back to top
Homeગુજરાતખેડૂતોને રાહત આપતો નિર્ણય:અમરેલીમાં તળાવ-ચેકડેમમાંથી માટી ઉપાડવાની મંજૂરી માટે ભાજપ પ્રમુખની મંત્રીને...

ખેડૂતોને રાહત આપતો નિર્ણય:અમરેલીમાં તળાવ-ચેકડેમમાંથી માટી ઉપાડવાની મંજૂરી માટે ભાજપ પ્રમુખની મંત્રીને રજૂઆત

અમરેલી જિલ્લામાં ખેડૂતોને મોટી રાહત મળી શકે છે. જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ રાજ્ય સરકારના જળસંપત્તિ વિભાગના મંત્રી કુંવરજી બાવળિયાને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે જિલ્લાના તમામ ચેકડેમ અને તળાવોમાંથી માટી ઉપાડવાની મંજૂરી આપવાની માગણી કરી છે. સૌરાષ્ટ્રમાં ઉનાળાની ઋતુમાં ખેડૂતો પાણીના સંગ્રહ માટે તળાવો ઊંડા કરવા ઇચ્છે છે. આ માટી તેઓ પોતાની ખેતીની જમીનમાં નાખવા માંગે છે. પરંતુ વર્તમાન નિયમો અને પરમિશન પ્રક્રિયાને કારણે ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કાનાણીએ પત્રમાં જણાવ્યું છે કે જો ચેકડેમ અને તળાવમાંથી માટી કાઢવાની મંજૂરી મળે તો બેવડો ફાયદો થશે. એક તરફ ખેડૂતોને તેમની જમીન માટે માટી મળશે. બીજી તરફ તળાવો અને ચેકડેમ ઊંડા થવાથી વધુ પાણીનો સંગ્રહ થઈ શકશે. આ રજૂઆત સાથે તેમણે માગણી કરી છે કે અમરેલી જિલ્લાના તમામ ચેકડેમો અને તળાવોમાંથી માટી ઉપાડવાની મંજૂરી ત્વરિત આપવામાં આવે. આ નિર્ણયથી જિલ્લાના ખેડૂતોને મોટી રાહત મળશે અને જળસંગ્રહની ક્ષમતામાં પણ વધારો થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments