back to top
Homeભારતમોદીએ શ્રીલંકાથી પાછા ફરતા સમયે રામસેતુ જોયો:વીડિયો પોસ્ટ કર્યો, લખ્યું- આ દિવ્ય...

મોદીએ શ્રીલંકાથી પાછા ફરતા સમયે રામસેતુ જોયો:વીડિયો પોસ્ટ કર્યો, લખ્યું- આ દિવ્ય અનુભવ હતો, શ્રીરામ બધાને જોડનાર શક્તિ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રીલંકાથી પરત ફરતી વખતે વિમાનમાંથી રામસેતુનાં દર્શન કર્યાં હતાં. તેમણે તેનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. મોદીએ કહ્યું- શ્રીલંકાથી પાછા ફરતી વખતે મેં વિમાનમાંથી રામસેતુ જોયો. આ ત્યારે જ બન્યું જ્યારે અયોધ્યાના રામમંદિરમાં રામલલ્લાના સૂર્ય તિલક થઈ રહ્યા હતા. આ એક દિવ્ય અનુભવ હતો. ભગવાન શ્રી રામ એ શક્તિ છે જે આપણા બધાને જોડે છે. તેમના આશીર્વાદ હંમેશાં આપણા પર રહે. મોદીએ પોસ્ટ કરેલી ટ્વિટ PM નરેન્દ્ર મોદી ત્રણ દિવસના શ્રીલંકાના પ્રવાસે હતા. આ દરમિયાન મોદીની અપીલ બાદ શ્રીલંકાએ 14 ભારતીય માછીમારોને મુક્ત કર્યા છે. પ્રધાનમંત્રીએ ગઈકાલે શ્રીલંકાના રાષ્ટ્રપતિ દિસાનાયકે સાથે માછીમારોની મુક્તિ અંગે વાત કરી હતી. મોદી શ્રીલંકાનો ત્રણ દિવસનો પ્રવાસ પૂર્ણ કરીને ભારત જવા રવાના થયા હતા. આ પહેલાં તેમણે માહો ઓમાનથાઈ રેલવે લાઇનનું ઉદ્ઘાટન કર્યું અને બૌદ્ધ તીર્થસ્થળ અનુરાધાપુરામાં સિગ્નલ સિસ્ટમનો શિલાન્યાસ કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે સાથે ટ્રેનને લીલી ઝંડી પણ આપી હતી. આ રેલવે લાઇન શ્રીલંકાના માહો જિલ્લા અને ઓમનથાઈ જિલ્લા વચ્ચેની ઉત્તરીય રેલવે લાઇનનો 128 કિમી લાંબો ભાગ છે. તે શ્રીલંકાના કુરુનેગાલા, અનુરાધાપુરા અને વાવુનિયા જિલ્લામાંથી પસાર થાય છે. શ્રીલંકાની સરકારે આ રેલવે લાઇનના આધુનિકીકરણ અને સુધારણા માટે અનેક પ્રોજેક્ટ શરૂ કર્યા છે. ભારતીય જાહેર ક્ષેત્રની કંપની IRCON ઇન્ટરનેશનલ લિમિટેડ આ વિભાગના ડેવલપમેન્ટ માટે કામ કરી રહી છે. ભારતે આ પ્રોજેક્ટ માટે 318 મિલિયન ડોલર (2720 કરોડ રૂપિયા)ની લોન આપી છે. આ પહેલાં PM મોદી આજે અનુરાધાપુરા ​​ખાતે જયશ્રી મહાબોધિ મંદિર પહોંચ્યા હતા. અહીં તેઓ મંદિરમાં બૌદ્ધ સાધુઓને મળ્યા. આ દરમિયાન પીએમએ મંદિરના મુખ્ય બૌદ્ધ સાધુને ભેટ પણ આપી હતી. ગઈકાલે આપણે માછીમારોની મુક્તિ અને તમિલોના અધિકારો વિશે વાત કરી હતી. શુક્રવારે, પ્રવાસના બીજા દિવસે, પીએમ મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. આ દરમિયાન મોદીએ ભારતીય માછીમારોની ધરપકડ અને તમિલ સમુદાયના અધિકારો અંગે ચર્ચા કરી. સાંજે, પીએમ મોદી શ્રીલંકામાં તમિલ સમુદાયને મળ્યા, કોલંબોમાં ભારતીય શાંતિ જાળવણી સ્મારક ખાતે ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપી અને 1996 ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર શ્રીલંકન ટીમને મળ્યા હતા. આ પીએમ મોદીની શ્રીલંકાની ચોથી મુલાકાત છે. આ પહેલાં તેમણે 2015, 2017 અને 2019માં મુલાકાત લીધી હતી. પીએમ મોદીની શ્રીલંકા મુલાકાતની 7 તસવીરો… શ્રીલંકાના રાષ્ટ્રપતિ સમક્ષ મોદીએ માછીમારોનો મુદ્દો ઉઠાવ્યો પીએમ મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ દિસાનાયકે સાથે ભારતીય માછીમારોને તાત્કાલિક મુક્ત કરવા અને તેમની બોટોને મુક્ત કરવા અંગે વાત કરી. તેમણે કહ્યું કે અમે સહમત છીએ કે આપણે આ બાબતમાં માનવતા સાથે આગળ વધવું જોઈએ. તમિલ મુદ્દા પર, મોદીએ કહ્યું કે તેમને વિશ્વાસ છે કે શ્રીલંકાની સરકાર તમિલોની અપેક્ષાઓ પૂર્ણ કરશે અને શ્રીલંકાના બંધારણ હેઠળ તેમને આપવામાં આવેલા સંપૂર્ણ અધિકારોનો અમલ કરશે. રાષ્ટ્રપતિ દિસાનાયકે કહ્યું- મેં પીએમ મોદીને કહ્યું કે જરૂરિયાતના સમયે ભારતની મદદ આપણા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહી છે. મેં તેમને કહ્યું છે કે શ્રીલંકા તેના પ્રદેશનો ઉપયોગ ભારતનાં સુરક્ષા હિતો વિરુદ્ધ થવા દેશે નહીં. ​​​​પીએમ મોદીને મિત્ર વિભૂષણ એવોર્ડ મળ્યો શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મિત્ર વિભૂષણ એવોર્ડ આપ્યો. મિત્ર વિભૂષણ એવોર્ડ એ શ્રીલંકાનો બિન-નાગરિકો માટેનું સર્વોચ્ચ સન્માન છે. મોદીએ કહ્યું કે આ સન્માન ફક્ત મારું નથી પરંતુ 140 કરોડ ભારતીયોનું સન્માન છે. આ ભારત અને શ્રીલંકાના લોકો વચ્ચેના ઐતિહાસિક સંબંધો અને ગાઢ મિત્રતાનું સન્માન છે. પીએમ મોદીએ કહ્યું કે રાષ્ટ્રપતિ દિસાનાયકે તેમની પહેલી વિદેશયાત્રા માટે ભારતની પસંદગી કરી હતી અને મને તેમના પહેલા વિદેશી મહેમાન બનવાનું સૌભાગ્ય મળ્યું. આ આપણા વિદેશી સંબંધોનું મજબૂતાઈનું પ્રતીક છે. મોદી-દિસાનાયકેએ સોમપુર સોલર એનર્જી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેએ સંયુક્ત રીતે કોલંબોમાં સોમપુરા સોલર એનર્જી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. સોમપુરા એક 120 મેગાવોટ (50 મેગાવોટનો પ્રથમ તબક્કો + 70 મેગાવોટ બીજો તબક્કો) સૌર ઊર્જા પ્રોજેક્ટ છે જે શ્રીલંકાના પૂર્વીય ત્રિંકોમાલી જિલ્લામાં આવેલ છે. ભારતનું નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC) અને શ્રીલંકન ઇલેક્ટ્રિસિટી બોર્ડ (CEB) સંયુક્ત રીતે તેને ડેવલપ કરી રહ્યા છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય શ્રીલંકાની ઊર્જા જરૂરિયાતોને પહોંચી વળવાનો અને નવીનીકરણીય ઊર્જાને પ્રોત્સાહન આપવાનો છે. એરપોર્ટ પર 6 મંત્રીઓએ મોદીનું સ્વાગત કર્યું હતું મોદી થાઈલેન્ડની મુલાકાત બાદ ગઈકાલે રાત્રે શ્રીલંકા પહોંચ્યા હતા. એરપોર્ટ પર શ્રીલંકાના છ મંત્રીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. જેમાં વિદેશ મંત્રી વિજીતા હેરાથ, સ્વાસ્થ્ય મંત્રી નલિંદા જયતિસા, શ્રમ મંત્રી અનિલ જયંતા, મત્સ્યપાલન મંત્રી રામલિંગમ ચંદ્રશેખર, મહિલા અને બાળ બાબતોના મંત્રી સરોજા સાવિત્રી પૌલરાજ અને વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી કૃષ્ણાથા અબેસેના સામેલ હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments