પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ માલદા જિલ્લાના મોથાબારીમાં થયેલી હિંસા પર ભાજપ અને ડાબેરીઓ પર સાથે મળીને રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો હતો. કોઈનું નામ લીધા વિના મમતાએ કહ્યું કે આ બંને પક્ષો સાથે મળીને રમખાણો ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મમતાએ કહ્યું- નવરાત્રી ચાલી રહી છે, હું તમને બધાને આ માટે પણ શુભકામનાઓ પાઠવું છું. પરંતુ અમે ઇચ્છીએ છીએ કે કોઈ પણ ખલેલ પહોંચાડવામાં આવે નહીં. મમતા કહ્યું- “યાદ રાખજો, દીદી દરેક પરિસ્થિતિમાં તમારી સાથે છે, હું એકલી 100ને બરાબર છું.” સોમવારે ઈદના અવસર પર મમતા કોલકાતાની ઈદગાહ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે ટીએમસી સરકાર રમખાણો રોકવા માટે પ્રતિબદ્ધ છે. તે બધા ધર્મો માટે પોતાના જીવનનું બલિદાન આપવા તૈયાર છે. મમતાએ કહ્યું- બહુમતીની ફરજ લઘુમતીનું રક્ષણ કરવાની છે, અને લઘુમતીનું કર્તવ્ય બહુમતી સાથે રહેવાનું છે. અમે કોઈને પણ રમખાણ કરવા દઈશું નહીં. અમારો એક જ અવાજ છે, રમખાણો રોકવાનો.
સીએમ મમતાએ કહ્યું કે કેટલાક લોકો જાણીજોઈને બંગાળમાં રમખાણો ભડકાવવા માટે ઉશ્કેરી રહ્યા છે. તેમણે જાહેર જનતાને અપીલ કરી હતી કે આવી જાળમાં ન ફસાવું અને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવું .મમતાએ એમ પણ કહ્યું કે તે હંમેશા લોકોની સાથે છે અને કોઈપણ પરિસ્થિતિમાં તેમનો સાથ આપશે. તેમણે કહ્યું, “યાદ રાખજો, દીદી દરેક પરિસ્થિતિમાં તમારી સાથે છે, હું એકલી 100 બરાબર છું.” ખરેખરમાં, આ ઘટના 27 માર્ચે પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના મોથાબારીમાં બે જૂથો વચ્ચે બની હતી. અહેવાલો અનુસાર, 26 માર્ચે મોથાબારી મસ્જિદમાં નમાઝ અદા કરવામાં આવી રહી હતી. આ દરમિયાન ત્યાંથી એક સરઘસ પસાર થઈ રહ્યું હતું, ત્યારે કેટલાક લોકોએ ધાર્મિક સૂત્રોચ્ચાર કર્યા. 27 માર્ચે, અન્ય સમુદાયે તેનો વિરોધ કર્યો. આ દરમિયાન ટોળાએ દુકાનો, ઘરો અને વાહનોમાં તોડફોડ અને લૂંટ મચાવી હતી. મોથાબારીમાં 61 બદમાશોની ધરપકડ, ઇન્ટરનેટ બંધ રાજ્યના કાયદો અને વ્યવસ્થા માટેના અધિક પોલીસ મહાનિર્દેશક (ADG) જાવેદ શમીમે જણાવ્યું હતું કે મોથાબારીમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને અત્યાર સુધીમાં 61 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું- અત્યાર સુધીમાં 19 કેસ નોંધાયા છે અને 61 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ટૂંક સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય થઈ જશે. આજે હિંસાની કોઈ ઘટના બની નથી. શુક્રવારે, કોલકાતા હાઈકોર્ટે હિંસા અંગે 3 એપ્રિલ સુધીમાં ડીએમ અને એસપી પાસેથી કાર્યવાહી રિપોર્ટ માંગ્યો છે. કોર્ટે કહ્યું કે રાજ્યએ સાવધાની સાથે કામ કરવું જોઈએ. ઉપરાંત, હિંસાથી પ્રભાવિત લોકોના રક્ષણ માટે યોગ્ય પગલાં લેવા જોઈએ. ભાજપે વિરોધ પ્રદર્શન કર્યુ શુક્રવારે મોથાબારી હિંસા સામે ભાજપે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભાજપનો આરોપ છે કે રાજ્ય સરકાર હિંસા રોકવામાં નિષ્ફળ ગઈ છે. અગાઉ, ભાજપના પ્રદેશ પ્રમુખ સુકાંત મજુમદારે કહ્યું હતું કે 27 માર્ચથી મોથાબારીમાં પરિસ્થિતિ તંગ છે. હિન્દુ મંદિરો અને ઘરોમાં તોડફોડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું- મેં રાજ્યપાલ સીવી આનંદ બોઝ સાથે વાત કરી છે અને ગૃહમંત્રી અમિત શાહના કાર્યાલયનો પણ સંપર્ક કર્યો છે. સવાલ એ છે કે બંગાળમાં આવી ઘટનાઓ વારંવાર કેમ બની રહી છે. શુક્રવારે અમને હિંસાગ્રસ્ત મોથાબારીમાં જતા અટકાવવામાં આવ્યા હતા. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા અને ભાજપના ધારાસભ્ય સુવેન્દુ અધિકારીએ મોથાબારી હિંસા અંગે રાજ્યપાલ સીવી આનંદ બોઝને પત્ર લખ્યો છે. સુવેન્દુએ કહ્યું કે મમતા બેનર્જી સરકારમાં અરાજકતા છે. તેથી, રાજ્ય સરકારને તાત્કાલિક અસરથી મોથાબારીમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (CAPF) તહેનાત કરવાનો નિર્દેશ આપવો જોઈએ. પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના સેલ છોડ્યા સ્થાનિકોના જણાવ્યા અનુસાર, 27 માર્ચે વિરોધ પ્રદર્શન દરમિયાન લોકો હાથમાં ધાર્મિક ધ્વજ લઈને ફરતા હતા. સૂત્રોચ્ચાર કરતા લોકો અચાનક હિંસક બની ગયા અને દુકાનો અને ઘરોમાં તોડફોડ કરી, સામાન લૂંટી લીધો અને રસ્તાઓ પર પાર્ક કરેલા વાહનોને આગ ચાંપી દીધી. પોલીસે ભીડને કાબુમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના સેલ છોડ્યા હતા. માલદા પોલીસે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી. સોશિયલ મીડિયા પર કોઈપણ પ્રકારની અફવા કે ખોટી માહિતી પર ધ્યાન ન આપો. કેટલાક લોકો જાણી જોઈને હિંસા ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. હિંસા સંબંધિત 2 ફોટા…