back to top
Homeગુજરાતભાવનગર રેલવે મંડળમાં મહાદેવી વર્માની જન્મજયંતિની ઉજવણી:કર્મચારીઓએ કવયિત્રીના જીવન પર ચર્ચા કરી,...

ભાવનગર રેલવે મંડળમાં મહાદેવી વર્માની જન્મજયંતિની ઉજવણી:કર્મચારીઓએ કવયિત્રીના જીવન પર ચર્ચા કરી, ક્વિઝમાં ભાગ લીધો

પશ્ચિમ રેલવેની ભાવનગર ડિવિઝનલ ઓફિસમાં પ્રખ્યાત હિન્દી કવયિત્રી મહાદેવી વર્માની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમારની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં અનેક ગતિવિધિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાદેવી વર્માનો જન્મ 26 માર્ચ, 1907ના રોજ ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદમાં થયો હતો. સીનીયર ડીસીએમ માશૂક અહેમદના જણાવ્યા મુજબ, 10 કર્મચારીઓએ મહાદેવી વર્માના જીવન વિશે પોતાના વિચારો રજૂ કર્યા. કાર્યક્રમમાં કવયિત્રીના જીવન પર આધારિત ક્વિઝનું પણ આયોજન કરાયું. મોટી સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓએ ક્વિઝમાં ભાગ લીધો અને વિજેતાઓને સ્થળ પર ઈનામ અપાયા હતા. એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર હિમાંશુ શર્માએ રાજભાષા વિભાગની પ્રશંસા કરી. તેમણે ભવિષ્યમાં આવા કાર્યક્રમો યોજવાની હિમાયત કરી જેથી કર્મચારીઓમાં હિન્દી ભાષા અને વાંચન પ્રત્યે રુચિ વધે. રાજભાષા વિભાગની પ્રવૃત્તિઓના કારણે ભાવનગર મંડળમાં રાજભાષાના પ્રચાર-પ્રસારમાં નોંધપાત્ર વધારો થયો છે. રાજભાષા અધિકારી રામપ્રીત મૌર્યએ કાર્યક્રમના સફળ આયોજન માટે સૌનો આભાર માન્યો. વરિષ્ઠ અનુવાદક પરેશ મજીઠીયા, સંજીવ કુમાર ઝા અને જુનિયર અનુવાદક નરપતસિંહે કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments