back to top
Homeભારતઅયોધ્યામાં રામનવમી, 5 લાખ ભક્તો પહોંચ્યા:12 વાગ્યે સૂર્ય તિલક થશે, ડ્રોનથી સરયુ...

અયોધ્યામાં રામનવમી, 5 લાખ ભક્તો પહોંચ્યા:12 વાગ્યે સૂર્ય તિલક થશે, ડ્રોનથી સરયુ જળના આમી છાંટણા; હનુમાનગઢી ખાતે 2 કિમી લાંબી કતાર

રામનવમી પર, અયોધ્યામાં રામલલ્લા 18 કલાક સુધી દર્શન આપશે. સવારે 5 વાગ્યે મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા. રાત્રે 11 વાગ્યા સુધી દર્શન ચાલુ રહેશે. શણગાર દરમિયાન પણ રામલલ્લાના દર્શન બંધ નહીં થાય. વહીવટીતંત્રનો અંદાજ છે કે લગભગ 5 લાખ શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચ્યા છે. મોટાભાગના ભક્તો પહેલા સરયુમાં સ્નાન કરી રહ્યા છે. પછી રામલલ્લા અને હનુમાનગઢીના દર્શન કરી રહ્યા છે. રામલલાનો સૂર્ય તિલક બરાબર 12 વાગ્યે થશે. રામલલાના લલાટ પર 4 મિનિટ સુધી સૂર્ય કિરણો ઝળહળશે. IIT રૂરકીની ટીમે શનિવારે તેનું ફાઈનલ ટ્રાયલ હાથ ધર્યું. હવામાન વિભાગનો અંદાજ છે કે બપોર સુધીમાં અયોધ્યામાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે. તેથી, રામ પથ, ભક્તિ પથ, ધર્મ પથ અને રામ જન્મભૂમિ પથ પર ભક્તો માટે લાલ જાજમ બિછાવી દેવામાં આવી રહી છે. ડ્રોન દ્વારા ભક્તો પર સરયુના જળના અમી છાંટણા કરવામાં આવ્યા ચારેય રસ્તાઓ પર શેડ બનાવવામાં આવ્યા છે. 2 તસવીરો જુઓ… પહેલીવાર દીપોત્સવની ઉજવણીની પણ તૈયારીઓ થઈ રહી છે. સરયુ નદીના કિનારે 2 લાખ દીવા પ્રગટાવવામાં આવશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને, મંદિર પરિસરની સુરક્ષા માટે AI ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 1000થી વધુ સીસીટીવી દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે. ડ્રોન દ્વારા દેખરેખ રાખવાનો ટ્રાયલ પણ કરવામાં આવ્યો છે. અયોધ્યામાં રામ નવમીના ક્ષણ-ક્ષણ અપડેટ્સ માટે, નીચે આપેલા બ્લોગ પર જાઓ…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments