back to top
Homeભારતકર્ણાટક હાઈકોર્ટે કહ્યું- દેશમાં UCC લાગુ થવો જોઈએ:બંધારણના ઘડવૈયાઓ પણ આના પક્ષમાં...

કર્ણાટક હાઈકોર્ટે કહ્યું- દેશમાં UCC લાગુ થવો જોઈએ:બંધારણના ઘડવૈયાઓ પણ આના પક્ષમાં હતા; રાજ્ય અને કેન્દ્રને કાયદો બનાવવા અપીલ

કર્ણાટક હાઈકોર્ટે શનિવારે કહ્યું કે દેશમાં યુનિફેરમ સિવિલ કોડ (UCC) લાગુ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આનાથી બધા નાગરિકો (ખાસ કરીને મહિલાઓ) ને સમાન અધિકાર મળશે. કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને સંયુક્ત રીતે આવો કાયદો ઘડવાની અપીલ કરી છે. આ ટિપ્પણી જજ હંચાટે સંજીવ કુમારની સિંગલ જજ બેન્ચે કૌટુંબિક મિલકત વિવાદના કેસમાં કરી હતી. આ કેસ મુસ્લિમ મહિલા શહનાઝ બેગમના મૃત્યુ પછી મિલકતના વિભાજન અંગેનો હતો, જેમાં તેના ભાઈ-બહેન અને પતિ વચ્ચે વિવાદ થયો હતો. આ કેસના બહાને કોર્ટે મુસ્લિમ પર્સનલ લો પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે આ કાયદો મહિલાઓ સાથે ભેદભાવ કરે છે. મુસ્લિમ અને હિન્દુ પર્સનલ લો વચ્ચેના તફાવત અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી કોર્ટે કહ્યું કે હિન્દુ કાયદા હેઠળ, દીકરીઓને પૈતૃક સંપત્તિમાં સમાન અધિકાર છે, જ્યારે મુસ્લિમ કાયદા હેઠળ, ભાઈને મુખ્ય હિસ્સેદાર અને બહેનને ઓછી હિસ્સેદાર માનવામાં આવે છે, જેના કારણે બહેનોને નાનો હિસ્સો મળે છે. કોર્ટે કહ્યું કે આ અસમાનતા બંધારણના અનુચ્છેદ 14 (સમાનતાના અધિકાર)ની વિરુદ્ધ છે. ગોવા અને ઉત્તરાખંડનું ઉદાહરણ કોર્ટે કહ્યું કે ગોવા અને ઉત્તરાખંડ જેવા રાજ્યોએ પહેલાથી જ UCC તરફ પગલાં લીધાં છે. આ કારણે, હવે કેન્દ્ર અને અન્ય રાજ્યોએ પણ આ દિશામાં કામ કરવું જોઈએ. કોર્ટે પોતાના નિર્ણયની નકલ કેન્દ્ર અને કર્ણાટક સરકારના કાયદા સચિવોને મોકલવાનો નિર્દેશ આપ્યો છે. બંધારણ ઘડવૈયાઓ પણ યુસીસીના પક્ષમાં હતા જસ્ટિસ કુમારે પોતાના નિર્ણયમાં ડૉ. બી.આર. આંબેડકર, સરદાર પટેલ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ જેવા નેતાઓના ભાષણોનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તે બધા સમાન નાગરિક સંહિતાના પક્ષમાં હતા. તેમનું માનવું હતું કે દેશમાં સમાન નાગરિક કાયદા હોવા જોઈએ, જે રાષ્ટ્રીય એકતા અને સામાજિક સમાનતાને પ્રોત્સાહન આપશે. કોર્ટનો નિર્ણય શું હતો? શહનાઝ બેગમના મૃત્યુ પછી, તેમના ભાઈ, બહેન અને પતિ વચ્ચે તેમની બે મિલકતો અંગે વિવાદ થયો. ભાઈ-બહેનોએ દાવો કર્યો હતો કે શહેનાઝે આ મિલકતો પોતાની કમાણીમાંથી ખરીદી છે અને તેથી, દરેકને સમાન હિસ્સો મળવો જોઈએ. પરંતુ પતિએ કહ્યું કે બંનેએ સાથે મળીને મિલકત ખરીદી હતી, તેથી તેને મોટો હિસ્સો મળવો જોઈએ. તપાસ કર્યા પછી, કોર્ટે ઠરાવ્યું કે મિલકતો પતિ અને પત્નીની સંયુક્ત કમાણીમાંથી ખરીદવામાં આવી હતી, ભલે તે ફક્ત પત્નીના નામે હતી. આ આધારે, હાઇકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો અને બંને ભાઈઓને બંને મિલકતોમાં 1/10મો હિસ્સો આપ્યો. બહેનને 1/20મો હિસ્સો અને પતિને 3/4મો હિસ્સો આપવામાં આવ્યો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments