back to top
Homeગુજરાતઅકસ્માત કરનારા કારચાલકને માર મારતા મોત:અમદાવાદના વાસણા વિસ્તારમાં વાહનોને અડફેટે લીધા, જુહાપુરામાં...

અકસ્માત કરનારા કારચાલકને માર મારતા મોત:અમદાવાદના વાસણા વિસ્તારમાં વાહનોને અડફેટે લીધા, જુહાપુરામાં લોકોએ અટકાવી ઢોર માર મારતા ઢળી પડ્યો

અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં અકસ્માત સર્જનારા એક કારચાલકને આંતરીને ટોળાએ ઢોર મારમારતા કૌશિક ચૌહાણ નામના ટેક્સીચાલકનું ઘટનસ્થળે જ મોત નિપજ્યું હતું. કારચાલકે વાસણાથી જુહાપુરા રોડ પર કેટલાક વાહનોને ટક્કર મારતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ ટોળાએ તેને જુહાપુરા પાસે આંતરીને માર મારતા મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીેસે ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. વાસણાથી જુહાપુરા સુધીમાં અકસ્માતની વણઝાર સર્જી
અમદાવાદના વાસણાથી એક કાર ચાલકે અકસ્માત કરવાનું શરૂ કર્યું રસ્તામાં જે પણ આવ્યા એને અડફેટે લીધા અને છેક જુહાપુરાના અલ અક્ષ મસ્જિદ પાસે આવીને આ કાર અટકી હતી. આ અકસ્માતમાં ઘણા લોકોને ઈજા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માત બાદ ટેક્સીનો ચાલક લોકોના હાથમાં આવી ગયો અને લોકોએ કાયદો હાથમાં લઈને ચાલકને માર માર્યો હતો.આ બનાવવામાં ટેક્સી ચાલકને એટલી હદે માર મારવામાં આવ્યો કે તેનું ઘટના સ્થળે છે મોત થઈ ગયું છે. જેનું નામ કૌશિક પટેલ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી
શહેરના જુહાપુરા વિસ્તારમાં અકસ્માત સર્જનારા કારચાલકને આંતરી લોકોએ કાયદો હાથમાં લઈ મોતને ઘાટ ઉતારતા ચકચાર મચી છે. હાલ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. બનાવની જાણ થતા એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસની ટીમ સ્થળ પર પહોંચી છે. અકસ્માત દરમિયાન 3 થી 4 લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments