માર્ચમાં છૂટક ફુગાવાનો દર વધીને 3.8%-4% થઈ શકે છે. આના એક મહિના પહેલા ફેબ્રુઆરીમાં ફુગાવો 3.61% ના 7 મહિનાના નીચલા સ્તરે આવી ગયો હતો. જ્યારે જાન્યુઆરી 20252માં ફુગાવો 4.31% હતો. આંકડા મંત્રાલય આજે એટલે કે મંગળવાર, 15 એપ્રિલના રોજ ફુગાવાના આંકડા જાહેર કરશે. શાકભાજીના ભાવમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે, જ્યારે સોનાના ભાવ સતત વધી રહ્યા છે. એટલે કે, ખાદ્યપદાર્થો અને પીણાંમાં ફુગાવો સ્થિર રહેવાની અપેક્ષા છે, પરંતુ અન્ય વસ્તુઓમાં ફુગાવો થોડો વધી શકે છે. ફુગાવાના બાસ્કેટમાં ખાદ્ય ચીજવસ્તુઓનો ફાળો લગભગ 50% છે. ફેબ્રુઆરીમાં છૂટક ફુગાવો: ફુગાવો કેવી રીતે વધે છે કે ઘટે છે? ફુગાવામાં વધારો અને ઘટાડો ઉત્પાદનની માગ અને પુરવઠા પર આધાર રાખે છે. જો લોકો પાસે વધુ પૈસા હશે તો તેઓ વધુ વસ્તુઓ ખરીદશે. વધુ વસ્તુઓ ખરીદવાથી વસ્તુઓની માંગ વધશે અને જો પુરવઠો માંગ મુજબ નહીં હોય તો આ વસ્તુઓની કિંમત વધશે. આ રીતે બજાર ફુગાવા માટે સંવેદનશીલ બને છે. સરળ શબ્દોમાં કહીએ તો બજારમાં નાણાંનો વધુ પડતો પ્રવાહ અથવા વસ્તુઓની અછત ફુગાવાનું કારણ બને છે. બીજી બાજુ જો માંગ ઓછી અને પુરવઠો વધુ હશે તો ફુગાવો ઓછો થશે. ફુગાવો CPI દ્વારા નક્કી થાય છે ગ્રાહક તરીકે, તમે અને હું છૂટક બજારમાંથી માલ ખરીદીએ છીએ. ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) તેની સાથે સંબંધિત કિંમતોમાં થતા ફેરફારો દર્શાવવાનું કામ કરે છે. CPI એ માલ અને સેવાઓ માટે આપણે જે સરેરાશ કિંમત ચૂકવીએ છીએ તે માપે છે. ક્રૂડ ઓઇલ, કોમોડિટીના ભાવ, ઉત્પાદિત ખર્ચ ઉપરાંત, ઘણી અન્ય બાબતો છે જે છૂટક ફુગાવાનો દર નક્કી કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. લગભગ 300 વસ્તુઓ એવી છે જેના ભાવોના આધારે છૂટક ફુગાવાનો દર નક્કી કરવામાં આવે છે.