back to top
Homeબિઝનેસજૂનથી ATM-UPI દ્વારા PFના રૂપિયા ઉપાડી શકાશે:1 લાખ રૂપિયા સુધી ઉપાડી શકાશે,...

જૂનથી ATM-UPI દ્વારા PFના રૂપિયા ઉપાડી શકાશે:1 લાખ રૂપિયા સુધી ઉપાડી શકાશે, ઈમરજન્સી સમયે તાત્કાલિક રૂપિયા મળશે

EPFO સભ્યો હવે UPI અને ATM દ્વારા PFના રૂપિયા ઉપાડી શકશે. તેની લિમિટ એક લાખ રૂપિયા સુધીની રહેશે. આ સુવિધા આ વર્ષે મે મહિનાના અંત સુધીમાં અથવા જૂનની શરૂઆતમાં શરૂ થવાની ધારણા છે.
શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવ સુમિતા ડાવરાએ બુધવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ માટે કર્મચારીઓને ડેબિટ કાર્ડની જેમ EPFO ​​વિડ્રોલ કાર્ડ આપવામાં આવશે. આનાથી તેઓ ATMમાંથી તાત્કાલિક રૂપિયા ઉપાડી શકશે અથવા તેમના UPI એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરી શકશે. આની મદદથી, તેઓ તેમના પીએફ બેલેન્સ પણ ચકાસી શકશે. હાલમાં, ઓનલાઈન ક્લેમ સબમિટ કર્યા પછી, EPFO ​​સભ્યોને દાવો મંજૂર થવામાં 2 અઠવાડિયા જેટલો સમય લાગે છે. તેનો હેતુ પ્રક્રિયાને સરળ બનાવવાનો છે સુમિતા ડાવરાના મતે, આ વિસ્તરણનો હેતુ દેશના વર્કફોર્સને મહત્તમ નાણાકીય સુગમતા પૂરી પાડવાનો છે. EPFO એ ઉપાડની સુવિધા માટે 120થી વધુ ડેટાબેઝને ઈન્ટીગ્રેટ કરીને તેના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કર્યો છે. ક્લેમની પ્રક્રિયાનો સમય ઘટાડીને માત્ર ત્રણ દિવસ કરવામાં આવ્યો છે, 95% દાવાઓ હવે ઓટોમેટેડ છે, અને વધુ સુધારાઓનું આયોજન કરવામાં આવ્યું છે. સચિવ ડાવરાએ કહ્યું કે બીમારી માટે હાલની જોગવાઈઓ સાથે, આવાસ, શિક્ષણ અને લગ્ન માટે રૂપિયા ઉપાડવાના વિકલ્પો પણ તેમાં સામેલ કરવામાં આવ્યા છે. ATM માંથી PFના રૂપિયા કેવી રીતે ઉપાડી શકાશે? આ નવી પ્રક્રિયામાં, EPFO ​​તેના ગ્રાહકોને એક ખાસ ATM કાર્ડ જાહેર કરશે, જે તેમના PF ખાતા સાથે લિંક હશે. આ કાર્ડનો ઉપયોગ કરીને, સબ્સ્ક્રાઇબર્સ તેમના પીએફના રૂપિયા સીધા એટીએમ મશીનોમાંથી ઉપાડી શકશે. જો તમારી નોકરી ગુમાવશો, તો તમે એક મહિના પછી તમારા PFની 75% રકમ ઉપાડી શકો છો PF ઉપાડના નિયમો હેઠળ, જો કોઈ સભ્ય નોકરી ગુમાવે છે, તો તે 1 મહિના પછી તેના PF ખાતામાંથી 75% પૈસા ઉપાડી શકે છે. આનાથી તે બેરોજગારી દરમિયાન પોતાની જરૂરિયાતો પૂરી કરી શકે છે. પીએફમાં જમા બાકીના 25% રૂપિયા નોકરી છોડ્યાના બે મહિના પછી ઉપાડી શકાય છે. PF ઉપાડ આવકવેરાના નિયમો જો કોઈ કર્મચારી કંપનીમાં 5 વર્ષની સેવા પૂર્ણ કરે છે અને તે પીએફ ઉપાડે છે, તો તેના પર કોઈ આવકવેરાની લાયબિલિટી નથી. 5 વર્ષનો સમયગાળો એક અથવા વધુ કંપનીઓ સાથે પણ હોઈ શકે છે. એક જ કંપનીમાં 5 વર્ષ પૂર્ણ કરવા જરૂરી નથી. કુલ સમયગાળો ઓછામાં ઓછો 5 વર્ષ હોવો જોઈએ. જો કોઈ કર્મચારી 5 વર્ષની સેવા પૂર્ણ કરતા પહેલા તેના પીએફ ખાતામાંથી 50,000 રૂપિયાથી વધુ ઉપાડે છે, તો તેણે 10% ટીડીએસ ચૂકવવો પડશે. જો તમારી પાસે પાન કાર્ડ નથી, તો તમારે 30% TDS ચૂકવવો પડશે. જો કે, જો કર્મચારી ફોર્મ 15G/15H સબમિટ કરે છે તો કોઈ TDS કાપવામાં આવતો નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments