back to top
Homeભારત'બળાત્કાર માટે તું જ જવાબદાર છે':અલાહાબાદ હાઇકોર્ટે વિદ્યાર્થિની રેપકેસમાં કહ્યું- જાતે મુશ્કેલીને...

‘બળાત્કાર માટે તું જ જવાબદાર છે’:અલાહાબાદ હાઇકોર્ટે વિદ્યાર્થિની રેપકેસમાં કહ્યું- જાતે મુશ્કેલીને આમંત્રણ આપ્યું, બંનેની સંમતિથી સેક્સ થયું

‘પીડિતા દ્વારા કરવામાં આવેલા આરોપોને સાચા માનવામાં આવે તોપણ જે નિષ્કર્ષ કાઢી શકાય છે તે એ છે કે તેણે પોતે જ મુશ્કેલીને આમંત્રણ આપ્યું હતું. તે પોતે બળાત્કાર માટે જવાબદાર છે. તબીબી તપાસમાં હાઇમન તૂટેલું જોવા મળ્યું, પરંતુ ડૉક્ટરે જાતીય હિંસા વિશે કોઈ વાત કરી નહીં.’ આ ટિપ્પણી અલાહાબાદ હાઈકોર્ટના જસ્ટિસ સંજય કુમાર સિંહે કરી હતી. ગુરુવારે, બળાત્કારના આરોપીને જામીન આપતી વખતે કોર્ટે કહ્યું, ‘બંનેની સંમતિથી સેક્સ થયું હતું.’ આ બળાત્કારનો કેસ સપ્ટેમ્બર 2024નો છે. હવે આ મામલાને વિગતવાર વાંચો… વિદ્યાર્થિનીએ 1 સપ્ટેમ્બર 2024ના રોજ FIR નોંધાવી હતી
1 સપ્ટેમ્બર, 2024ના રોજ ગૌતમ બુદ્ધનગરની એક યુનિવર્સિટીના MAની વિદ્યાર્થિનીએ સેક્ટર 126 પોલીસ સ્ટેશનમાં બળાત્કારનો કેસ નોંધાવ્યો હતો. વિદ્યાર્થિનીએ પોતાની ફરિયાદમાં લખ્યું હતું કે તે નોઈડાના સેક્ટર 126માં સ્થિત પીજી હોસ્ટેલ (પેઇંગ ગેસ્ટ)માં રહીને અભ્યાસ કરે છે. 21 સપ્ટેમ્બર, 2024ના રોજ તે તેના મિત્રો સાથે દિલ્હી ફરવા ગઈ હતી. બધાએ હૌઝ ખાસમાં પાર્ટી કરી, જ્યાં તેની ત્રણ મિત્રો સાથે ત્રણ છોકરા પણ આવ્યા. વિદ્યાર્થિનીએ જણાવ્યું કે બારમાં નિશ્ચલ ચાંડક પણ આવ્યો હતો. બધાએ દારૂ પીધો. પીડિત વિદ્યાર્થિની ખૂબ જ નશામાં હતી. રાતના 3 વાગ્યા હતા. નિશ્ચલ તેને પોતાની સાથે આવવા કહ્યું. વારંવારની વિનંતી પર વિદ્યાર્થિની તેની સાથે જવા માટે સંમત થઈ. પીડિત વિદ્યાર્થિનીએ આરોપ લગાવ્યો કે આરોપી નિશ્ચલ તેને રસ્તામાં અયોગ્ય રીતે સ્પર્શ કરતો રહ્યો. વિદ્યાર્થિનીએ નોઈડાના એક ઘરે જવાનું કહ્યું હતું, પરંતુ છોકરો તેને હરિયાણાના ગુરુગ્રામમાં તેના એક સંબંધીના ફ્લેટમાં લઈ ગયો, જ્યાં તેણે તેની સાથે બેવાર બળાત્કાર ગુજાર્યો. પોલીસે કેસ નોંધ્યા પછી આરોપી નિશ્ચલ ચાંડકની 11 ડિસેમ્બર, 2024ના રોજ ધરપકડ કરવામાં આવી. સરકારી વકીલનો દલીલ- પીડિત અને અરજદાર બંને પુખ્ત વયનાં
આરોપી નિશ્ચલ ચાંડકે કેસની તપાસ દરમિયાન જામીન પર મુક્ત થવા માટે અલાહાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. સુનાવણી દરમિયાન અરજદારના વકીલે પોતાનો દાવો મજબૂતીથી રજૂ કર્યો. કોર્ટને જણાવ્યું કે પીડિતાએ પોતે સ્વીકાર્યું છે કે તે પુખ્ત વયની છે અને પીજી હોસ્ટેલમાં રહે છે. તે પોતાની મરજીથી તેના પુરુષ મિત્રો સાથે એક બારમાં ગઈ હતી, જ્યાં તેણે તેમની સાથે દારૂ પીધો હતો. તે ખૂબ જ નશામાં હતી. તે તેના મિત્રો સાથે ત્રણ વાગ્યા સુધી બારમાં રહી. સુનાવણી દરમિયાન સરકારી વકીલે જામીન અરજીનો વિરોધ કર્યો. બંને પક્ષોને સાંભળ્યા પછી, કોર્ટે જોયું કે એ વિવાદનો મુદ્દો નથી, કારણ કે પીડિત અને અરજદાર બંને પુખ્ત વયનાં હતાં. કોર્ટે કહ્યું- પીડિતાએ પોતે જ મુશ્કેલીને આમંત્રણ આપ્યું
