back to top
Homeમનોરંજનઅનુરાગ કશ્યપ વિરૂદ્ધ ઈન્દોરમાં પણ FIR:ડિરેક્ટરના વાંધાજનક નિવેદનથી બ્રાહ્મણ સમુદાયની લાગણી દુભાઈ...

અનુરાગ કશ્યપ વિરૂદ્ધ ઈન્દોરમાં પણ FIR:ડિરેક્ટરના વાંધાજનક નિવેદનથી બ્રાહ્મણ સમુદાયની લાગણી દુભાઈ હોવાનો આરોપ

એક્ટર-ડિરેક્ટર અનુરાગ કશ્યપ ફિલ્મ ‘ફુલે’ને સમર્થન આપવા બદલ વિવાદમાં છે. અનુરાગ વિરુદ્ધ અગાઉ મુંબઈમાં અને હવે ઈન્દોરમાં પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ડિરેક્ટર પર પોતાના વાંધાજનક નિવેદનોથી બ્રાહ્મણ સમુદાયની ધાર્મિક લાગણીઓને દુભાવવામાં આવી હોવાનો આરોપ છે, જેના કારણે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ થઈ રહી છે. અનુરાગ વિરુદ્ધ ઈન્દોરમાં પણ ફરિયાદ દાખલ કરાઈ મધ્યપ્રદેશના ઈન્દોર જિલ્લામાં શનિવાર, 19 એપ્રિલના રોજ અનુરાગ કશ્યપ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. એમજી રોડ પીએસ ઈન્ચાર્જ વિજય સિંહ સિસોદિયાએ ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું હતું કે, ‘અનુપ શુક્લાએ અનુરાગ કશ્યપ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. કારણ કે તેમણે બ્રાહ્મણ સમુદાયની સામાજિક અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે અને વાંધાજનક ટિપ્પણી કરી છે. તપાસ ચાલુ છે.’ ખરેખર, અનુરાગ કશ્યપ ફિલ્મની રિલીઝ મુલતવી રાખવાથી ગુસ્સે હતા. ડિરેક્ટરે બ્રાહ્મણો વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેના કારણે તેની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. અનુરાગ પર નિશાન સાધતા એક યુઝરે લખ્યું હતું- બ્રાહ્મણો તમારા પિતા છે, તમે જેટલા તેમનાથી ભડકશો, તેટલા તેઓ તમને ભડકાવશે. અનુરાગની બે પોસ્ટ… પહેલી પોસ્ટ, જેના પર વિવાદ થયો બીજી પોસ્ટ, જેમાં અનુરાગે માફી માંગી અનુરાગ કશ્યપ સામે FIR દાખલ કરવાની માંગ ઉપરાંત એડવોકેટ આશિષ રાયે મુંબઈ પોલીસ પાસેથી અનુરાગ કશ્યપ વિરુદ્ધ કાર્યવાહીની પણ માંગ કરી છે. આ પહેલા મુંબઈના અન્ય એક એડવોકેટ આશુતોષ દુબેએ અનુરાગ કશ્યપ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. તેણે કહ્યું હતું કે, ‘એક સભ્ય સમાજમાં આવી નફરત ફેલાવતી વાતો સહન કરી શકાતી નથી. કાયદાએ તેનું કામ કરવું જોઈએ.’ ‘ફુલે’ ફિલ્મ 11 એપ્રિલે રિલીઝ થવાની હતી પ્રતિક ગાંધી અને પત્રલેખાની ફિલ્મ ‘ફુલે’ વિવાદોમાં ઘેરાયેલી છે. સમાજ સુધારક જોડી જ્યોતિબા ફુલે અને સાવિત્રીબાઈ ફુલેના જીવન પર આધારિત આ ફિલ્મની રિલીઝ મુલતવી રાખવામાં આવી હતી. આ ફિલ્મ પહેલા 11 એપ્રિલે રિલીઝ થવાની હતી. આ ફિલ્મ પર જાતિવાદ ફેલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ફિલ્મમાંથી ઘણા શબ્દો કાઢી નખાયા ઉલ્લેખનીય છે કે, સેન્સર બોર્ડે નિર્માતાઓને ફિલ્મમાં ઘણા ફેરફારો કરવા કહ્યું હતું. ફિલ્મમાંથી ‘માંગ’, ‘મહર’, ‘પેશવાઈ’ જેવા શબ્દો કાઢી નાખવામાં આવ્યા હતા. ઉપરાંત, ‘3000 વર્ષ જૂની ગુલામી’ સંવાદને ‘ઘણા વર્ષો જૂની ગુલામી’માં બદલી નાખવામાં આવ્યો. આ ફિલ્મનું દિગ્દર્શન અનંત મહાદેવન દ્વારા કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments