back to top
Homeભારતકર્ણાટકના પૂર્વ DGPની હત્યા, પત્ની પર આરોપ:મરચાંનો પાઉડર ફેંકી બાંધ્યા પછી છરીનાં...

કર્ણાટકના પૂર્વ DGPની હત્યા, પત્ની પર આરોપ:મરચાંનો પાઉડર ફેંકી બાંધ્યા પછી છરીનાં ઘા ઝીંક્યા, દીકરાએ કહ્યું- માતા 12 વર્ષથી શંકા અને ભયની બીમારીથી પીડિત છે

કર્ણાટકના ભૂતપૂર્વ ડીજીપી ઓમ પ્રકાશનો મૃતદેહ રવિવારે બેંગલુરુમાં તેમના ઘરેથી મળી આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર હત્યા કેસમાં એક નવો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બપોરે પતિ-પત્ની વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. NDTV અનુસાર આ પછી તેની પત્ની પલ્લવીએ ઓમ પ્રકાશ પર મરચાનો પાવડર ફેંક્યો. તેઓને બાંધી દીધા અને પછી છરીના ઘા મારીને હત્યા કરી દીધી. 68 વર્ષીય ઓમ પ્રકાશ પર પણ કાચની બોટલથી હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન, પુત્ર કાર્તિકેયે એક ટીવી ચેનલને કહ્યું- માતા પલ્લવી ઘણી ગંભીર માનસિક બીમારીઓથી પીડાઈ રહી છે. તેઓ 12 વર્ષથી સ્કિઝોફ્રેનિયા (ભ્રમ અને ભય લાગવાની બીમારી)થી પીડાઈ રહ્યા છે, જેના માટે તેઓ સારવાર લઈ રહ્યા છે. ‘પતિ ઘરમાં બંદૂક લઈને ફરે છે’
પરિવારના એક સભ્યએ જણાવ્યું કે પલ્લવી પોતાના ભયને લઇને વાત કરતી હતી. પલ્લવીએ દાવો કર્યો હતો કે તેનો પતિ તેના ઉપર હુમલો કરી શકે છે. પલ્લવીએ પરિજનને એવું પણ કહ્યું હતું કે મારા પતિ ઘરમાં બંદૂક લઈને ફરતા રહે છે. લોકોનું એવું પણ કહેવું છે કે પલ્લવી મોટાભાગે શંકાની સ્થિતિમાં રહેતી હતી અને કોઈ વાત વિના જ ચિંતામાં રહેતી હતી. પોલીસે પત્નીની 12 કલાક પૂછપરછ કરી
સૂત્રોના જણાવ્યા અનુસાર, હત્યા બાદ ઓમ પ્રકાશની પત્ની પલ્લવીએ બીજા અધિકારીની પત્ની સાથે વાત કરી અને તેને તેના પતિની હત્યા વિશે માહિતી આપી. પલ્લવીએ તેને કહ્યું- મેં રાક્ષસનો વધ કર્યો. હત્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ. પલ્લવી (પત્ની) અને પુત્રીને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને લગભગ 12 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ઓમ પ્રકાશના શરીર, પેટ અને છાતી પર છરીના અનેક ઘા છે. પુત્રની ફરિયાદના આધારે કેસ નોંધાયો
રિપોર્ટ અનુસાર ઓમ પ્રકાશ અને તેમની પત્ની પલ્લવી વચ્ચે મિલકતને લઈને વિવાદ હતો. ઓમ પ્રકાશે મિલકત એક સંબંધીને ટ્રાન્સફર કરી હતી. આ કારણે બંને વચ્ચે ઝઘડા થયા, જે બાદમાં મારામારી સુધી પહોંચ્યું. પોલીસ તપાસ કરી રહી છે કે હત્યામાં તેમની પુત્રીની કોઈ ભૂમિકા છે કે નહીં. ઓમ પ્રકાશના પુત્રની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. બેંગલુરુના એડિશનલ પોલીસ કમિશનર વિકાસ કુમારે જણાવ્યું હતું કે પોલીસને રવિવારે સવારે લગભગ 4 વાગ્યે નિવૃત્ત અધિકારીના મૃત્યુની માહિતી મળી હતી. ગૃહમંત્રીએ કહ્યું- તપાસમાં બધું બહાર આવશે
કર્ણાટકના ગૃહમંત્રી જી પરમેશ્વરાએ કહ્યું કે, ‘ઓમ પ્રકાશની હત્યા કરવામાં આવી છે. પ્રારંભિક માહિતી સૂચવે છે કે તેમની પત્નીએ ગુનો કર્યો છે, પરંતુ તેની તપાસ ચાલી રહી છે. ઓમ પ્રકાશ બિહારના રહેવાસી હતા
1981 બેચના આઈપીએસ અધિકારી ઓમ પ્રકાશે 2015 થી 2017 સુધી રાજ્યના ડીજીપી અને આઈજીપી તરીકે સેવા આપી હતી. બિહારના વતની પ્રકાશે હરપનહલ્લી (તે સમયે બેલ્લારી જિલ્લો) માં વધારાના પોલીસ અધિક્ષક (એએસપી) તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે લોકાયુક્ત, ફાયર વિભાગ અને ઇમરજન્સી સેવા અને ગુના તપાસ વિભાગ (CID) માં DIG તરીકે પણ સેવા આપી હતી. માર્ચ 2015 માં તેમને રાજ્યના DGP તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને 2017 માં નિવૃત્ત થયા હતા. , હત્યા સંબંધિત આ સમાચાર પણ વાંચો… સૂટકેસ નાની પડી તો સૌરભને મારી ડ્રમમાં ભરી દીધો:સાહિલ અને મુસ્કાને 10થી 12 ઘા ઝીંકી ગળું કાપ્યું; મેરઠ હત્યાકેસની ફોરેન્સિક તપાસમાં ચોંકાવનારા ઘટસ્ફોટ મેરઠમાં સૌરભ રાજપૂતની હત્યાને 27 દિવસ વીતી ગયા છે. આ હત્યાકેસમાં તપાસ ત્રણ સ્તરે ચાલી રહી છે. પહેલું- પોલીસ, બીજું- ફોરેન્સિક ટીમ અને ત્રીજું- સાયબર સેલ. પોલીસ કેસ ડાયરી અને સાયબર સેલની મોબાઇલ તપાસ બાદ હવે ફોરેન્સિક ટીમની તપાસમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે.​​​​​​​. સંપૂર્ણ સમાચાર વાંચો…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments