મોહમ્મદ વકાર ઉદ્દીન લતીફીએ 23 માર્ચે એક નોટિસ જાહેર કરીને પ્રસ્તાવિત વક્ફ સુધારા બિલ સામે દેશવ્યાપી આંદોલનની જાહેરાત કરી હતી. 26મીએ પટનામાં અને 29મીએ વિજયવાડામાં પ્રદર્શન થશે આંદોલનના પહેલા તબક્કામાં, 26 માર્ચે પટનામાં વિધાનસભાની સામે અને 29 માર્ચે વિજયવાડામાં મોટાપાયે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. AIMPLBની કેન્દ્રીય નેતૃત્વ ટીમ, વિવિધ ધાર્મિક અને સામાજિક સંગઠનોના રાષ્ટ્રીય અને પ્રાંતીય પ્રતિનિધિઓ આ વિરોધ પ્રદર્શનોમાં ભાગ લેશે. આ ઉપરાંત, નાગરિક સમાજના અગ્રણી પ્રતિનિધિઓ, લઘુમતી સમુદાયો અને દલિત, આદિવાસી અને ઓબીસી વર્ગોના નેતાઓ પણ આ આંદોલનોમાં ભાગ લેશે. બિલમાંથી સમર્થન પાછું ખેંચવા માટે પ્રદર્શન દ્વારા સંદેશ- ડૉ. ઇલિયાસ પ્રવક્તા ડૉ. ઇલિયાસે જણાવ્યું હતું કે આ બે વિરોધ પ્રદર્શનો દ્વારા ભાજપના સાથી પક્ષોને સ્પષ્ટ સંદેશ આપવો પડશે. ડૉ. ઇલિયાસના મતે, મુસ્લિમ પર્સનલ લો બોર્ડે આ આંદોલન માટે તબક્કાવાર યોજના તૈયાર કરી છે. આ અંતર્ગત દેશના દરેક રાજ્યની રાજધાનીમાં વિરોધ કાર્યક્રમો યોજાશે. હૈદરાબાદ, મુંબઈ, કોલકાતા, બેંગલુરુ, પંજાબ અને રાંચીમાં મોટા પાયે જાહેર સભાઓ યોજાશે. આ સાથે ધરણા વિરોધ પ્રદર્શન અને માનવ સાંકળ પણ બનાવવામાં આવશે. અગાઉ, ઇલ્યાસે દાવો કર્યો હતો કે સરકારનો ઉદ્દેશ્ય હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે ભાગલા પાડવાનો અને દેશમાં શાંતિ ડહોંળવાનો છે. આ દરમિયાન, જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ સોમવારે કહ્યું કે દેશભરમાં વક્ફ (સુધારા) બિલ સામે વિરોધ પ્રદર્શન સમજી શકાય તેવું છે કારણ કે ફક્ત એક ચોક્કસ ધર્મને જ નિશાન બનાવવામાં આવી રહ્યો છે. બધા ધર્મોમાં ધર્માર્થ પ્રવૃત્તિઓ સંકળાયેલી હોય છે અને મુસ્લિમો વક્ફ દ્વારા આ પ્રવૃત્તિઓ કરે છે. જ્યારે કોઈ ચોક્કસ ધર્મને નિશાન બનાવવામાં આવે છે, ત્યારે તણાવ પેદા થાય છે.” ઓવૈસીએ કહ્યું હતું કે- એક જ રાતમાં 655 પાના વાંચવા માટે આપવામાં આવ્યા, આ કેવી રીતે શક્ય છે? 27 જાન્યુઆરીના રોજ વકફ સુધારા કાયદા પર JPCની બેઠકમાં 44 સુધારાઓની ચર્ચા કરવામાં આવી હતી. ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ સાંસદોના 14 સુધારા સ્વીકારવામાં આવ્યા હતા, જ્યારે વિપક્ષના સુધારાઓને સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવ્યા હતા. સમિતિમાં વિપક્ષી સાંસદોએ આ બિલનો વિરોધ કર્યો. AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, અમને ગઈકાલે રાત્રે 655 પાનાનો ડ્રાફ્ટ રિપોર્ટ મળ્યો. 655 પાનાનો રિપોર્ટ રાતોરાત વાંચવો અશક્ય છે. મેં મારી અસંમતિ વ્યક્ત કરી છે અને સંસદમાં પણ આ બિલનો વિરોધ કરીશ. પહેલી બેઠક 22 ઓગસ્ટ, 2024 ના રોજ યોજાઈ હતી સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ 8 ઓગસ્ટ, 2024ના રોજ લોકસભામાં વકફ બિલ રજૂ કર્યું હતું. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સહિત વિપક્ષી પક્ષોએ આ બિલનો વિરોધ કર્યો હતો અને તેને મુસ્લિમ વિરોધી ગણાવ્યું હતું. વિપક્ષના વાંધા અને ભારે વિરોધ વચ્ચે, આ બિલ લોકસભામાં કોઈ પણ ચર્ચા વિના JPCને મોકલવામાં આવ્યું. વકફ બિલ સુધારા પર 31 સભ્યોની JPC ની પહેલી બેઠક 22 ઓગસ્ટના રોજ યોજાઈ હતી. બિલમાં 44 સુધારાઓ પર ચર્ચા થવાની હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments