રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ સોમવારે 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાની પૂછપરછ ચોથા દિવસે પણ ચાલુ રાખી. મુખ્ય તપાસ અધિકારી જયા રોયના નેતૃત્વમાં NIA અધિકારીઓની એક ટીમ દરરોજ 8 થી 10 કલાક રાણાની પૂછપરછ કરી રહી છે. સૂત્રો કહે છે કે પૂછપરછ દરમિયાન રાણા પણ સહયોગ કરી રહ્યો છે. છેલ્લા 4 દિવસમાં રાણાએ ફક્ત ત્રણ જ વસ્તુઓ માગી છે- પેન, કાગળ અથવા નોટપેડ અને કુરાન. ત્રણેય તેને આપવામાં આવ્યા છે. જોકે, તેણે હજુ સુધી કોઈ ખાસ પ્રકારનો ખોરાક માંગ્યો નથી. તેથી, તે પ્રમાણભૂત પ્રોટોકોલ મુજબ અન્ય આરોપીઓને આપવામાં આવતો ખોરાક ખાઈ રહ્યો છે. રાણાને CGO કોમ્પ્લેક્સ ખાતે આતંકવાદ વિરોધી એજન્સીના મુખ્યાલયની અંદર એક ઉચ્ચ સુરક્ષા સેલમાં રાખવામાં આવ્યો છે. અહીં સુરક્ષા કર્મચારીઓ 24 કલાક તેની દેખરેખ રાખે છે. 10 એપ્રિલના રોજ, તહવ્વુરને ખાસ વિમાન દ્વારા અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો. આ પછી તેને 18 દિવસ માટે NIA કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. કસ્ટડી દરમિયાન, NIA દરરોજ રાણાની પૂછપરછની ડાયરી તૈયાર કરી રહી છે. વોઇસ સેમ્પલ મળશે તો સ્પષ્ટ થશે કે રાણા હેડલી સાથે કોલ પર જોડાયેલો હતો શનિવારની પૂછપરછ દરમિયાન એક ‘એમ્પલોઈ બી’નું નામ સામે આવ્યું હતું, જેણે રાણાના કહેવાથી હેડલી માટે કામગીરી અને લોજિસ્ટિક્સમાં મદદ કરી હતી. હવે NIA રાણા અને ‘એમ્પલોઈ B’ની રૂબરૂ પૂછપરછ કરશે. એજન્સીના જણાવ્યા અનુસાર, ‘એમ્પલોઈ બી’ આતંકવાદી કાવતરાથી વાકેફ નહોતો. તે ફક્ત રાણાના નિર્દેશ પર હેડલી માટે સ્વાગત, પરિવહન, રહેવાની વ્યવસ્થા અને ઓફિસની વ્યવસ્થા કરતો. ડેવિડ હેડલી મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. રાણાના વોઇસના સેમ્પલ લેવામાં આવી શકે છે. નવેમ્બર 2008ના હુમલા દરમિયાન તહવ્વુર ફોન પર સૂચનાઓ આપી રહ્યો હતો કે કેમ તે NIA શોધી કાઢશે. અવાજનો નમૂનો લેવા માટે તહવ્વુરની સંમતિ જરૂરી રહેશે. ઇનકારના કિસ્સામાં, NIA કોર્ટમાં જઈ શકે છે. તહવ્વુરે પોતાના પ્રત્યાર્પણને રોકવા માટે 33 બીમારીઓનો ઉલ્લેખ કર્યો હતો ભારત પ્રત્યાર્પણ ટાળવા માટે, રાણાએ 21 જાન્યુઆરીએ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટને એક પત્ર લખ્યો હતો, જેમાં ભારતમાં 33 રોગો અને ટોર્ચરનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેના વકીલે લખ્યું હતું કે, રાણા પાર્કિન્સન, હૃદય રોગ, કિડની નિષ્ફળતા, અસ્થમા, ટીબી અને મૂત્રાશયના કેન્સર સહિત અનેક ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યો છે. તેમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે રાણાને ભારતમાં અત્યાચારનો સામનો કરવો પડી શકે છે કારણ કે તે મુસ્લિમ અને પાકિસ્તાની મૂળનો છે. જોકે, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે 11 ફેબ્રુઆરીના રોજ જવાબ આપતાં આ દાવાઓને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે પ્રત્યાર્પણ તમામ આંતરરાષ્ટ્રીય નિયમો અનુસાર થશે. તહવ્વુર રાણા વિશે 3 મહત્વપૂર્ણ બાબતો તહવ્વુરના પ્રત્યાર્પણના ફોટા, તેને સાંકળોમાં બાંધેલો જોવા મળ્યો… તહવ્વુરને દિલ્હીની તિહાર જેલમાં રાખવામાં આવશે NIA કસ્ટડી પૂર્ણ થયા પછી, રાણાને દિલ્હીની તિહાર જેલમાં ઉચ્ચ સુરક્ષા વોર્ડમાં રાખવામાં આવશે. જોકે, તેને ક્યારે અને કયા વોર્ડમાં રાખવામાં આવશે તેની માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. તપાસ એજન્સી NIA અને ગુપ્તચર એજન્સી RAWની સંયુક્ત ટીમ બુધવારે રાણાને લઈને અમેરિકા રવાના થઈ ગઈ. ગુરુવારે સાંજે લગભગ 6:30 વાગ્યે, રાણાને લઈને યુએસ ગલ્ફસ્ટ્રીમ G550 વિમાન દિલ્હીના પાલમ ટેક્નિકલ એરપોર્ટ પર ઉતર્યું. જ્યાં તેનું મેડિકલ ચેકઅપ થયું, ત્યાર બાદ તેને સીધો NIA હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યો. રાણા પાકિસ્તાની સેનામાં ડોક્ટર અને કેનેડિયન નાગરિક હતો