back to top
Homeમનોરંજનઆર્થિક તંગીથી કંટાળી એક્ટરની આત્મહત્યા:લલિત મનચંદા TMKOC, ક્રાઇમ પેટ્રોલ સહિતની સિરિયલ અને...

આર્થિક તંગીથી કંટાળી એક્ટરની આત્મહત્યા:લલિત મનચંદા TMKOC, ક્રાઇમ પેટ્રોલ સહિતની સિરિયલ અને શોમાં જોવા મળ્યો હતો

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’, ‘ક્રાઇમ પેટ્રોલ’, ‘યે રિશ્તા ક્યા કહેલાતા હે’, ‘ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ’ જેવી સિરિયલો અને શોમાં જોવા મળેલા એક્ટર લલિત મનચંદાએ આત્મહત્યા કરી લીધી છે. સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ્સ એસોસિએશન (CINTAA)એ આ સમાચારની પુષ્ટિ કરી છે. CINTAAએ ઇન્સ્ટાગ્રામ પર એક્ટરને શ્રદ્ધાંજલિ આપી. રિપોર્ટ્સ મુજબ, લલિતે મેરઠમાં પોતાના ઘરમાં આત્મહત્યા કરી છે. પોલીસને લલિતનો મૃતદેહ પંખા સાથે લટકતો મળ્યો હતો. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે. લલિતના પરિવાર પાસેથી મળેલી માહિતી મુજબ, એક્ટર રવિવારે રાત્રે તેના રૂમમાં ગયો હતો અને બીજા દિવસે સવારે જ્યારે તેના પરિવારના સભ્યો તેને ચા માટે જગાડવા આવ્યા, ત્યારે તેનો મૃતદેહ પંખા સાથે લટકતો મળી આવ્યો. પરિવારે તાત્કાલિક પોલીસને જાણ કરી. એક્ટર પત્ની તરુ મનચંદા, 18 વર્ષનો દીકરો ઉજ્જવલ અને દીકરી શ્રેયા મનચંદાને છોડી ગયો છે. આર્થિક સંકટને કારણે એક્ટર હતાશ હતો લલિત છેલ્લા કેટલાક સમયથી પોતાના અંગત જીવન અને માનસિક સ્વાસ્થ્યને લઈને પરેશાન હતો. આર્થિક તંગીને કારણે તેણે મુંબઈ છોડીને પોતાના વતન મેરઠ ચાલ્યો ગયો હતો. તે લાંબા સમયથી બેરોજગાર હતો. આ કારણે તે ડિપ્રેશનમાં જતો રહ્યો હતો. કોવિડ પછી તેને કોઈ કામ મળતું ન હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments