ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ તાજેતરમાં તેની કોરિયોગ્રાફર અને ડાન્સર પત્ની ધનશ્રી વર્માથી અલગ થયો છે, ત્યારથી સોશિયલ મીડિયા પર તેનું નામ RJ મહવશ સાથે જોડવામાં આવી રહ્યું છે. જોકે, ચહલ અને મહવશે રિલેશનશિપ વિશે કોઈ ઓફિશયલ જાહેરાત કરી નથી, પરંતુ બંને સોશિયલ મીડિયા પર એકબીજા પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. ચહલના પર્ફોર્મન્સ પર રૂમર્ડ ગર્લફ્રેન્ડ આફરીન!
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ની 31મી મેચમાં પંજાબ કિંગ્સ માટે યુઝવેન્દ્ર ચહલે શાનદાર ઈનિંગ રમી હતી. ચહલે 4 ઓવરમાં 28 રન આપીને 4 વિકેટ લીધી હતી. તેમની ઘાતક બોલિંગને કારણે, પંજાબ કિંગ્સ ટીમે લો સ્કોરિંગ મેચમાં KKRને 16 રનથી હરાવ્યું. ચહલની આ મેચવિનિંગ બોલિંગ પછી, રૂમર્ડ ગર્લફ્રેન્ડ ક્રિકેટર પર આફરીન થઈ અને તેણે ઈન્સ્ટાગ્રામમાં બંનેનો ફોટો શેર કર્યો હતો. ‘અસંભવ… ગજબ ટેલેન્ટેડ વ્યક્તિ છે’
RJ મહવશે યુઝવેન્દ્ર ચહલ માટે એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી અને કેપ્શનમાં લખ્યું, ‘ગજબ ટેલેન્ટેડ વ્યક્તિ છે!’ IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર આ કારણ છે. અસંભવ! KKRની મેચ બાદ તેણે ચહલ માટે આ પોસ્ટ કરી છે. IPLમાં પંજાબ કિંગ્સની દરેક મેચમાં RJ મહવશ ટીમનો ઉત્સાહ વધારવા જાય છે. આરજે મહવશ અને યુઝવેન્દ્ર ચહલની વધતી જતી નિકટતા
આરજે મહવશે તેના નવા સંબંધ અંગે હજી કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી. તેણે સોશિયલ મીડિયા પર સ્પષ્ટપણે કહ્યું છે કે તે હાલમાં સિંગલ છે, પરંતુ આ હોવા છતાં, તે ઘણીવાર યુઝવેન્દ્ર ચહલ સાથે અથવા તેની આસપાસ જોવા મળે છે. તાજેતરમાં બંને ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ જોવા દુબઈ ગયા હતા
આરજે મહવશ અને યુઝવેન્દ્ર ચહલના ડેટિંગની અફવાઓ પહેલીવાર ડિસેમ્બર 2024માં ચર્ચામાં આવી હતી. તે સમયે આરજે મહવશે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી હતી જેમાં તે ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેના મિત્રો સાથે ક્રિસમસની ઉજવણી કરતી જોવા મળી હતી. બાદમાં યુઝવેન્દ્ર ચહલ એક મિસ્ટ્રી ગર્લ સાથે પણ જોવા મળ્યો, જેના વિશે લોકોનો દાવો હતો કે તે બીજું કોઈ નહીં પણ આરજે મહવશ હતી. બંને ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ જોવા માટે દુબઈના સ્ટેડિયમમાં સાથે પહોંચ્યા હતા. તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા. યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા કેમ થયા?
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા થોડા સમય પહેલાં જ થયા છે. ચહલે તેને 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપવા સંમતિ આપી છે. ધનશ્રીનો લેટેસ્ટ મ્યુઝિક વીડિયો રૂમર્ડ રીતે તેની બેવફાઈ તરફ ઈશારો કરે છે. ધનશ્રી અને યુઝવેન્દ્રએ સ્પષ્ટપણે જણાવ્યું નથી કે બંનેએ અલગ થવાનો નિર્ણય કેમ કર્યો, જોકે સિનિયર જર્નલિસ્ટ વિક્કી લાલવાણીના મતે, તેમના છૂટાછેડાનું મુખ્ય કારણ તેના રહેવાના સ્થળ અંગેના મતભેદો હતા. ડિસેમ્બર 2020માં લગ્ન કર્યા પછી ધનશ્રી અને ચહલ ક્રિકેટરનાં માતાપિતા સાથે હરિયાણામાં રહેવા ગયાં, જોકે થોડા દિવસોમાં ધનશ્રીએ મુંબઈમાં સેટલ થવાની ઇચ્છા વ્યક્ત કરી, જે ચહલને ગમ્યું નહીં. આ પછી બંને એ અલગ થવાનો નિર્ણય કર્યો હતો.