સુપ્રીમ કોર્ટ આજે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં નવા વક્ફ કાયદાના વિરોધ દરમિયાન થયેલી હિંસા સંબંધિત અરજી પર સુનાવણી કરશે. એડવોકેટ શશાંક શેખર ઝાએ અરજીમાં જણાવ્યું હતું કે હિંસાની તપાસ કોર્ટની દેખરેખ હેઠળ થાય. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજના નેતૃત્વમાં પાંચ સભ્યોના ન્યાયિક તપાસ પંચની રચના કરવાની પણ માંગ કરવામાં આવી છે. આ કેસની સુનાવણી જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એનકે સિંહની બેન્ચ દ્વારા કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં મમતા સરકારને વક્ફ કાયદા વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન થયેલી અથડામણો/હુલ્લડો અંગે સ્ટેટસ રિપોર્ટ રજુ કરવા નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે. હેટ સ્પીચ પર
કાર્યવાહી અને સ્ટે માટે અપીલ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે મુર્શિદાબાદ હિંસામાં માર્યા ગયેલા અને પીડિતોને પૂરતું વળતર આપવું જોઈએ. મુર્શિદાબાદ હિંસાની 2 તસવીરો… હાઈકોર્ટનું સૂચન- હિંસા પ્રભાવિત વિસ્તારની મુલાકાત લેવી જોઈએ કોલકાતા હાઈકોર્ટે 17 એપ્રિલે પશ્ચિમ બંગાળના હિંસાગ્રસ્ત મુર્શિદાબાદ જિલ્લામાં કેન્દ્રીય દળોની સતત તહેનાતી પર પોતાનો આદેશ અનામત રાખ્યો હતો. જસ્ટિસ સૌમેન સેન અને
જસ્ટિસ રાજા બાસુ ચૌધરીની બેન્ચ વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીની અરજી પર સુનાવણી કરી રહી છે. જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં કેન્દ્રીય દળોની 17 કંપનીઓ તહેનાત છે. સુવેન્દુ અધિકારીએ અપીલ કરી છે કે વિસ્થાપિત લોકોને તેમના ઘરે પરત લાવવા માટે રાજ્ય સરકાર તરફથી જરૂરી
પગલાં લેવા માટે સૂચનાઓ આપવી જોઈએ. આ પહેલા હાઈકોર્ટે સૂચના આપ્યા હતા કે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ, પશ્ચિમ બંગાળ રાજ્ય રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ અને રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના એક-એક સભ્યની બનેલી પેનલ
અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લે. NCW ટીમ મુર્શિદાબાદ પહોંચી રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)ના અધ્યક્ષ વિજયા રહાતકરે રવિવારે પશ્ચિમ બંગાળ સરકાર સાથે મુર્શિદાબાદ જિલ્લાના રમખાણોગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. કમિશને એક રિપોર્ટ તૈયાર કરી રહ્યું છે, જે ટૂંક સમયમાં કેન્દ્રને સોંપવામાં આવશે. તેની નકલો રાજ્યના ઉચ્ચ અધિકારીઓને મોકલવામાં આવશે. AIMPLB એ 87 દિવસના વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) નવા વકફ કાયદા વિરુદ્ધ ‘વકફ બચાવો અભિયાન’ ચલાવી રહ્યું છે. તેનો પહેલો તબક્કો 11 એપ્રિલથી શરૂ થયો છે. આ વિરોધ 7 જુલાઈ સુધી એટલે કે 87 દિવસ સુધી ચાલુ રહેશે. વક્ફ કાયદાના વિરોધમાં 1 કરોડ સહીઓ એકત્રિત કરવામાં આવશે, જે પીએમ મોદીને મોકલવામાં આવશે. આ પછી આગામી તબક્કાની રણનીતિ નક્કી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં વકફ કાયદા પર સુનાવણી ચાલુ છે ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટમાં સતત બે દિવસ સુનાવણી ચાલી હતી. આ સમય દરમિયાન, કોર્ટે કેન્દ્ર સરકારને પોતાનો જવાબ દાખલ કરવા માટે 7 દિવસનો સમય આપ્યો છે. સરકારના જવાબ પછી, અરજદારોએ 5 દિવસની અંદર જવાબ આપવો પડશે. આગામી સુનાવણી 5 મેના રોજ બપોરે 2 વાગ્યે થશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કાયદા વિરુદ્ધ દાખલ થયેલી 70થી વધુ અરજીઓને બદલે ફક્ત 5 અરજીઓ કરવી જોઈએ. તેમના પર જ સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રનો જવાબ આવે ત્યાં સુધી વકફ તરીકે જાહેર કરાયેલી મિલકત પર યથાસ્થિતિ જાળવી રાખવા કહ્યું. ત્યાં સુધી સરકારે ત્રણ સૂચનાઓનું પાલન કરવું પડશે.