કોર્ટે કહ્યું હતું કે પીડિતા MAની વિદ્યાર્થિની છે, તેથી તે તેના કૃત્યની નૈતિકતા અને મહત્ત્વને સમજી શકે છે. જેમ તેણે FIRમાં ખુલાસો કર્યો છે, તેથી કોર્ટનું માનવું છે કે જો પીડિતાના આરોપને સાચો માનવામાં આવે તોપણ એવું પણ કહી શકાય કે તેણે પોતે જ મુશ્કેલીને આમંત્રણ આપ્યું હતું અને તે પોતે જ તેના માટે જવાબદાર છે. આરોપીએ કહ્યું- બધું સંમતિથી થયું
આરોપીએ કોર્ટને કહ્યું હતું કે મહિલાને મદદની જરૂર છે અને તે પોતે તેની સાથે તેના ઘરે આરામ કરવા જવા માટે સંમત થઈ હતી. આરોપીએ એ આરોપોને પણ નકારી કાઢ્યા છે કે તે મહિલાને તેના સંબંધીના ફ્લેટમાં લઈ ગયો હતો. બેવાર બળાત્કાર થયો. તેનો દાવો છે કે બળાત્કાર થયો નથી, પરંતુ તે સંમતિથી થયેલું સેક્સ હતું. કોર્ટે કહ્યું- અરજદારને જામીન મળવા જોઈએ
કોર્ટે કહ્યું કે કેસનાં તથ્યો અને સંજોગો તેમજ ગુનાની પ્રકૃતિ, પુરાવા અને બંને વકીલો દ્વારા આપવામાં આવેલી માહિતીને ધ્યાનમાં લીધા પછી, મારું માનવું છે કે અરજદારને જામીન આપી શકાય છે. આવી સ્થિતિમાં જામીન અરજી સ્વીકારવામાં આવે છે. અરજદારના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે તે તપાસમાંથી ભાગી જાય કે પુરાવા સાથે છેડછાડ કરે એવી કોઈ શક્યતા નથી. અરજદાર 11 ડિસેમ્બર, 2024થી જેલમાં છે. તેનો કોઈ ગુનાહિત ઇતિહાસ પણ નથી અને જો તેને જામીન પર મુક્ત કરવામાં આવશે તો તે જામીનની સ્વતંત્રતાનો દુરુપયોગ કરશે નહીં. તેથી કોર્ટ તેની જામીન અરજી સ્વીકારે છે. હાઈકોર્ટનો આ આદેશ પણ ચર્ચામાં હતો, વાંચો… માર્ચના બીજા અઠવાડિયામાં અલાહાબાદ હાઈકોર્ટે બળાત્કાર સંબંધિત એક કેસમાં કહ્યું હતું કે ‘સ્તન પકડવા અને પાયજામાની દોરી ખેંચવાને બળાત્કારનો પ્રયાસ ગણી શકાય નહીં.’ આ ટિપ્પણી અલાહાબાદ હાઈકોર્ટના જસ્ટિસ રામ મનોહર નારાયણ મિશ્રાની બેન્ચે કરી હતી. જસ્ટિસ મિશ્રાએ 3 આરોપી સામે દાખલ કરાયેલી ફોજદારી સુધારણા અરજી સ્વીકારી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલામાં સ્વતઃ નોંધ લીધી હતી. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ એજી મસીહની બેન્ચે આ કેસની સુનાવણી કરી. બેન્ચે કહ્યું, ‘હાઇકોર્ટના આદેશમાં કરવામાં આવેલી કેટલીક ટિપ્પણીઓ સંપૂર્ણપણે અસંવેદનશીલ અને અમાનવીય વલણ દર્શાવે છે.’ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, ઉત્તર પ્રદેશ સરકાર અને અન્ય પક્ષોને નોટિસ જારી કરી હતી અને તેમનો જવાબ માંગ્યો હતો. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ એજી મસીહની બેન્ચે કહ્યું- આ ખૂબ જ ગંભીર મામલો છે અને આ ચુકાદો આપનાર ન્યાયાધીશે ખૂબ જ અસંવેદનશીલતા દર્શાવી. અમને ખૂબ જ દુઃખ થાય છે કે નિર્ણય લખનાર વ્યક્તિમાં સંવેદનશીલતાનો સંપૂર્ણ અભાવ હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ માનવતા અને કાયદા બંનેની વિરુદ્ધ છે. આવી ટિપ્પણીઓ ‘અસંવેદનશીલતા’ દર્શાવે છે અને કાયદાના માપદંડોની બહાર છે. સંપૂર્ણ સમાચાર વાંચો…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments