આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ વકફ મિલકતોનું રક્ષણ કરવાનું વચન આપ્યું છે. 27 માર્ચે વિજયવાડામાં રાજ્ય સરકારની ઇફ્તાર પાર્ટીમાં બોલતા, નાયડુએ કહ્યું કે તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) એ હંમેશા મુસ્લિમો સાથે ન્યાય કર્યો છે, અમે વંચિત મુસ્લિમ પરિવારોના વિકાસ માટે પ્રતિબદ્ધ છીએ. મુખ્યમંત્રીએ મુસ્લિમોની આર્થિક સ્થિતિ સુધારવા માટે વહીવટીતંત્રના પ્રયાસો પર પણ પ્રકાશ પાડ્યો અને બજેટ ફાળવણી અને કલ્યાણકારી પહેલો પર વાત કરી. તેમણે કહ્યું કે તેમની સરકારે લઘુમતી સમુદાયોના વિકાસ માટે 2025-26ના બજેટમાં 5,300 કરોડ રૂપિયા ફાળવ્યા છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) આજે આંધ્રપ્રદેશના વિજયવાડામાં વકફ સુધારા બિલ સામે વિરોધ પ્રદર્શન કરવાની તૈયારી કરી રહ્યું છે. અમે વકફ બોર્ડનું પુનર્ગઠન કર્યું છે- ચંદ્રબાબુ નાયડુ સરકારી આદેશ 43 ની આસપાસના વિવાદ પર, નાયડુએ કહ્યું કે જ્યારે GO 43 રજૂ કરવામાં આવ્યો, ત્યારે બિનજરૂરી વિવાદ ઉભો થયો. આ મામલો કોર્ટમાં પહોંચ્યા બાદ વક્ફ બોર્ડની કામગીરી ખોરવાઈ ગઈ હતી. અમારી સરકારે કાર્યભાર સંભાળતાની સાથે જ, અમે આદેશ રદ કર્યો અને વકફ મિલકતોનું રક્ષણ સુનિશ્ચિત કરતા બોર્ડની પુનર્ગઠન કર્યું. નાયડુએ મુસ્લિમ ધાર્મિક નેતાઓના માનદ વેતનમાં વધારાની પણ જાહેરાત કરી અને કહ્યું કે ઇમામોને હવે 10,000 રૂપિયા મળશે, જ્યારે મૌજાનોને 5,000 રૂપિયા આપવામાં આવશે. નાયડુ પર ડબલ ગેમ રમવાનો આરોપ YSRCPના નેતા શેખ આસિફે ચંદ્રાબાબુ નાયડુ પર “ડબલ ગેમ” રમવાનો આરોપ લગાવ્યો. શેખ આસિફે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ સંસદમાં વકફ સુધારા બિલને સમર્થન આપ્યું હતું, જ્યારે આંધ્ર પ્રદેશમાં વકફ મિલકતોને રક્ષણ આપવાની વાત કરી હતી, જે મુસ્લિમો પ્રત્યે “બેવડું ધોરણ” દર્શાવે છે. AIMIM અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે તેઓ મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, લોક જનશક્તિ પાર્ટીના નેતા ચિરાગ પાસવાન અને રાષ્ટ્રીય લોક દળના નેતા જયંત ચૌધરીને ક્યારેય માફ નહીં કરે. ઓવૈસીએ કહ્યું કે મુસ્લિમો તેમને ક્યારેય માફ નહીં કરે કારણ કે તેઓ ભાજપને શરિયત પર હુમલો કરવાની મંજૂરી આપી રહ્યા છે. જો આ ચાર નેતાઓ ઇચ્છે તો, તેઓ બિલને રોકી શકે છે, પરંતુ તેઓ ભાજપને આપણી મસ્જિદો અને વકફનો નાશ કરવાની મંજૂરી આપી રહ્યા છે. વક્ફ બિલ પર બિહાર અને આંધ્રપ્રદેશનું રાજકારણ નાયડુએ 9 માર્ચ 2024ના રોજ ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું. જે મુજબ, ભાજપને રાજ્યની 25 લોકસભા બેઠકોમાંથી 6 અને 175 વિધાનસભા બેઠકોમાંથી 10 બેઠકો ફાળવવામાં આવી હતી. આ પછી, આંધ્રપ્રદેશના મુસ્લિમ જૂથોએ સોશિયલ મીડિયા પર એક મોટુ અભિયાન શરૂ કર્યુ છે, જેમાં સમુદાયના મતદારોને આગામી ચૂંટણીમાં ટીડીપીને મત ન આપવાની ચેતવણી આપવામાં આવી છે. મુસ્લિમ જૂથોનું માનવું હતું કે ભાજપ દેશમાં ધર્મના નામે લોકોમાં ભાગલા પાડી રહ્યું છે. જો વકફ સુધારા બિલને સમર્થન આપવામાં આવે તો, મુસ્લિમ સમુદાય, જેની વસ્તી લગભગ 7% છે, તે ટીડીપીથી અલગ થઈ જશે. બિહારમાં નીતિશ કુમારના નેતૃત્વમાં NDA સરકાર છે. આંધ્રપ્રદેશમાં પણ NDA છાવણીના ચંદ્રબાબુ નાયડુ મુખ્યમંત્રી છે. કેન્દ્ર સરકાર બંને પક્ષોના જોરે ચાલી રહી છે. જો આ બંને પક્ષો NDA છોડી દેશે તો ભાજપ સરકાર લઘુમતીમાં આવી જશે. ખરેખરમાં, કેન્દ્રમાં સરકાર બનાવવા માટે 272 નો આંકડો જરૂરી છે. હાલમાં NDA પાસે 292 સાંસદો છે. તેનો અર્થ બહુમતી કરતાં 20 વધુ છે. નીતિશ કુમારના જેડીયુ પાસે 12 સાંસદો છે અને ચંદ્રબાબુ નાયડુની TDP પાસે 16 સાંસદો છે. કુલ સાંસદોની સંખ્યા 28 છે. એટલે કે જો બંને પોતાનો ટેકો પાછો ખેંચી લે તો કેન્દ્ર સરકાર પાસે બહુમતી માટે 8 સાંસદોનો અભાવ રહેશે. આવી સ્થિતિમાં સરકાર લઘુમતીમાં હશે. તમિલનાડુ વિધાનસભામાં વકફ બિલ વિરુદ્ધ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો તમિલનાડુની ડીએમકે સરકારે 27 માર્ચે વક્ફ સુધારા બિલ વિરુદ્ધ વિધાનસભામાં પ્રસ્તાવ પસાર કર્યો હતો. મુખ્યમંત્રી એમકે સ્ટાલિને આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે – આ બિલ મુસ્લિમોના અધિકારોને ખતમ કરશે. અમારી માંગ છે કે કેન્દ્ર સરકારે આ બિલ પાછું ખેંચવું જોઈએ. સ્ટાલિને કહ્યું, ‘કેન્દ્ર સરકાર એવી યોજનાઓ લાવી રહી છે જે રાજ્યના અધિકારો, સંસ્કૃતિ અને પરંપરાની વિરુદ્ધ છે.’ વકફ સુધારા બિલ મુસ્લિમોના અધિકારોનો નાશ કરી રહ્યું છે. તેમણે કહ્યું- સુધારામાં કહેવામાં આવ્યું છે કે બે બિન-મુસ્લિમ લોકો વકફનો ભાગ હોવા જોઈએ. મુસ્લિમોને ડર છે કે આ સરકાર માટે વકફ મિલકતો પર કબજો કરવાનો એક માર્ગ છે અને તે ધાર્મિક સ્વતંત્રતાની વિરુદ્ધ છે. મુસ્લિમ પર્સનલ લો બોર્ડનો દેશભરમાં વિરોધ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) સંગઠને 17 માર્ચે દિલ્હીના જંતર-મંતર પર વક્ફ સુધારા બિલનો વિરોધ કર્યો હતો. 26 માર્ચે, મુસ્લિમ સંગઠનોએ પટનામાં વિરોધ પ્રદર્શન કર્યું, આ વિરોધ પ્રદર્શનને આરજેડી, કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષોએ ટેકો આપ્યો. આરજેડી સુપ્રીમો લાલુ યાદવ અને વિપક્ષના નેતા તેજસ્વી યાદવ પણ વિરોધ સ્થળ પર પહોંચ્યા હતા.